યોગમાર્ગ - જ્ઞાનમાર્ગ
યોગમાર્ગથી તમને સંસારમાં સિદ્ધિ ઉત્પન્ન થાય છે, જ્ઞાનમાર્ગથી મોક્ષ ખુલ્લો થાય છે. યોગમાર્ગ અને જ્ઞાનમાર્ગ અંગેની વિશેષ સમજણ મેળવો આ વીડિયો દ્વારા.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
મંત્રોચ્ચાર, ધ્યાન, યોગ, ચક્રોનું ધ્યાન, ઉપવાસ, તપ, જ્યોતિબિંદુનું ધ્યાન, શ્વાસોચ્છવાસનું ધ્યાન, કુંડલીની યોગ આ બધા મન અને અંતરશત્રુઓને (કષાયોને) કાબુમાં રાખવાના સાધનો છે. આ બધા, માત્ર આત્મજ્ઞાન પ્રાપ્તિ થતાં સુધીનાં સાધનો છે. આ બધા સાધનો અંતિમ ધ્યેય (સાધ્ય) નથી. આ બધામાં પ્રવૃત રહે તેટલા સમય સુધી વ્યકિતને સુખનો અનુભવ થાય છે અને જ્યારે તેમાંથી નિવૃત થાય ત્યારે પાછો પોતે હતો ત્યાંનો ત્યાં. મન જ્યારે નિરંતર કાબુમાં રહે, ત્યારે જ તેને ઉપચાર થયો કહેવાય છે.
નિર્વિકલ્પ સમાધિ એટલે મન-વચન-કાયાની ઉપાધિમાં પણ સંપૂર્ણ અસરમુક્ત દશા. માત્ર જ્ઞાનીઓ જ આવી સમાધિ દશામાં રહે છે, કે જ્યાં કોઈપણ માનસિક કે શારીરિક પરિસ્થિતિ એમને અસર કરતી નથી અથવા તો કોઈપણ સ્પંદન ઉત્પન્ન થતા નથી. આ ઉપરાંત, એકમાત્ર જ્ઞાની પુરુષ જ આત્માનું સાચું ધ્યાન તમને આપી શકે છે.
ચાલો, આપણે બધા અક્રમવિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રી ની કૃપાથી સાચુ ધ્યાન અને યોગની સમજણ પ્રાપ્ત કરીને પરમ આત્માનુભવને પામીએ.
subscribe your email for our latest news and events