• question-circle
  • quote-line-wt

ભગવાનની ઓળખ

ભગવાન એ એક વિશેષણ છે. જેમ ભાગ્યશાળી માણસને ભાગ્યવાન કહેવાય, પૈસાવાળી વ્યક્તિને ધનવાન કહેવાય, જ્ઞાનવાળી વ્યક્તિને જ્ઞાનવાન કહેવાય, તેમ જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થાય તેમને ભગવાન કહેવાય. 

મનુષ્યો ભગવાનની કેટકેટલી ભક્તિ, પૂજાપાઠ અને ક્રિયાઓ કરે, તોય તેમની ચિંતા કે ઉપાધિ જતી નથી. ભક્તને ઝંખના રહ્યા કરે છે કે ભગવાનનો ભેટો થાય, પણ ભગવાન ભેગા થતા નથી. ભગવાનની સાચી વ્યાખ્યા જાણ્યા વગર, તેમની ઓળખાણ વગર શોધવા નીકળી પડે છે. 

વાસ્તવિકતામાં, ભગવાનનો ભેટો થવા માટે તેમનું સાચું સ્વરૂપ જાણવું પડે, ઓળખવું પડે. 

મોટેભાગે આપણે ભગવાનને જે રીતે ભજીએ છીએ, એ તેમને ઓળખ્યા વગરની પરોક્ષ ભજના છે. જેમ, આપણે ગમે તેટલા કાગળ લખીએ પણ જો સાચું સરનામું જ ના ખબર હોય, તો કાગળ પહોંચે નહીં. એટલે સાચી ભજના તો ભગવાનની પ્રત્યક્ષ ઓળખાણ થાય પછી થાય. 

શું ખરેખર ભગવાન છે? છે તો ક્યાં રહે છે? શું કરે છે? આ દુનિયા ભગવાન ચલાવે છે? તેમનો ભેટો કઈ રીતે થાય? ભગવાનની ઓળખ આપતા ગુણો કયા છે? ભગવાનની ભજના કઈ રીતે કરવી? એવી તમામ સમજણ થકી ભગવાનની સાચી ઓળખાણ આપણને અહીં પ્રાપ્ત થાય છે.

ભગવાન મૂળ પુરૂષોની દ્રષ્ટિએ

બધા ભગવાને એમ જ કહ્યું કે, 'આત્માને ઓળખો, તમામ દુ:ખોથી છુટો અને મોક્ષે ચાલ્યા જાવ'. જ્ઞાનીઓ પણ આજે એજ રસ્તો બતાવી રહ્યા છે કે તમારી મહીં ભગવાન ખરા સ્વરૂપે છે.

play
previous
next

Top Questions & Answers

  1. Q. ભગવાન શું છે?

    A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More

  2. Q. ભગવાન કોણ છે?

    A. ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે?... Read More

  3. Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?

    A. જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને... Read More

  4. Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?

    A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More

  5. Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?

    A. આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા... Read More

  6. Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?

    A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે છે.... Read More

  7. Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?

    A. હા, તેઓ છે!  પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More

  8. Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?

    A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More

  9. Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?

    A. ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ... Read More

  10. Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!

    A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More

  11. Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.

    A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More

  12. Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?

    A. ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન... Read More

  13. Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?

    A. આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં... Read More

  14. Q. ભગવદ્ ગુણો કયા છે?

    A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More

  15. Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?

    A. ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા... Read More

  16. Q. ભગવાન કેવી રીતે થઈ શકાય?

    A. દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત... Read More

  17. Q. અંબામા અને દુર્ગામાતા કોણ છે?

    A. ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં... Read More

  18. Q. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?

    A. સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ... Read More

  19. Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?

    A. હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે... Read More

Spiritual Quotes

  1. ગોડ ઈઝ ઈન એવરી ક્રીએચર વ્હેધર વિઝિબલ ઓર ઈન્વિઝિબલ. (ભગવાન દરેક જીવ માત્રમાં છે, પછી તે આંખે દેખાય એવા કે ન દેખાય એવા હોય) તમારી ને મારી વચ્ચે દૂરબીનથીય ન જોઈ શકાય એવા અનંત જીવો છે. 
  2. જો ભગવાન ઉપરી હોય અને તે જો મોક્ષે લઈ જનાર હોય, તો તો એ જ્યારે કહે કે અહીંથી ઊઠ, તો તમારે તરત જ ઊઠવું પડે. તેને મોક્ષ શી રીતે કહેવાય? મોક્ષ એટલે સંપૂર્ણ સ્વતંત્ર. કોઈ ઉપરી નહીં અને કોઈ અંડરહેન્ડ પણ નહીં. 
  3. આ દેહ તો (પેકીંગ) ખોખું છે. મહીં બેઠા છે તે ભગવાન છે. 
  4. પુરુષ તો કોનું નામ કહેવાય? ક્રોધ-માન-માયા-લોભ એ નિર્બળતા જેને ના હોય, એને ભગવાને 'પુરુષ' કહ્યા. 
  5. જેનામાં 'હુંકાર' ગયો હોય ને, ત્યાં પછી એ જ ભગવાન! જો કદી વધારે દર્શન કરવા જેવું પદ હોય તો આ એકલું જ કે જેનો 'હુંકાર' ગયો હોય, પોતાપણું ગયું હોય. જ્યાં પોતાપણું ગયું ત્યાં બધું સર્વસ્વ ગયું. 
  6. તું જ તારો ઉપરી, તારો રક્ષક પણ તું જ ને તારો ભક્ષક પણ તું જ. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. પોતે જ પોતાનો ઉપરી છે. આમાં બીજો કોઈ બાપોય આંગળી ઘાલતો નથી. આપણો બોસ છે તેય આપણી ભૂલથી ને અન્ડરહેન્ડ છે તેય આપણી ભૂલથી જ છે. માટે ભૂલ ભાંગવી પડશે ને?
  7. 'તારો ઉપરી વર્લ્ડમાં કોઈ નથી. તારાં ઉપરી તારાં બ્લંડર્સ અને તારી મિસ્ટેકો છે. એ બે નહીં હોય તો તું પરમાત્મા જ છે.' 
  8. ભગવાન તો તમારું સ્વરૂપ છે. તમારો કોઈ ઉપરી જ નથી, કોઈ બાપોય ઉપરી નથી.
  9. ભગવાન જીવમાત્રની અંદર બેઠેલા છે, ચેતનરૂપે. એનું ભાન જ નથી. એ ચેતન એ જ પરમેશ્વર છે! 'શુદ્ધ ચેતન' એટલે શુદ્ધાત્મા, એ જ પરમાત્મા!
  10. ભગવાનને ત્યાં તો એટલું જ છે કે ‘કોઈ જીવને દુઃખ ન થાય, એ જ અમારી આજ્ઞા છે.  
  11. મૂર્તિ શાથી મૂકી છે? એની પાછળ શી ભાવના છે ? ‘સાહેબ, તમે સનાતન સુખવાળા છો ને હું તો ‘ટેમ્પરરી’ સુખવાળો છું. મારેય સનાતન સુખની ઇચ્છા છે.’ ભગવાન સનાતન સુખવાળા છે, તેથી તો જુઓને મૂર્તિમાં છે તોય આપણા કરતાં રૂપાળા દેખાય છે. જાણે જોયા જ કરીએ!
  12. આપણે ભગવાનની મૂર્તિનાં દર્શન કરીએ છીએ ત્યારે મૂર્તિ શું કરે છે? ‘ભાઈ, આ માલ મારો નથી, આ માલ તારા જ શુદ્ધાત્માનો છે.’ એટલે મૂર્તિ તમારા શુદ્ધાત્માને પાછું મોકલી આપે છે. આને પરોક્ષ ભક્તિ કહેવાય!
  13. માતાજી કોને પ્રગટ થાય? સહજ સ્વભાવી થઈ જાય તેને. આ મન-વચન-કાયા સહજ સમાધિ સ્વરૂપ થઈ જાય ત્યારે માતાજી આવ્યાં કહેવાય. આદ્યશક્તિ ઉત્પન્ન થઈ કહેવાય.
  14. જો જગત ભગવાને બનાવ્યું હોય તો ભગવાનને કોણે બનાવ્યો? અને એને પાછો કોણે બનાવ્યો?.....
  15. જો ભગવાન કર્તા હોય તો પછી તમારી કશી જવાબદારી રહે ? ના રહે. ભગવાને ય કર્તા  નથી ને તમે ય કર્તા નથી. 'વ્યવસ્થિત' કર્તા છે.
  16. શું ભગવાન નથી? છે. એનું સાચું 'એડ્રેસ' શું? કઈ પોળમાં રહે છે ? ઉપર ? ઉપર તો કોઈ બાપોય રહેતો નથી. 'હું' બધે ફરી આવ્યો છું. ભગવાનનું સાચું 'એડ્રેસ' તો, God is in every creature whether, visible or invisible. God is in creature not in creation.
  17. ભગવાન કોણ છે? જે દેહ હોવા છતાં દેહના માલિક નથી, મનના માલિક નથી, વાણીના માલિક નથી, કોઈ ચીજના માલિક નથી, તે આ જગતમાં ભગવાન છે!
  18. આ તમે જેટલું જુઓ છો, વાંચો છો, સાંભળો છો, એ બધુંય કલ્પિત છે. ભગવાન બુદ્ધિથી અગમ્ય છે અને જગત બુદ્ધિથી જુએ છે. તે કેમનો મેળ ખાય?

Related Books

×
Share on