અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો11 ડિસેમ્બર |
10 ડિસેમ્બર | to | 12 ડિસેમ્બર |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઈન્ટરેસ્ટ ત્યાં જ એકાગ્રતા
પ્રશ્નકર્તા: દાદા, મને ભગવાનમાં એકાગ્રતા રહેતી નથી.
દાદાશ્રી: તમે શાક લેવા કે સાડી લેવા જાવ, તેમાં એકાગ્રતા રહે છે કે નહીં?
પ્રશ્નકર્તા: હા, એમાં રહે. મોહ હોય એટલે રહે.
દાદાશ્રી: અને ભગવાન ઉપર ને મોક્ષ ઉપર તમને 'ઇન્ટરેસ્ટ' જ નથી. તેથી તેમાં એકાગ્રતા રહેતી નથી.
અરે, એક બેન બહુ રૂપાળી બમ જેવી હતી અને એનો ધણી એકદમ શામળો હતો. તે બઈને મેં એક દા'ડો ખાનગીમાં પૂછયું, 'આ તારો ધણી શામળો છે, તે તારો ભાવ તેના પર સંપૂર્ણ રહે છે?' ત્યારે તેણે કહ્યું કે, 'મારા ધણી મને બહુ પ્રિય છે.' હવે આવો શામળો ધણી એને પ્રિય છે પણ ભગવાન તમને પ્રિય થઈ પડતો નથી! આય એક અજાયબી છે ને!
પછી આ પૂછે કે, મને મન એકાગ્ર કેમ થતું નથી? શાક લેવા જાય ત્યાં એકાગ્રતા કેવી રીતે થઈ જાય છે? આ તો અનુભવની વાતો છે. આ કંઈ ગપ્પું નથી. આ તો ભગવાનમાં 'ઇન્ટરેસ્ટ' જ નથી. તેથી એકાગ્રતા થતી નથી. આ તો ભગવાન પ્રત્યે આસક્તિ થઈ જાય તો ભગવાનમાં એકાગ્રતા રહે.
જ્યાં સુધી પૈસામાં 'ઇન્ટરેસ્ટ' હોય ત્યાં સુધી પૈસા પૈસા કરે અને ભગવાનમાં 'ઇન્ટરેસ્ટ' પેઠો એટલે પૈસાનો 'ઇન્ટરેસ્ટ' છૂટી જાય. એટલે 'ઇન્ટરેસ્ટ' તમારો ફરવો જોઈએ.
હવે ભગવાનમાં 'ઇન્ટરેસ્ટ' નથી, એમાં તમારો દોષ નથી. જે વસ્તુ જોઈ ના હોય, તેનાં પર 'ઇન્ટરેસ્ટ' કેવી રીતે બેસે? આ સાડીને તો આપણે દેખીએ, તેનાં રંગ-રૂપ દેખીએ એટલે તેના પર 'ઇન્ટરેસ્ટ' બેસે જ. પણ ભગવાન તો દેખાય નહીં ને? ત્યારે એવું કહ્યું કે, ભગવાનના પ્રતિનિધિ એવા જે 'જ્ઞાની પુરુષ' છે, ત્યાં તમારો 'ઇન્ટરેસ્ટ' બેસાડો. ત્યાં તે બેસી જશે અને એમની ઉપર 'ઇન્ટરેસ્ટ' બેઠો, એટલે તે ભગવાનને પહોંચ્યો જાણો.
જ્યાં કષાયો છે ત્યાં 'ઇન્ટરેસ્ટ' બેસે તો તે 'ઇન્ટરેસ્ટ' કષાયિક બેસે છે. એ કષાયિક પ્રતીતિ છે તે પ્રતીતિ તૂટી જાય પાછી, એટલે રાગથી બેસે ને દ્વેષથી છૂટે અને આ ભગવાનના પ્રતિનિધિ ઉપર 'ઇન્ટરેસ્ટ' રાગથી બેસે નહીં. એમની પાસે રાગ કરવા જેવું કશું હોય જ નહીં ને?
કે તમે જયારે તમારા પોતાના પૈસા લોકોના કે ભગવાન ના કામ માટે વાપરો છો ત્યારે તે પૈસાનો સદુપયોગ થયો એમ ગણાય છે?
subscribe your email for our latest news and events