ભગવાન મૂળ પુરૂષોની દ્રષ્ટિએ
બધા ભગવાને એમ જ કહ્યું કે, 'આત્માને ઓળખો, તમામ દુ:ખોથી છુટો અને મોક્ષે ચાલ્યા જાવ'. જ્ઞાનીઓ પણ આજે એજ રસ્તો બતાવી રહ્યા છે કે તમારી મહીં ભગવાન ખરા સ્વરૂપે છે.
ભગવાન એ એક વિશેષણ છે. જેમ ભાગ્યશાળી માણસને ભાગ્યવાન કહેવાય, પૈસાવાળી વ્યક્તિને ધનવાન કહેવાય, જ્ઞાનવાળી વ્યક્તિને જ્ઞાનવાન કહેવાય, તેમ જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થાય તેમને ભગવાન કહેવાય.
મનુષ્યો ભગવાનની કેટકેટલી ભક્તિ, પૂજાપાઠ અને ક્રિયાઓ કરે, તોય તેમની ચિંતા કે ઉપાધિ જતી નથી. ભક્તને ઝંખના રહ્યા કરે છે કે ભગવાનનો ભેટો થાય, પણ ભગવાન ભેગા થતા નથી. ભગવાનની સાચી વ્યાખ્યા જાણ્યા વગર, તેમની ઓળખાણ વગર શોધવા નીકળી પડે છે.
વાસ્તવિકતામાં, ભગવાનનો ભેટો થવા માટે તેમનું સાચું સ્વરૂપ જાણવું પડે, ઓળખવું પડે.
મોટેભાગે આપણે ભગવાનને જે રીતે ભજીએ છીએ, એ તેમને ઓળખ્યા વગરની પરોક્ષ ભજના છે. જેમ, આપણે ગમે તેટલા કાગળ લખીએ પણ જો સાચું સરનામું જ ના ખબર હોય, તો કાગળ પહોંચે નહીં. એટલે સાચી ભજના તો ભગવાનની પ્રત્યક્ષ ઓળખાણ થાય પછી થાય.
શું ખરેખર ભગવાન છે? છે તો ક્યાં રહે છે? શું કરે છે? આ દુનિયા ભગવાન ચલાવે છે? તેમનો ભેટો કઈ રીતે થાય? ભગવાનની ઓળખ આપતા ગુણો કયા છે? ભગવાનની ભજના કઈ રીતે કરવી? એવી તમામ સમજણ થકી ભગવાનની સાચી ઓળખાણ આપણને અહીં પ્રાપ્ત થાય છે.


A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે?... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા... Read More
Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે છે.... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં... Read More
A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા... Read More
A. દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત... Read More
Q. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
A. ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં... Read More
Q. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
A. સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે... Read More


subscribe your email for our latest news and events
