Related Questions

મા સરસ્વતી શું સૂચવે છે?

મા સરસ્વતી એ જ્ઞાનના દેવી છે!

સરસ્વતી એટલે ‘ આત્મજ્ઞાન તરફ દોરી જાય તે’. તે સંસ્કૃત જોડાક્ષરથી બનેલો શબ્દ છે:

  1. સાર
  2. સ્વ એટલે પોતે
  3. તી એટલે એવી વ્યક્તિ

‘વાણી જે શુધ્ધ કરે છે’, તેમાંથી ‘જ્ઞાન જે શુધ્ધ કરે છે’ એ અર્થમાં આ શબ્દ આવેલ છે.

મા સરસ્વતીના પૂજાની ખરી વ્યાખ્યા કઈ?

આનો અર્થ એ છે કે કોઇ પણ રીતે વાણીનો દુરૂપયોગ ન કરવો જોઇએ અથવા સ્વાર્થ હેતુસર કોઇ પણ વાણી ન બોલવી જોઇએ.

જ્યારે તમે વાણીમાં આ નિયમોનું પાલન કરો છો, ત્યારે મા સરસ્વતી તમારા ઉપર રાજી થાય છે. તે તમારી વાણીને એવી શક્તિઓ આપે છે, કે જેથી તમારા બોલેલા શબ્દો ઇચ્છિત ફળ આપે અને જેને તમે કહો છો તેના માટે તે શબ્દો ખૂબ અસરકારક સાબિત થાય!

હાલમાં લોકોની વાણીમાં શા માટે કોઇ શક્તિ જ નથી તેનું કારણ તમે જાણો છો?

એનું કારણ એ છે કે લોકો વાણીના કાયદાનું પાલન કરતા નથી. ઉલટાનું તેઓ વાણીના કાયદાનું નીચેની રીતે ઉલ્લંઘન કરે છે:

  1. લોકોને, પ્રાણીને ડરાવવા માટે તેઓ વાણીનો ઉપયોગ કરે છે, ખોટું બોલે છે અને કપટ કરે છે. તેના પરિણામે વાણીની શક્તિ નાશ પામે છે.
  2. સ્વાર્થ હેતુ માટે જૂઠ્ઠું બોલે છે. જેના પરિણામે વાણી અને મન બન્ને બગડે છે.
  3. અંદર જે વિચારતા હોઇએ તેનાથી ઊંધું બોલવું, અથવા જે આપણે અંદર વિચારતા હોઇએ તેવું જ બહાર ન બોલી શકીએ.
  4. બીજાની મશ્કરી કરવી. આપણે એ ખ્યાલમાં રાખવું જોઇએ કે જ્યારે આપણે તેમનું અપમાન કરીએ છીએ ત્યારે તેમની અંદર રહેલા ભગવાનનું અપમાન થાય છે, તેના માટે આપણે ભવિષ્યમાં બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. તેથી, જ્યારે પણ તમે કોઇ સાથે બોલો ત્યારે અત્યંત સાવચેત રહો અને દરેક જીવની અંદર બિરાજેલા ભગવાનને આદર આપો.

વાણીની શક્તિ

વાણીની શક્તિ તમારી અંદર ત્યારે જ ઊભી થાય છે જ્યારે તમે:

  1. બીજાની મશ્કરી કરવા એક પણ શબ્દ ન વાપરો.
  2. તમારું માન વધારવા તમારી વાણી ન વાપરો.
  3. તમારી વાણીમાં કોઇ પણ જાતના કપટનો ઉપયોગ ન કરો.
  4. તમારા બોલેલા શબ્દોથી ક્યારેય ફરી ન જાઓ.
  5. જ્યારે તમે ફક્ત ને ફક્ત સત્ય જ બોલો, પરંતુ તે સમયે તમે સત્યનો આગ્રહ ન રાખો, જો તે સત્યથી સામાને દુ:ખ થતું હોય.
  6. બીજાને હિતકારી હોય તેવું સત્ય બોલો.
  7. શબ્દોને બિનજરૂરી રીતે વેડફી ન નાખો, તેના બદલે તો સામાને મદદરૂપ થઈ શકે તે રીતે યોગ્ય સ્થાને વાણી વાપરો.
  8. સ્વાર્થી સંસારી કોઇ હેતુ માટે તમારી વાણી ન વાપરો.

વાણી કે જેનો હેતુ બીજાને દુ:ખ પહોંચાડૅવાનો હોતો નથી તેવી વાણી બધા સ્વીકારે છે. તેથી એવા શબ્દો બોલો જેમાં કોઇ પ્રત્યે દુર્ભાવના ન હોય, માયાળુ શબ્દો બોલો, બધાને ખુશ રાખી શકે અને આવકારદાયક હોય તેવા શબ્દો બોલો, ધીમેથી બોલો, સુચનાત્મક ભાષા બોલો અને સત્ય વાણી બોલો, જેના ઉચ્ચારણથી સામાને ગુનેગાર ન ઠેરવી શકાય તેવા શબ્દો બોલો.

એવો દ્રઢ અને શુધ્ધ નિશ્ચય હંમેશા કરો કે સત્ય જ બોલવું છે, અને બીજું કંઇ નહિ. જો તમારે જૂઠ્ઠું બોલવાનું થાય તો હ્રદયપૂર્વક પસ્તાવો લો અને ભગવાન પાસે માફી માંગો.

સરસ્વતી દેવી પ્રત્યક્ષ હાજર છે!

તમે બધાએ, મંદિરમાં મૂર્તિના રૂપમાં, પુસ્તકમાં ચિત્રના સ્વરૂપે, અને શાસ્ત્રોના વર્ણનમાં દેવીના દર્શન કર્યા હશે. પરંતુ જીવતા સ્વરૂપે મા સરસ્વતી ને જોવાનો લ્હાવો તમને ક્યારેય મળ્યો છે? જ્યારે તમે વાણીના નિયમોનું પાલન કરો છો ત્યારે જ તમને દેવીના સાક્ષાત દર્શન કરવાનો લ્હાવો મળે છે, જેનાથી તમે ઓછા પ્રયત્ને અને વધુ ઉત્સાહથી મા સરસ્વતીને નિહાળી શકશો.

જીવંત સ્વરૂપમાં તમે મા સરસ્વતીને ક્યાં જોઇ શકશો?

જો તમે મા સરસ્વતીના વાસ્તવિક દર્શન કરવા ઇચ્છતા હોવ, તો તમે જ્ઞાની પુરૂષ, આત્મસાક્ષાત્કાર પામેલ વ્યક્તિની વાણીને સાંભળીને કરી શકો છો!

દેવી સરસ્વતી જે તમે ચિત્રમાં, પુસ્તકમાં અને શાસ્ત્રોમાં જૂઓ છો તે પરોક્ષ સ્વરૂપે છે. જ્યારે જ્ઞાનીની વાણી પ્રત્યક્ષ સરસ્વતી છે. દેવી સરસ્વતી જ્ઞાનીના બોલેલા શબ્દોમાં વસે છે.

જ્ઞાનીની વાણી સંપૂર્ણપણે જ્ઞાનથી ભરેલી હોય તે સાંભળવી જોઇએ. તેની વાણી બધાને સ્વીકાર્ય હોય છે, કારણ કે તે કોઇને દુ:ખ આપતા નથી કે કોઇના દ્રષ્ટિકોણને નીચે પાડતા નથી. તેની વાણીની શક્તિ એવી હોય છે કે જે અજ્ઞાનના આવરણને તોડી નાખે છે અને વાસ્તવિક્તાને, ખરેખર આપણે કોણ છે તેની સંપૂર્ણ સમજણ આપે છે. જ્ઞાનીના શબ્દોમાં ખૂબ જ શક્તિ હોય છે! આ શબ્દો સાક્ષાત સરસ્વતી ગણાય છે, માટે તેઓ આત્માનું સાચું મહત્વ સમજાવી શકે છે! અને આ કારણે જ લોકો જ્ઞાની ના દરેક શબ્દની પાછળ આફરીન થાય છે!

સરસ્વતી દેવીનો સાચો અર્થ

જ્ઞાની પુરૂષ દાદા ભગવાન દ્વારા તેમના અનુયાયીઓ સાથે દેવી સરસ્વતી ના વાસ્તવિક અર્થ વિશે થયેલી વાતચીતના અમુક અંશો નીચે મુજબ છે.

પ્રશ્નકર્તા: પ્રત્યક્ષ સરસ્વતી એટલે.... ‘મારી વાણી નહિ’. તો પછી તે વાણી કેવા પ્રકારની હોય?

દાદાશ્રી: માલિકી વગરની વાણી સરસ્વતી કહેવાય છે, અને આ જગતના લોકોની વાણી તો ‘મારી વાણી’ એવા માલિકી ભાવની હોય છે, અને તેથી, તે વિષયુક્ત હોય છે. જ્યાં જ્યાં ‘મારું’ રહેલું છે, ત્યાં ઝેર રહેલું છે. વિપરિત બુધ્ધિ આખા સંસારમાં ફરી વળેલ છે.

જ્ઞાની પુરૂષ આ જગતમાં ઘણા ભવોથી વાણીની ભૂલોને ચોખ્ખી કરતા આવ્યા હોય છે. તે એવી ‘રેકર્ડ’ લાવ્યા હોય છે, કે જેથી જગત કલ્યાણનું કાર્ય પૂર્ણ કરી શકે. માત્ર સાંભળવાથી જ શુધ્ધતા ઊભી થાય છે. જે વાણીમાં રાગ-દ્વેષ હોતા નથી તે વાણી લોકો માટે હિતકારી હોય છે. આ એવી વાણી હોય છે કે જેમાં કિંચિતમાત્ર પણ અહંકાર નથી હોતો.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિ પૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on