મનુષ્ય જીવનનો સાર
મનુષ્ય જીવનનો સાર શું? મનુષ્ય જીવનનો ધ્યેય શું હોવો જોઈએ? આત્મ સાક્ષાત્કાર પામવું અથવા પારકાના સુખ માટે જીવન જીવવું. વધુ વિગત જાણવા માટે નિહાળો આ વિડિયો...
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો05 જૂન |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
મન-વચન-કાયા પારકાને માટે વાપરવા એ જ મનુષ્ય જીવનનો ધ્યેય છે. સંશોધન એવું બતાવે છે કે, જે લોકો સતત બીજાને હેલ્પ કરે છે તેઓ ઓછો તણાવ અનુભવે છે, ઊચ્ચ કોટીની માનસિક તંદુરસ્તી માણે છે, આત્માની વધારે નજીક આવે છે. પોતાની પાસે જે છે તે માટે કૃતજ્ઞતા અનુભવે છે અને ચડસાચડસી ભરી સ્પર્ધામાં ઉતરતા નથી. જે આપણામાંથી મોટાભાગનાં લોકો માટે તણાવનું કારણ છે.
આની પાછળનું ગુહ્ય સાયન્સ શું છે કે, જે મન-વચન-કાયા પરોપકારમાં વાપરે છે તેને ત્યાં હરેક ચીજ હશે; તેને ત્યાં કયારેય ભૌતિક સગવડો અને સંસારી સુખોની કમી નહી થાય. ધર્મની શરૂઆત જ 'ઓબ્લાઈઝીંગ નેચર'થી થાય છે. બીજાને માટે કંઈ પણ કરો ત્યારથી જ પોતાને આનંદ શરૂ થાય છે.
મનુષ્ય જીવનનો ધ્યેય જન્મ-જન્માંતરનાં બંધનોને તોડી અને કર્મોનાં બંધનોમાંથી છૂટી આત્યંતિક મુકિતને (મોક્ષને) માટે છે. 'એબ્સોલ્યુટ'-કેવળ જ્ઞાની થવા માટે છે; પોતાની જાતનું-સેલ્ફનું રીયલાઈઝેશન પ્રાપ્ત કરવાને માટે છે અને જો આ 'એબ્સોલ્યુટ' થવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાની તક નાં મળે તો તું પારકાંના સારુ જીવજે.
દાદાશ્રીએ પોતાની આખી જિંદગીનો એ જ ધ્યેય રાખ્યો હતો કે મને ભેગો થયો તેને સુખ થવું જ જોઈએ. પોતાના સુખને માટે વિચાર સુધ્ધાં નહીં કરેલ, પણ સામાને શી અડચણ છે, એની અડચણ શી રીતે દૂર થાય એ ભાવનામાં જ નિરંતર રહેલા. અને ત્યારે જ એમને કારુણ્યતા પ્રગટી અને અદ્ભૂત આધ્યાત્મ વિજ્ઞાન (અક્રમ વિજ્ઞાન) પ્રગટ થયેલું.
પ્રસ્તુત સંકલનમાં, દાદાશ્રી તમામ દ્રષ્ટિકોણથી જીવનનો ધ્યેય કેવીરીતે સિધ્ધ કરવો, જે સેવા-પરોપકાર સહિત હોય, તેની સમજ સરળ- સચોટ દ્રષ્ટાંતો દ્વારા ફીટ કરાવે છે, જે જીવનમાં ધ્યેયરૂપે વણી લઈએ તો મનુષ્યપણાની સાર્થકતા થઈ કહેવાશે! જો કે સનાતન સુખની પ્રાપ્તિ તો માત્ર સેલ્ફ રીયલાઈઝેશન (આત્મજ્ઞાન) દ્વારા જ પ્રાપ્ત થશે.
subscribe your email for our latest news and events