
સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે. વિદ્યા, જ્ઞાન અને કળાના ક્ષેત્રોમાં સરસ્વતી દેવીની આરાધના કરવામાં આવે છે.
સરસ્વતી માતાને રીઝવવા હોય, પ્રસન્ન કરવા હોય તો તેમના કાયદા પાળવા પડે. સરસ્વતી માતાના કાયદા શું છે?
વાણીના જે જે નિયમો કે કાયદા લાગુ પડે, તે પાળીએ તો સરસ્વતી માતા ખુશ રહે. વાણીનો દુરુપયોગ કરીએ, જૂઠું બોલીએ, પ્રપંચ કરીએ તો પછી સરસ્વતી દેવી કેમ રાજી થાય?
વાણીથી કોઈપણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન થાય. જો કોઈને દુઃખ થયું તો સમજવું કે માતાનો કાયદો ભંગ થયો. વાણીથી કોઈને દુઃખ થાય તો સરસ્વતી માતા રાજી ન થાય.
ઉપરાંત, અવળી વાણી બોલવી, કોઈની નિંદા-કૂથલી કરવી એ બધું સરસ્વતી માતાના કાયદા તોડે છે. કોઈ પણ સંત પુરુષ કે સત્પુરુષનો અવર્ણવાદ ન કરાય. મહાન પુરુષોનું અવળું ન બોલાય અને એમ કરીએ તો બહુ દોષ લાગે. તેમાંય જ્ઞાનીઓ વિશે અવળું બોલીએ તો મોક્ષમાર્ગે મોટા અંતરાય પડે.
સરસ્વતી માતાની આરાધના એટલે શું? વાણીનો કોઈપણ પ્રકારનો અપવ્યય ના થાય. અપવ્યય એટલે બધી જ રીતે વાણીનો દુરુપયોગ કરવો.
જૂઠું બોલવું, પ્રપંચ કરવા એ બધો વાણીનો અપવ્યય કહેવાય. થોડાક પૈસાનો નફો થતો હોય તેના માટે થઈને જૂઠું બોલીએ તો તે વાણીનો અપવ્યય કહેવાય. વાણીથી કોઈનો લાભ ઉઠાવીએ, કોઈનું નુકસાન થાય તો પણ વાણીનો દુરુપયોગ થયો કહેવાય, તેનાથી સરસ્વતી માતા રાજી ન થાય.
આ કાળમાં કોઈ મનુષ્યનું વચનબળ નથી રહ્યું તેનું શું કારણ? કારણ કે, વાણીના કાયદા નથી પાળ્યા. વાણીથી બીજાને ડરાવ્યા, ધમકાવ્યા હોય તો પણ વાણીનો દુરુપયોગ કર્યો કહેવાય. તેનાથી વચનબળ તૂટી જાય. જૂઠું બોલીને પોતાનો સ્વબચાવ કરે તેથી તો મન, વાણી બધું ફ્રેક્ચર થઈ જાય.
અત્યારે વચનબળ લુપ્ત થઈ ગયું છે. આજના વચનબળ કેવાં હોય? બાપ દીકરાને કહે કે, “ભાઈ, ઊભો થા તો?” ત્યારે દીકરો આડો થઈને સૂઈ જાય! પોતાનો જ દીકરો પોતાની વાત ના માને, એવું નબળું વચનબળ થઈ ગયું છે. કારણ કે વાણીનો ખોટો, અવળો ઉપયોગ થયો છે.
પહેલાના સમયમાં તો કહેતા કે ક્ષત્રિયોનું વચન એવું હોય કે બોલ્યા એટલે બોલ્યા, પછી પાળવું જ રહ્યું. આજકાલ કળિયુગમાં વચન તો દૂર રહ્યું, પણ આખો દસ્તાવેજ લખેલો હોય ને નીચે પોતે સહી કરી હોય તોય ફરી જાય કે, “સહી મારી ન હોય.” એ બધું પણ વાણીનો અપવ્યય કહેવાય.
જ્યારે વાણીનો કોઈ પણ જાતનો અપવ્યય ના થાય તો વચનબળ ઉત્પન્ન થાય. સત્ય બોલીએ અને પાછો સત્યનો આગ્રહ ના પકડી રાખીએ તો વચનબળ પાછું ઉત્પન્ન થાય.
સરસ્વતી માતાની આરાધના કરીને આપણે માંગવું કે મારી વાણી મધુરી હો, કોઈને દુઃખદાયી ન હો. ચારણ જાતિના લોકો સરસ્વતી માતાની મૂર્તિ કે ફોટાની ભજના કરે છે, તો તેમની વાણી કેટલી મીઠી હોય છે!
જ્ઞાની પુરુષની વાણી પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય છે. ફોટામાં કે પુસ્તકોમાં જે સરસ્વતી છે, એ પરોક્ષ સરસ્વતી છે. આગળ વધીને, જેમની અંદર પરમાત્મા પ્રગટ થયા છે તેમની વાણી આત્માને સ્પર્શીને નીકળે છે અને તે સાક્ષાત્ સરસ્વતી કહેવાય છે. આવી વાણી તમામ દુઃખોથી મુક્ત કરે છે અને આત્માને જગાડે છે.
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે?... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા... Read More
Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં... Read More
A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા... Read More
A. દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત... Read More
Q. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
A. ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે... Read More
subscribe your email for our latest news and events
