આત્મહત્યાને રોકવાની વૈજ્ઞાનિક સમજણ

ધારો કે કોઈ તમારું નાક દબાવે, તો આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? તમે શ્વાસ લેવાનો પ્રયત્ન છોડતા નથી, તમારે સંઘર્ષ કરવો પડે તો પણ તમે ઉપાય ખોળી કાઢશો. એવી જ રીતે, જ્યારે તમે આંતરિક દુ:ખનો (ભોગવટો) અનુભવ કરો છો ત્યારે તેને કદી ગુપ્ત (મૌન) ના રાખવું અને હિંમત ના હારવી. આવી પડેલી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો અને ક્યાંકથી સુખની પ્રાપ્તિનો માર્ગ ખોળી કાઢવો.

જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા જ કરે છે. એવી જ રીતે સુખ પછી દુઃખ

એમ આવ્યા જ કરે છે. જ્યારે તમે કોઈ વસ્તુ/વ્યક્તિને વધારે મહત્વ આપો છો, તો તમારું જીવન ફક્ત તે પ્રાપ્ત કરવા પાછળ વિતી જાય છે. જો તમે તેને પ્રાપ્ત કરવામાં અસમર્થ થાવ છો, તો પછી તમે તમારા આંતરિક અશાંતિમાં બળી જાઓ છો જેથી તમારા કિંમતી જીવનનું મૂલ્ય ભૂલી જાવ છો. વાસ્તવિકતામાં, મુશ્કેલીઓ જીવનમાં આપણને વધુ મજબૂત બનાવવા માટે આવે છે અને જાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રી બધાને કહેતા હતા કે, “આપઘાત કરવાનું મન થાય ત્યારે મને યાદ કરજે ને મારી પાસે આવજે. એવા માણસ હોય ને, જોખમવાળા માણસ, એમને કહી રાખું. તે મારી પાસે આવે, તેને સમજ પાડી દઉં. તે પછી બીજે દહાડે આપઘાત કરતો બંધ થઈ જાય. ” 

જો કોઈ આત્મહત્યા કરવા માંગે છે અને જયારે તેઓ પૂજ્ય દીપકભાઇ પાસે આવે છે, ત્યારે તેઓને આત્મહત્યા રૂપી કર્મોનાં કારણો અને આત્મહત્યા કર્યા પછીના ગંભીર પરિણામો સમજાવશે. આ પ્રકારે અધ્યાત્મિક સ્પષ્ટીકરણથી તેમના મનમાં પરિવર્તન આવશે અને આત્મહત્યા તરફની તેમની આંતરિક વૃત્તિ અટકી જશે.

રાહ ન જુઓ! આવીને પૂજ્ય દીપકભાઇને મળો અને આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન દ્વારા તમારા પોતાનું અથવા બીજા કોઈ વ્યક્તિનું જીવન બચાવો.

आत्महत्या

किसी व्यक्ति को आत्महत्या कभी नहीं करनी चाहिए| बल्कि, उस व्यक्ति को ज्ञानी पुरुष से आशीर्वाद लेकर एक नए और सही मार्ग पर जीवन जीना चाहिए|

play
previous
next

Top Questions & Answers

  1. Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?

    A. આપણા આસપાસના સંજોગો, આપણું ચારિત્ર્ય અને લોકો સાથેના આપણા સંબંધો પર, આપણી આજની લાગણીઓ આધાર રાખે છે.... Read More

  2. Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?

    A. દુર્ભાગ્યે, આત્મહત્યાના વિચારો વધુને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત દબાણ હેઠળ, કેટલાક... Read More

  3. Q. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?

    A. દુ:ખદ રીતે, પ્રેમીઓ પોતાનો એકત્ર થવાનો ધ્યેય પૂરો કરી શકતા નથી ત્યારે સામાજિક, રાજકીય અથવા... Read More

  4. Q. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?

    A.   કિશોરાવસ્થાના છોકરાઓ અને છોકરીઓ માટે કિશોરવયના વર્ષો ખાસ કરીને ચિંતાજનક અને બેચેનીભર્યા સમય... Read More

  5. Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?

    A. જીવનની દરેક વસ્તુમાં કારણ અને તેના પરિણામ હોય છે. તેથી જ કોઈપણ વ્યક્તિ કે જેને આત્મહત્યાના... Read More

  6. Q. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?

    A. વર્તમાન સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં દુ:ખ અને ભોગવટો છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં, ખૂબ જ દુ:ખ... Read More

  7. Q. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?

    A. જો તમને એવું લાગે કે, કોઈને આત્મહત્યાના ભાવ ઉભા થવાનું કારણ તમે બન્યા છો, તો તમારે પહેલા તમારા... Read More

  8. Q. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?

    A. કોઈક સમયે, આપણે બધાએ આત્મહત્યા સંબંધી નકારાત્મક (નેગેટીવ) વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને પણ... Read More

  9. Q. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.

    A. હૃદય તૂટી જવું ખૂબ પીડાદાયક બની રહે છે. ત્યારે એવો અનુભવ થાય કે જાણે આપણી દુનિયામાં ધરમૂળથી (ઉલ્ટી)... Read More

  10. Q. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.

    A. જાણ્યે અજાણ્યે, પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતાના સમયમાંથી પસાર થાય છે. કોઈ કાયમી સફળતા... Read More

  11. Q. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’

    A. આપણા જીવન દરમ્યાન, આપણે સારા અને ખરાબ એવા બે કાળચક્રમાંથી પસાર થઈએ છીએ અને અંતે કેટલાક એવા નિર્ણય... Read More

  12. Q. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.

    A. જ્યારે તમે તમારી જાતને નોકરી વિના, દેવું ચુકવવાનું હોય અને તમારી હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો... Read More

  13. Q. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?

    A. કોઈ પ્રિયજનની ખોટનો સામનો કરવો એ એક મુશ્કેલ પડકાર સાબિત થઈ શકે છે. જ્યારે તમે તમારા જીવનસાથી અથવા... Read More

  14. Q. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?

    A. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની ચિંતા એ તમારી ભાવનાત્મક અને માનસિક સ્થિતિ પર જબરદસ્ત અસર લાવી શકે... Read More

  15. Q. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?

    A. લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘મને અપ્રશંસનીય લાગે છે’, ગેરસમજ થવાથી ‘કોઈ... Read More

  16. Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.

    A. આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય... Read More

  17. Q. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?

    A. લોકો જયારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણજનક, તણાવ અને દુઃખદાયક... Read More

  18. Q. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.

    A. જીવનમાં જે વ્યક્તિની તમે ખુબ જ નજીક છો અને જે હતાશાના (ડીપ્રેશન)ના લક્ષણોનો સામનો કરી રહ્યા છે અથવા... Read More

  19. Q. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?

    A. આધ્યાત્મિક વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનના માર્ગ દ્વારા, તમે ગંભીર હતાશાના લક્ષણો, આત્મહત્યાના વિચારો અને... Read More

  20. Q. આપઘાતનાં પરિણામો કયા છે?

    A. પ્રશ્નકર્તા : કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય ? ભૂતપ્રેત થાય ? દાદાશ્રી : આપઘાત કરવાથી તો... Read More

  21. Q. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?

    A. પ્રશ્નકર્તા :આ છેલ્લા કલાકમાં અમુક લામાઓને અમુક ક્રિયાઓ કરાવે છે. જ્યારે મરણ પથારીએ માણસ હોય છે... Read More

Spiritual Quotes

  1. એટલે આ કોઈ ખોટા સંસ્કાર પડવા ના દેશો. ખોટા સંસ્કારથી દૂર ભાગજો.
  2. સહજ વિચાર બંધ થઈ જાય ત્યારે આ બધા ઊંધા વિચાર આવે. વિકલ્પ બંધ થાય એટલે જે સહજ વિચાર આવતા હોય તે પણ બંધ થઈ જાય, અંધારું ઘોર થઈ જાય, પછી કશું દેખાતું નથી!
  3. હા, અહીં ગમે એટલું દુઃખ હોય તો તે સહન કરજો પણ ગોળી ના મારશો, આપઘાત ના કરશો.
  4. આત્મહત્યાનું રૂટ તો એવું હોય છે કે એણે કોઈ અવતારમાં આત્મહત્યા કરી હોયને તો એના પડઘા સાત અવતાર સુધી રહ્યા કરે.
  5. ઉદ્વેગ એટલે વેગ ઊંચે ચઢ્યો, અહીં મગજમાં ચઢી જાય અને પછી પડતું નાખે.

Related Books

×
Share on