હા, તેઓ છે!
પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ સ્પષ્ટતા સાથે સમજીએ…
શું તમે જાણો છો કે શુદ્ધાત્મા એ તમારામાં અને બધા જીવમાત્રમાં રહેલું શાશ્વત તત્ત્વ છે?
અને ભગવાન એ બીજું કોઈ નહીં પણ શુદ્ધાત્મા જ છે. એ રીતે તો દરેક જીવમાત્ર એક જીવતા ભગવાન જ છે.
જો કે, આપણો આત્મા એની મેળે જ સંપૂર્ણપણે શુદ્ધ જ છે; તો પણ એ કર્મોના અનેક આવરણોની નીચે ઢંકાયેલો છે કે જે આપણી દ્રષ્ટિને અસ્પષ્ટ અને ભ્રમિત કરે છે. આત્મા પર આવેલા અને ભ્રાંતિ ઉત્પન્ન કરાવનાર કર્મોથી જ્યારે આત્મા મુક્ત થાય છે, ત્યારે તરત જ તેનામાં આત્માના ગુણો પ્રગટ થાય છે. તે જ્ઞાનદર્શન પ્રાપ્ત કરીને કેવળજ્ઞાની થાય છે. જગત આવા મુક્ત પુરુષને ભગવાનની પદવીથી નવાજે છે.
સીમંધર સ્વામી હાજર ભગવાન છે, જે ‘મહાવિદેહ ક્ષેત્ર’માં વિચરે છે.
કેવળજ્ઞાની શ્રી સીમંધર સ્વામી ભગવાન (સંપૂર્ણ જ્ઞાન સહિત) એવી અસાધારણ આધ્યાત્મિક સિદ્ધિઓ સહિત છે કે જેનો ઉપયોગ માત્ર જીવોની આધ્યાત્મિક પ્રગતિ માટે થાય છે. ભગવાનની આજુબાજુ માઈલો સુધી કોઈ પણ રોગથી પીડાતું નથી કે કોઈ પણ દુઃખી નથી હોતું કે કોઈના મનમાં પણ વેદના (યાતના) કે ભય નથી હોતા. દેવો નિરંતર તેમની સેવામાં રહે છે. તેઓ એવું સમવોસરણ રચે છે કે જેમાં મનુષ્યો, તિર્યંચ (પ્રાણીઓ), દેવ-દેવીઓ બધા ભગવાનની દેશના (દિવ્યવાણી) સાંભળવા બેસે છે. સિંહ તેનો હિંસક સ્વભાવ અને બકરી તેનો ભય ભૂલી જાય છે; બન્ને એકબીજાની આજુબાજુ બેસી અને પ્રેમથી ભગવાનની દેશના સાંભળે છે. આવો છે ભગવાન સીમંધર સ્વામીની હાજરીનો પ્રભાવ. દરેક જીવમાત્ર, પછી તે મનુષ્ય હોય કે પ્રાણી કે પક્ષી, તે ભગવાનની દેશના પોતપોતાની ભાષામાં સમજી જાય છે.

આ ભગવાન વિશેનો થોડોક જ વાર્તાલાપ દરેકના હૃદયમાં તેમના માટેની અનન્ય ભક્તિ જગાડે છે અને આ ભક્તિ ક્યારેય પણ કોઈ પણ સંસારી લાભ કે પછી વ્યક્તિગત પ્રસંગોમાં લાભ મેળવવાના હેતુથી નથી હોતી. લોકો તેમના દર્શન કરે છે અને આ મહાન વ્યક્તિત્વની આરાધના ક્રોધ-માન-માયા-લોભ અને રાગ-દ્વેષની નબળાઈઓમાંથી મુક્ત થઈને એમના જેવી જ મુક્તિ પામી શકે એવા હેતુપૂર્વક કરે છે.
સીમંધર સ્વામીની અનન્ય (દિલથી) ભક્તિથી ઊંચામાં ઊચું પુણ્યાનુબાંધી પુણ્યકર્મ બંધાય છે કે જે આપણને મહાવિદેહ ક્ષેત્રે લઈ જશે. જો આપણા ઘરમાં સીમંધર સ્વામીની મૂર્તિ હોય તો, જ્યારે પણ આપણે તેમના દર્શન કરીએ ત્યારે, આપણે એવા અંતરઆશય સાથે એમની ભક્તિ કરીએ કે આપણે તેમની પાસે પહોંચી અને એમની કૃપાથી કેવળજ્ઞાનને પામીએ. બધા જ જીવોના આત્યંતિક કલ્યાણ એટલે કે મોક્ષ માટે ભગવાન ત્યાં હાજર છે, બસ આપણો તીવ્ર અંતરઆશય જ ત્યાં પહોંચવાની ચાવી છે!
જેમ જેમ આપણી સીમંધર સ્વામી ભગવાનની ભક્તિ આરાધના વધતી જાય, તેમ તેમ સ્વામી સાથેનું આપણું પોતાનું અનુસંધાન વધતું જ જશે. આ ઋણાનુંબંધ ધીમે ધીમે એટલું મજબૂત (સ્ટ્રોંગ) બની જશે કે આપણે આવતા ભવે ભગવાનના ચરણમાં પહોંચી જશું.
અને જે ક્ષણે આપણી દ્રષ્ટિ ભગવાન સીમંધર સ્વામી સાથે મળશે, ત્યારે આપણા આનંદનો પાર નહીં રહે. જગત વિસ્મૃત થઈ જશે. જ્યારે જગતની દરેક વસ્તુનું ખેંચાણ બંધ થશે અને ત્યારે આપણે સંપૂર્ણપણે આત્મસુખમાં તરબોળ થઈ ગયા હશું. આ જ અનુભવ દરેકને થશે અને આપણને પણ થશે. કારણ કે, જીવતા હાજર ભગવાન આપણા સૌની આત્યંતિક મુક્તિ (મોક્ષ) માટે જિજ્ઞાસુ એવા મુમુક્ષુઓને આ જ અનુભવ પ્રાપ્ત કરાવવાને સામર્થ્ય ધરાવે છે.
હાજર જીવતા ભગવાન શ્રી સીમંધર સ્વામી ભગવાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે?... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા... Read More
Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે છે.... Read More
Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં... Read More
A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા... Read More
A. દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત... Read More
Q. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
A. ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં... Read More
Q. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
A. સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે... Read More
subscribe your email for our latest news and events
