અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
લક્ષ્મીજી ક્યાં વસે?
લક્ષ્મીજી શું કહે છે? જે એકસો જણને સીન્સિયર રહે છે ત્યાં મારો વાસ હોય છે. વાસ એટલે દરિયો ઊભરાય તેમ લક્ષ્મીજી આવે. જ્યારે બીજે બધે મહેનત જેટલું જ ફળ મળ્યા કરે. સીન્સિયર એટલે શું? કઈ રીતે સીન્સિયર કહેવાય? ત્યારે કહે, મનને ઓળખી લો. એની સીન્સિયારિટી કેવી છે, એનો વિસ્તાર કેવો છે તે ઓળખી લો.
મહેનતથી કમાતા નથી. આ તો મોટા મનવાળા કમાય છે. આ જે શેઠિયાઓ હોય છે તે શું મહેનત કરે છે? ના, એ તો રાજેશ્રી મનવાળા હોય છે. મહેનત તો એમનો મુનિમજી જ કર્યા કરે ને શેઠિયાઓ તો લહેર-પાણી કર્યા કરે.
મન તો દૈવી હોવું જોઈએ. દૈવી મન એટલે અપકારી ઉપર ઉપકાર કરે તે. સામો આપણું ખાઈ ગયો હોય ને ઉપરથી આપણને મૂરખ કહેતો હોય. પણ જ્યારે તે સંયોગોમાં સપડાય ત્યારે દૈવી મનવાળો જ એને મદદ કરે. દૈવી મનવાળો દેવગતિ બાંધે.
Reference: Book Excerpt: આપ્તવાણી ૧ (Page #76 - Paragraph #5, Page#77 - Paragraph #1 to Paragraph #2)
લક્ષ્મીજી
પ્રશ્નકર્તા: લક્ષ્મીજીના કાયદા શા છે?
દાદાશ્રી: લક્ષ્મીજી ખોટી રીતે લેવાય નહીં એ કાયદો. એ કાયદો જો તોડે એટલે પછી લક્ષ્મીજી કયાંથી રાજી રહે? પછી તું લાખ લક્ષ્મીજી ધો ને! બધાં ય ધૂએ છે. ત્યાં વિલાયતમાં લોકો લક્ષ્મીજીને ધૂએ છે?
પ્રશ્નકર્તા: ના, દાદા, ત્યાં તો કોઇ લક્ષ્મીજીને ધોતું નથી.
દાદાશ્રી: તો ય એ ફોરેનર્સને લક્ષ્મીજી આવે છે કે નહીં! એમ લક્ષ્મીજી ધોવાથી આવતી હશે? દહીમાં ય ધૂએ છે અહીં હિંદુસ્તાનમાં. લક્ષ્મીજીને બધા ય ધો ધો કરે છે ને કોઇ કાચા નથી. મને ય લોકો કહેવા આવે છે કે, 'તમે લક્ષ્મીજી ધોઇ કે નહીં?' મેં કહ્યું, 'શાના માટે?' આ લક્ષ્મીજી જયારે ભેગાં થાય છે ત્યારે અમે કહી દઇએ છીએ કે વડોદરે, મામાની પોળ, ને છઠ્ઠું ઘર, જયારે અનુકૂળ આવે ત્યારે પધારજો; અને જયારે જવું હોય ત્યારે જજો. તમારું જ ઘર છે. પધારજો, એટલું અમે કહીએ. અમે વિનય ના ચૂકીએ. અમે એવું ત્યાં આગળ ના કહીએ કે, 'અમારે એની જરુર નથી.'
લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક સાધુઓ, મહારાજો, બાવાઓ વગેરે લક્ષ્મીજીને દેખીને 'નહીં, નહીં' કરે છે. તેનાથી એમના કેટલાય અવતાર લક્ષ્મી વગર રખડી મરશે! તે મૂઆ, લક્ષ્મીજી ઉપર આવી તરછોડ ના કરીશ; નહીં તો અડવાય નહીં મળે. તરછોડ ના મરાય. કોઇ વસ્તુને તરછોડ મરાય એવું નથી. નહીં તો આવતા ભવે લક્ષ્મીજીનાં દર્શને ય કરવા નહીં મળે. આ લક્ષ્મીજીને તરછોડ મારે છે તો વ્યવહારને ધક્કો મારવા જેવું છે. આ તો વ્યવહાર છે. તેથી અમે તો લક્ષ્મીને આવતાં ય 'જય સચ્ચિદાનંદ' ને જતાં ય 'જય સચ્ચિદાનંદ' કરીએ છીએ. આ ઘર તમારું છે, જયારે અનુકૂળ આવે ત્યારે પધારજો, એમ વિનંતી કરવાની હોય. લક્ષ્મીજી કહે છે, 'આ શેઠિયા અમારી પાછળ પડયા છે તે એમના પગ છોલાઇ ગયા છે. તે પાછળ પડે છે ત્યારે બે-ચાર વખત પડી જાય છે, ત્યારે પાછા મનમાં એમ ભાવ કરે છે કે બળ્યું આમાં તો ઢીંચણ છોલાય છે પણ ત્યારે તો અમે ફરી ઇશારો કરીએ છીએ ને ફરી પેલો શેઠિયો ઊભો થઇને દોડે છે. એટલે એમને અમારે માર માર કરવાના છે. એમને બધે છોલીને લોહી-લુહાણ કરી નાખવા છે. એમને સોજા ચઢયા છે છતાં સમજણ નથી ખૂલતી!' બહુ પાકાં છે લક્ષ્મીજી તો!
પરમ પૂજ્ય દાદાશ્રી હંમેશા કહેતા, “વેપારમાં ધર્મ ઘટે પણ ધર્મમાં વેપાર ન ઘટે.” વેપારમાં પ્રામાણિકતા અને પૈસાનો વ્યવહારની જાણકારી પ્રાપ્ત કરવા માટેઅહીં ક્લીક કરો.
A. તમે ભગવાનની શોધમાં છો. તમ ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિષે જાણવા માંગો છો. તમે ભગવાનનું સાચું સરનામું (એડ્રેસ) જાણવા માંગો છો, પરંતુ સૌથી...Read More
A. આ જગતમાં, જો તમે એન્જીનીયરિંગ ભણ્યા હોય તો, લોકો તમને એન્જીનીયર કહેશે; અને જો તમે દર્દીનું નિદાન, દવા લખો અને સારવાર કરો તો, લોકો તમને ડૉક્ટર કહેશે, શું...Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. શું તેઓ સ્વર્ગમાં છે? શું તેઓ આકાશમાં છે?મંદિર માં છે? આપણાં હદયમાં છે? કે પછી કોઈ બીજી જગ્યા એ છે? ભગવાનનું સાચું સરનામું નહીં જાણવાથી, આપણે તેમની કલ્પના...Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળી છીએ ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે બનાવ્યું હશે?’ આપણને કહેવામાં આવ્યું છે કે ‘ભગવાનને આ જગત...Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. ખરી હકીકતમાં ગોડ ઈઝ નોટ ક્રીએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ! જો આપણે કહીએ કે, ભગવાન કર્તા છે, તો પછી ઘણા પ્રશ્નો ઊભા થાય છે, કે જેના કોઈ જવાબ નથી મળતા, જેવા...Read More
Q. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
A. એવી ધાર્મિક માન્યતા છે કે: 'બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ભેગા મળીને આ જગત બનાવ્યું. બ્રહ્મા સર્જનકર્તા, વિષ્ણુ પાલનપોષણ કરતાં અને મહેશ વિનાશ કરનાર છે.’ તો...Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ એ અદ્ભૂત હાજરા-હજૂર ભગવાન વિષે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ સ્પષ્ટતા સાથે સમજીએ… શું તમે જાણો છો કે શુદ્ધાત્મા એ...Read More
Q. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
A. પ્રાર્થના એ ભગવાન સાથે કનેક્ટ (અનુસંધાન) કરવાનું એક માધ્યમ છે અને તમે ભગવાન પાસેથી શકિતઓ પણ મેળવી શકો છો. પ્રાર્થના, આપણા સર્વાંગી વિકાસ (પ્રગતિ) માટે...Read More
Q. શું ભગવાન બધા પાપોની ક્ષમા આપી શકે? સાચુ સુખ શું છે?
A. પાપોનું પ્રાયશ્ચિત પ્રશ્નકર્તા: આપણે કરેલાં પાપો ભગવાનના મંદિરમાં જઈને દર રવિવારે કબૂલ કરી દીધાં હોય તો પછી પાપ માફ થઈ જાય ને? દાદાશ્રી: એવાં જો પાપ...Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે સંપાદિત કરવો?
A. ભગવત્ પ્રેમની પ્રાપ્તિ! પ્રશ્નકર્તા: તો ઈશ્વરનો પરમ, પવિત્ર, પ્રબળ પ્રેમ સંપાદન કરવા શું કરવું જોઈએ? દાદાશ્રી: તમારે ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરવો...Read More
Q. ભગવાનમાં એકાગ્રતા કેવી રીતે વધારવી?
A. ઈન્ટરેસ્ટ ત્યાં જ એકાગ્રતા પ્રશ્નકર્તા: દાદા, મને ભગવાનમાં એકાગ્રતા રહેતી નથી. દાદાશ્રી: તમે શાક લેવા કે સાડી લેવા જાવ, તેમાં એકાગ્રતા રહે છે કે...Read More
Q. શું મૂર્તિપૂજા કે દર્શન જરૂરી છે?
A. મૂર્તિ, એ ય પરોક્ષ ભક્તિ! પ્રશ્નકર્તા: એક સંત કહે છે કે આ જે જડ વસ્તુઓ છે, મૂર્તિ-ફોટા, એનું અવલંબન લેવાનું ના હોય. તમારી નજર સામે જીવતા દેખાય, તેનું...Read More
A. આત્મા: સગુણ - નિર્ગુણ કેટલાક લોકો ભગવાનને નિર્ગુણ કહે છે. અલ્યા, ભગવાનને ગાળ શું કામ દે છે? આ ગાંડાને પણ નિર્ગુણી કહે છે, તે ગાંડાને નિર્ગુણી શી રીતે...Read More
Q. ભગવાન પદની પ્રાપ્તિ કેવી રીતે કરવી?
A. ભૂલ વગરનું દર્શન ને ભૂલવાળું વર્તન! પોતાની ભૂલ પોતાને જડે એ ભગવાન થાય. પ્રશ્નકર્તા: આ રીતે કોઈ ભગવાન થયેલો? દાદાશ્રી: જેટલા ભગવાન થયેલા એ બધાયને પોતાની...Read More
A. બ્રહ્માંડનો માલિક કોણ? આ બ્રહ્માંડનો દરેક જીવ બ્રહ્માંડનો માલિક છે. માત્ર પોતાનું ભાન નથી તેથી જ જીવડાની જેમ રહે છે. પોતાના દેહની માલિકીનો જેને દાવો નથી...Read More
Q. અંબામાતા અને દુર્ગા દેવી કોણ છે?
A. સહજ પ્રાકૃત શક્તિ દેવીઓ અંબામાતા, દુર્ગાદેવી એ બધી દેવીઓ પ્રકૃતિ ભાવ સૂચવે છે. તે સહજતા સૂચવે છે. પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થાય અથવા આત્મા સહજ થાય...Read More
A. સરસ્વતી પ્રશ્નકર્તા: સરસ્વતી દેવીના કાયદા શા છે? દાદાશ્રી: સરસ્વતી એટલે વાણીના હિસાબના જે જે કાયદા લાગુ પડે તે પાળીએ તો સરસ્વતી દેવી ખુશ રહે. વાણીનો...Read More
subscribe your email for our latest news and events