અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
ઘણા લોકો માને છે કે સંપત્તિમાંથી સુખ મળશે, પરંતુ ઘણા સંપત્તિવાન લોકોના જીવનમાં શાંતિ નથી હોતી. અને તેઓ સતત, ખૂબજ તણાવમાં રહેતા હોય છે. બીજી બાજુ કેટલાક લોકો ખૂબજ ઓછો પગાર મેળવતા હોવા છતાં આશ્ચર્યજનક સુખ અને શાંતિ ભર્યું જીવન જીવતા હોય છે. આ વિસંગતતાની પાછળનું કારણ શું છે? આ કેવી રીતે શક્ય છે?
પરમ પૂજ્ય દાદાશ્રી કહેતા કે, જયારે કોઈ વ્યકિત પૂછે કે ‘મારે સુખ જોઈએ છે’ તો હું તેને કહેતો કે ‘પ્રામાણિકતા અને નૈતિકતાથી જીવન જીવજે.’ પ્રામાણિકતા એ ધર્મનો ઊંચામાં ઊંચો પ્રકાર છે, કારણ કે તે ભગવાનના સિદ્ધાંત પ્રમાણે છે. જો તમે પ્યોર વ્યક્તિ છો અને પ્રામાણિક જીવન જીવો છો, તો તમને તમારા કર્મોનું સારું ફળ મળશે. જો તમે અંદરથી પ્યોર હશો તો તમારુ જીવન સરળતાથી ચાલશે અને જો તમે અંદરથી અપ્રામાણિક હશો, તો તમારા જીવનમાં એવું પ્રતિબિંબ પડશે (ખરાબ પરિણામ આવશે). આ કુદરતનો નિયમ છે.
પરંતુ આ કાળમાં, જો આપણે પ્રામાણિક અને નૈતિક જીવન જીવીએ તો લોકો આપણો ફાયદો ઉઠાવશે. ખરુંને! જ્યારે આપણી આસપાસની દરેક વ્યક્તિ આપણને છેતરવા માંગતી હોય ત્યારે પ્રામાણિક અને ચોખ્ખા રહેવું, એ કેવી રીતે શક્ય છે? જ્યારે તમે અત્રે પરમ પૂજ્ય દાદાશ્રીએ અગોપિત કરેલ પ્રામાણિકતા અને પ્યોરિટી પાછળનું વિજ્ઞાન વાંચશો, ત્યારે આ પ્રશ્નોના જવાબ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો!
subscribe your email for our latest news and events