• question-circle
  • quote-line-wt

યોગ અને ધ્યાન, આત્મજ્ઞાન પ્રાપ્તિમાં (આત્માનુભવ પ્રાપ્ત કરવામાં) કેવી રીતે મદદ કરી શકે?

મંત્રોચ્ચાર, ધ્યાન, યોગ, ચક્રોનું ધ્યાન, ઉપવાસ, તપ, જ્યોતિબિંદુનું ધ્યાન, શ્વાસોચ્છવાસનું ધ્યાન, કુંડલીની યોગ આ બધા મન અને અંતરશત્રુઓને (કષાયોને) કાબુમાં રાખવાના સાધનો છે. આ બધા, માત્ર આત્મજ્ઞાન પ્રાપ્તિ થતાં સુધીનાં સાધનો છે.  આ બધા સાધનો અંતિમ ધ્યેય (સાધ્ય) નથી. આ બધામાં પ્રવૃત રહે તેટલા સમય સુધી વ્યકિતને સુખનો અનુભવ થાય છે અને જ્યારે તેમાંથી નિવૃત થાય ત્યારે પાછો પોતે હતો ત્યાંનો ત્યાં. મન જ્યારે નિરંતર કાબુમાં રહે, ત્યારે જ તેને ઉપચાર થયો કહેવાય છે.

નિર્વિકલ્પ સમાધિ એટલે મન-વચન-કાયાની ઉપાધિમાં પણ સંપૂર્ણ અસરમુક્ત દશા. માત્ર જ્ઞાનીઓ જ આવી સમાધિ દશામાં રહે છે, કે જ્યાં કોઈપણ માનસિક કે શારીરિક પરિસ્થિતિ એમને અસર કરતી નથી અથવા તો કોઈપણ સ્પંદન ઉત્પન્ન થતા નથી. આ ઉપરાંત, એકમાત્ર જ્ઞાની પુરુષ જ આત્માનું સાચું ધ્યાન તમને આપી શકે છે.

ચાલો, આપણે બધા અક્રમવિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રી ની કૃપાથી સાચુ ધ્યાન અને યોગની સમજણ પ્રાપ્ત કરીને પરમ આત્માનુભવને પામીએ.

યોગમાર્ગ - જ્ઞાનમાર્ગ

યોગમાર્ગથી તમને સંસારમાં સિદ્ધિ ઉત્પન્ન થાય છે, જ્ઞાનમાર્ગથી મોક્ષ ખુલ્લો થાય છે. યોગમાર્ગ અને જ્ઞાનમાર્ગ અંગેની વિશેષ સમજણ મેળવો આ વીડિયો દ્વારા.

play
previous
next

Top Questions & Answers

  1. Q. ધ્યાન અને યોગના વિવિધ પ્રકારો ક્યા ક્યા છે?

    A. પ્રશ્નકર્તા: યોગસાધના કરીએ તેનાથી વિકાસ થાય ને? દાદાશ્રી: પહેલાં આપણે નક્કી કરવું પડે કે યોગસાધના... Read More

  2. Q. શા માટે હું ધ્યાન કરી શકતો નથી અને એકાગ્રતા કેવી રીતે વધારવી?

    A. મન પર કાબૂએક ધ્યાનમાં હતા કે બે-ધ્યાનમાં હતા, એટલું જ ભગવાન પૂછે છે. હા તે બે-ધ્યાનમાં ન હતા. 'નથી... Read More

  3. Q. શું ધ્યાન મન પર નિયંત્રણ કરવામાં મદદ કરે છે?

    A. પ્રશ્નકર્તા: મન ઉપર કન્ટ્રોલ કેવી રીતે લાવી શકાય? દાદાશ્રી: મન પર તો કન્ટ્રોલ આવી શકે જ નહીં. એ તો... Read More

  4. Q. ધ્યાન કેવી રીતે કરવું? અને સાચા ધ્યાન (આધ્યાત્મિક ધ્યાન) વિષે સમજાવો.

    A. જગતના લોકો ધ્યાનમાં બેસે છે પણ ધ્યેય નક્કી કર્યું? ધ્યેયનો ફોટો જોઇ આવ્યો નથી, તો શેનું પાડાનું... Read More

  5. Q. મંત્ર ધ્યાનનાં શા ફાયદા છે?

    A. બોલો પહાડી અવાજે... આ મહીં મનમાં 'નમો અરિહંતાણં' ને બધું બોલે પણ ગોળ ગોળ બધું, મહીં મનમાં ચાલતું... Read More

  6. Q. ૐ અને ઓમકાર એટલે શું છે?

    A. ૐ ની યથાર્થ સમજ! પ્રશ્નકર્તા: દાદા, ૐ શું છે? દાદાશ્રી: નવકાર મંત્ર બોલે એકધ્યાનથી તેનું નામ ૐ... Read More

  7. Q. કુંડલિની ચક્ર એટલે શું? કુંડલિની જાગરણ વખતે શું થાય છે?

    A. કુંડલિની શું છે? પ્રશ્નકર્તા: 'કુંડલિની' જગાડે ત્યારે પ્રકાશ દેખાય એ શું છે? દાદાશ્રી: એ પ્રકાશને... Read More

  8. Q. શું યોગ (બ્રહ્મરંધ્ર) કરવાથી આયુષ્ય વધે?

    A. યોગથી આયુષ્યનું એકસ્ટેન્શન ?! પ્રશ્નકર્તા: હજારો-લાખો વર્ષો સુધી યોગથી માણસ જીવી શકે... Read More

  9. Q. શું યોગ સાધના (રાજયોગ) આત્મજ્ઞાન પ્ર્રાપ્ત કરવામાં મદદ કરી શકે?

    A. યોગસાધનાથી પરમાત્મદર્શન પ્રશ્નકર્તા: યોગસાધનાથી પરમાત્મદર્શન થાય? દાદાશ્રી: યોગસાધનાથી શું ના... Read More

Spiritual Quotes

  1. એટલે ધ્યેય નક્કી કરીએ ત્યાર પછી ધ્યાન એનું પરિણામ છે. 
  2. આ હિસાબ ચાર ધ્યાનના આધારે છે. જેવું ધ્યાન વર્તે તેવું ફળ આવે.
  3. જેટલાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન ઓછાં એટલી સંસારની અડચણો ઓછી હોય !
  4. મનના રોગ જાય તો પ્રકાશ થાય. મનના રોગ લોકોને ના સમજાય કે આ બાજુનું મન રોગી છે અને બાજુનું મન તંદુરસ્ત છે. આ મન તંદુરસ્ત થાય તો વાણી તંદુરસ્ત થાય, દેહ તંદુરસ્ત થાય.
  5. આત્મા પ્રાપ્ત થયો તે આત્મધ્યાન અને સંસારી ધ્યાનમાં ખીચડીનું ધ્યાન કરવાનું. 
  6. તો પછી મનને બિચારાને શું કામ વગર કામના હેરાન કરો છો ? એકાગ્રતા કરવાનો વાંધો નથી, પણ તમારે પરમાત્માનાં દર્શન કરવાં હોય તો મનને હેરાન કરવાની જરૂર નથી
  7. મંત્રો એ સનાતન વસ્તુ નથી. એક આત્મા સિવાય આ જગતમાં કોઈ વસ્તુ સનાતન નથી. બીજું બધું 'ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે ! ઓલ ધીઝ રીલેટિવ્ઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ ! 'પરમેનન્ટ' એક આત્મા એકલો જ છે. સનાતન વસ્તુમાં ચિત્ત બેસી ગયું, પછી એ ભટકે નહીં અને ત્યારે એની મુક્તિ થાય. 
  8. મેઇન-પ્રોડક્શન એટલે મોક્ષનું સાધન 'જ્ઞાની પુરુષ' પાસેથી પ્રાપ્ત કરી લે પછી સંસારનું બાય પ્રોડક્શન તો એની મેળે મફતમાં આવશે જ. બાય પ્રોડક્ટ માટે તો અનંત અવતાર બગાડયા દુર્ધ્યાન કરીને ! એક ફેર મોક્ષ પામી જા, તો તોફાન પૂરૂં થાય !
  9. પોતાના સ્વરૂપનું ધ્યાન એને ધ્યાન કહેવાય.
  10. યોગ બે પ્રકારનાં: એક જ્ઞાનયોગ એટલે કે આત્મયોગ અને બીજો અજ્ઞાનયોગ એટલે કે અનાત્મયોગ. અનાત્મયોગમાં મનોયોગ, દેહયોગ ને વણીયોગ સમાવિષ્ટ થાય. યોગ શેનો થાય? જેને જાણ્યો હોય તેનો કે જે અજાણ છે તેનો? જ્યાં સુધી આત્મ જાણ્યો ના હોય ત્યાં સુધી આત્મયોગ શી રીતે થાય? એ તો દેહને જાણ્યો તેથી દેહયોગ જ કેહવાય.
  11. અને નિર્વિકલ્પ સમાધિ દેહયોગથી ક્યારેય પણ પ્રાપ્ત ના થઇ શકે. વિકલ્પી નિર્વિકલ્પી ક્યારેય પણ ના થઇ શકે, એ તો આત્મજ્ઞાની સર્વજ્ઞપુરુષ નિર્વિકલ્પ દશાએ પહોંચાડી આપે ત્યારે જ નિર્વિકલ્પ થાય. પ્રગટ દીવો જ અન્ય દીવાને પ્રગટાવી શકે.
  12. પણ આપણે તો ધ્યાન, ધ્યાતા, ધ્યેય પૂરું થયું ને યોગનાં આઠેય અંગ પૂરાં કરીને લક્ષમાં આવ્યા. અત્યારે કહે તમને કે, 'ચાલો, ઊઠો, જમવા ચાલો', તો ત્યારેય તમે જ્ઞાતાદ્રષ્ટા ને પરમાનંદી રહો ને પછી કહે કે, 'તમારે અહીં જમવાનું નથી.' તો ય જ્ઞાતાદ્રષ્ટા ને પરમાનંદી રહેવાય તો એને શુકલધ્યાન કહ્યું.

Related Books

×
Share on