અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
ખરી હકીકતમાં ગોડ ઈઝ નોટ ક્રીએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ!
જો આપણે કહીએ કે, ભગવાન કર્તા છે, તો પછી ઘણા પ્રશ્નો ઊભા થાય છે, કે જેના કોઈ જવાબ નથી મળતા, જેવા કે:
ના, આ બધુ નેચરલ એડજસ્ટમેન્ટ છે!
દાખલા તરીકે: જ્યારે બે હાઈડ્રોજન પરમાણું અને એક ઓક્સિજનનો પરમાણું બીજા પૂરાવા સાથે ભેગા થાય છે, ત્યારે તે પાણી બને છે. કોઈએ પણ બેસીને બનાવવું પડતું નથી, તે ઓટોમેટીક, એનીમેળે જ બની જાય છે.
આ જગત માત્ર સાઈન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવીડેન્સ (વૈજ્ઞાનિક સાયોંગીક પૂરાવા) દ્વારા જ ચાલે છે. ઉપરના દાખલામાં, હાઈડ્રોજન, ઑક્સીજન, હવા, ટાઈમ, આકાશ વગેરેને સાઈન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવીડેન્સ (વૈજ્ઞાનિક સાયોંગીક પૂરાવા) કહેવાય છે. કશુંક પણ બને તે અસંખ્યાત પૂરાવાઓ ભેગા થઈને બની જાય છે. તેમના ભેગા થવું કે ના ભેગા થવું તે કુદરતી ક્રિયા છે, કે જે કુદરત ના કાયદા પ્રમાણે ચાલે છે. જ્યારે તેઓ ભેગા થાય છે, ત્યારે જે કાર્ય હાથ પર હોય તે પૂરું થાય છે, અને જો ભેગા ના થાય તો કાર્ય થઈ શકે નહીં..
એ કયા આધારે નક્કી થાય છે?
પોતે જે કર્મો આ જીવનમાં બાંધે છે તે કોઝીઝ છે, કે જેના રીઝલ્ટ આપણે નેક્સ્ટ લાઈફમાં (આવતા ભવમાં) અસરો રૂપે ભોગવવા પડે છે. આવી રીતે આખું જગત કર્મોની ‘ઈફેક્ટ’ (અસરો) ના ફાઉન્ડેશન પર ચાલી રહ્યું છે.
એ કુદરત જ છે જે પ્રત્યેક વસ્તુ અને વ્યક્તિને વ્યવસ્થિત રાખે છે. આ કુદરતી પ્રક્રિયામાં ભગવાને હાથ ઘાલ્યો જ નથી.
કૃષ્ણ ભગવાને કહ્યું છે કે, 'આ જગત ભગવાને બનાવ્યું નથી, પણ સ્વાભાવિક થયું છે !'
ભગવાન પ્રત્યેક જીવમાત્રમાં શુદ્ધ ચેતન સ્વરૂપે બિરાજેલા છે અને જે કંઈ પણ બની રહ્યું છે તેના જ્ઞાતા-દ્રષ્ટા પદમાં છે. તેઓ પોતાના નિજ સ્વરૂપમાં એટલે કે, અનંત સુખધામ સ્વરૂપમાં છે, જે સુખ આત્માનું અનંત સુખ છે.
આત્મા એટલે આપણો પોતાનું સ્વરૂપ, સાચું સ્વરૂપ અને એ જ શુદ્ધાત્મા છે.
અજ્ઞાનતાથી આપણે આપણી જાતને નામ રૂપ કે દેહરૂપ કે પ્રકૃતિ માનીએ છીએ, જો કે, વાસ્તવિકતા એ છે કે આમાનું કોઈપણ આપણું ખરું સ્વરૂપ નથી; તે માત્ર કર્મોની ઈફેક્ટ છે. સારા કર્મોની સારી અસરો થાય છે અને આપણને સારી પ્રકૃતિ, એક સારો દેહ અને તંદુરસ્ત મન પ્રાપ્ત થાય છે. જ્યારે બીજી તરફ, ખરાબ કર્મોની ખરાબ અસર થાય છે.
આ કર્મની અસરોને રોંગ બિલિફથી આપણી પોતાની માની, આપણે કર્મ પર કર્મ બાંધતા રહી છીએ અને આપણે આપણું દુઃખોથી ભરેલું નવો સંસાર ઉભો કરીએ છીએ. કોઝીઝ (કારણો) બંધ નહી થાય, જ્યાં સુધી ‘હું ચંદુલાલ છું*’ (ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું) એવું આપણી બિલિફમાં કોતરાઈ (સુદ્રઢ થઈ) ગયું છે ત્યાં સુધી. માત્ર જ્યારે જ્ઞાની આપણને જાગૃત કરીને આપણને આપણા ખરા સ્વરૂપનો અનુભવ કરાવે છે, ત્યારે જ કોઝીઝ બંધ થાય છે અને એ સાથે જ નવા સંસારનું સર્જન બંધ થાય છે.
1) કે જ્ઞાનવિધિમાં (આત્મજ્ઞાન પ્રાપ્તિના વૈજ્ઞાનિક પ્રયોગમાં) ભાગ લેવાના શું ફાયદા છે? જાણવા માટે અહીં ક્લીક કરો.
2) શું હજુ પણ ભગવાન આ જગતનાં કર્તા નથી એવી ખાતરી નથી થતી? તો પછી વાંચો “જગતનો ક્રીયેટર (બનાવનાર) કોણ છે? ‘કર્તા’ કોણ છે?”
Book Excerpt: આપ્તવાણી ૧ (Page #3 - Paragraph #9 to #13, Entire Page #4, Entire Page #5, Page #6 - Paragraph #1)
A. તમે ભગવાનની શોધમાં છો. તમ ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિષે જાણવા માંગો છો. તમે ભગવાનનું સાચું સરનામું (એડ્રેસ) જાણવા માંગો છો, પરંતુ સૌથી...Read More
A. આ જગતમાં, જો તમે એન્જીનીયરિંગ ભણ્યા હોય તો, લોકો તમને એન્જીનીયર કહેશે; અને જો તમે દર્દીનું નિદાન, દવા લખો અને સારવાર કરો તો, લોકો તમને ડૉક્ટર કહેશે, શું...Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. શું તેઓ સ્વર્ગમાં છે? શું તેઓ આકાશમાં છે?મંદિર માં છે? આપણાં હદયમાં છે? કે પછી કોઈ બીજી જગ્યા એ છે? ભગવાનનું સાચું સરનામું નહીં જાણવાથી, આપણે તેમની કલ્પના...Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળી છીએ ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે બનાવ્યું હશે?’ આપણને કહેવામાં આવ્યું છે કે ‘ભગવાનને આ જગત...Read More
Q. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
A. એવી ધાર્મિક માન્યતા છે કે: 'બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ભેગા મળીને આ જગત બનાવ્યું. બ્રહ્મા સર્જનકર્તા, વિષ્ણુ પાલનપોષણ કરતાં અને મહેશ વિનાશ કરનાર છે.’ તો...Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ એ અદ્ભૂત હાજરા-હજૂર ભગવાન વિષે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ સ્પષ્ટતા સાથે સમજીએ… શું તમે જાણો છો કે શુદ્ધાત્મા એ...Read More
Q. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
A. પ્રાર્થના એ ભગવાન સાથે કનેક્ટ (અનુસંધાન) કરવાનું એક માધ્યમ છે અને તમે ભગવાન પાસેથી શકિતઓ પણ મેળવી શકો છો. પ્રાર્થના, આપણા સર્વાંગી વિકાસ (પ્રગતિ) માટે...Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. જો કોઈ વ્યક્તિ આજે ચોરી કરતો હોય તો, ચોરી કરવાની તેની ક્રિયા એ દેખીતું કર્મ છે. આ કર્મનું ફળ આ જ જીવનમાં એની મેળે જ આવશે; તેનો અપયશ થશે અને સજા થશે....Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ કરે છે; ભગવાન સર્વ શક્તિમાન છે, તેઓ આપણું રક્ષણ કરવા...Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે સંપાદિત કરવો?
A. ભગવત્ પ્રેમની પ્રાપ્તિ! પ્રશ્નકર્તા: તો ઈશ્વરનો પરમ, પવિત્ર, પ્રબળ પ્રેમ સંપાદન કરવા શું કરવું જોઈએ? દાદાશ્રી: તમારે ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરવો...Read More
Q. ભગવાનમાં એકાગ્રતા કેવી રીતે વધારવી?
A. ઈન્ટરેસ્ટ ત્યાં જ એકાગ્રતા પ્રશ્નકર્તા: દાદા, મને ભગવાનમાં એકાગ્રતા રહેતી નથી. દાદાશ્રી: તમે શાક લેવા કે સાડી લેવા જાવ, તેમાં એકાગ્રતા રહે છે કે...Read More
Q. શું મૂર્તિપૂજા કે દર્શન જરૂરી છે?
A. મૂર્તિ, એ ય પરોક્ષ ભક્તિ! પ્રશ્નકર્તા: એક સંત કહે છે કે આ જે જડ વસ્તુઓ છે, મૂર્તિ-ફોટા, એનું અવલંબન લેવાનું ના હોય. તમારી નજર સામે જીવતા દેખાય, તેનું...Read More
A. આત્મા: સગુણ - નિર્ગુણ કેટલાક લોકો ભગવાનને નિર્ગુણ કહે છે. અલ્યા, ભગવાનને ગાળ શું કામ દે છે? આ ગાંડાને પણ નિર્ગુણી કહે છે, તે ગાંડાને નિર્ગુણી શી રીતે...Read More
Q. ભગવાન પદની પ્રાપ્તિ કેવી રીતે કરવી?
A. ભૂલ વગરનું દર્શન ને ભૂલવાળું વર્તન! પોતાની ભૂલ પોતાને જડે એ ભગવાન થાય. પ્રશ્નકર્તા: આ રીતે કોઈ ભગવાન થયેલો? દાદાશ્રી: જેટલા ભગવાન થયેલા એ બધાયને પોતાની...Read More
A. બ્રહ્માંડનો માલિક કોણ? આ બ્રહ્માંડનો દરેક જીવ બ્રહ્માંડનો માલિક છે. માત્ર પોતાનું ભાન નથી તેથી જ જીવડાની જેમ રહે છે. પોતાના દેહની માલિકીનો જેને દાવો નથી...Read More
Q. અંબામાતા અને દુર્ગા દેવી કોણ છે?
A. સહજ પ્રાકૃત શક્તિ દેવીઓ અંબામાતા, દુર્ગાદેવી એ બધી દેવીઓ પ્રકૃતિ ભાવ સૂચવે છે. તે સહજતા સૂચવે છે. પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થાય અથવા આત્મા સહજ થાય...Read More
A. સરસ્વતી પ્રશ્નકર્તા: સરસ્વતી દેવીના કાયદા શા છે? દાદાશ્રી: સરસ્વતી એટલે વાણીના હિસાબના જે જે કાયદા લાગુ પડે તે પાળીએ તો સરસ્વતી દેવી ખુશ રહે. વાણીનો...Read More
Q. લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. લક્ષ્મીજી ક્યાં વસે? લક્ષ્મીજી શું કહે છે? જે એકસો જણને સીન્સિયર રહે છે ત્યાં મારો વાસ હોય છે. વાસ એટલે દરિયો ઊભરાય તેમ લક્ષ્મીજી આવે. જ્યારે બીજે બધે...Read More
subscribe your email for our latest news and events