અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
ભૂલ વગરનું દર્શન ને ભૂલવાળું વર્તન!
પોતાની ભૂલ પોતાને જડે એ ભગવાન થાય.
પ્રશ્નકર્તા: આ રીતે કોઈ ભગવાન થયેલો?
દાદાશ્રી: જેટલા ભગવાન થયેલા એ બધાયને પોતાની ભૂલ પોતાને જડેલી અને ભૂલને ભાંગેલી તે ભગવાન જ થયેલા. એ ભૂલ રહે નહીં એવી રીતે ભૂલને ભાંગી નાખે. બધી ભૂલો દેખાય, એક એવી ભૂલ ન હતી કે ના દેખાઈ હોય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવી બધી જ ભૂલ દેખાય. અમને ય અમારી પાંચ-પચાસ ભૂલ તો રોજ દેખાય અને તે ય સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભૂલો દેખાય, જે લોકોને નુકસાનકારક કશું ય ના હોય. આ બોલતાં બોલતાં કોઈનું અવર્ણવાદ બોલી જવાય, તે ય ભૂલ કહેવાય. એ તો પાછી સ્થૂળ ભૂલ કહેવાય.
હવે ભૂલ કોને દેખાય? ત્યારે કહે, ભૂલ વગરનું એનું ચારિત્ર, શ્રધ્ધામાં છે પોતાને! હા, અને ભૂલવાળું વર્તન, વર્તનમાં છે, એને ભૂલ દેખાય. ભૂલ વગરનું ચારિત્ર એની શ્રધ્ધામાં હોય, ભૂલ વગરનું ચારિત્ર સંપૂર્ણ દર્શનમાં હોય અને ભૂલવાળું વર્તન એના વર્તનમાં હોય, તો એને અમે છૂટો થયેલો કહીએ છીએ. ભૂલવાળું વર્તન ભલે રહ્યું. પણ એનાં દર્શનમાં શું છે?
એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ રહિતનું ચારિત્ર કેવું હોવું જોઈએ? એ મહીં દર્શનમાં હોવું જોઈએ. દર્શનમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ ન રહે એવું દર્શન હોવું જોઈએ, તો જ ભૂલ દેખાઈ જાયને?! દેખનારો 'ક્લીયર' હોય તો જ દેખી શકે. તેથી અમે કહીએ છીએને કે ૩૬૦° વાળા જે ભગવાન છે ને તે સંપૂર્ણ 'ક્લીયર' (ચોખ્ખા) છે અને અમારું 'અનક્લીયરન્સ' દેખાડે છે. આ જ્ઞાન મળ્યા પછી બધાંને 'બે' તો થાય જ. પેલામાં પણ 'બે' હોય છે. જેને જ્ઞાન ના મળ્યું હોય, તેને ય 'બે' હોય છે અને આ પણ 'બે' હોય છે.
આ જ્ઞાન પછી અંદર ને બહાર જોઈ શકે. તે અંદર ભૂલ વગરનું ચારિત્ર આ છે, એવું એ દર્શનમાં જોઈ શકે! અને ભૂલ વગરનું ચારિત્ર જેટલું એનાં દર્શનમાં ઊંચું ગયું, એટલી છે તે ભૂલો એને દેખાય. મહીં જેટલું ટ્રાન્સ્પરન્ટ (પારદર્શક) ને ક્લીયર થયું, અરિસો શુધ્ધ થયો કે તરત મહીં દેખાય. એમાં ઝળકે ભૂલો! તમારે ભૂલો ઝળકે છે કે મહીં?
પ્રશ્નકર્તા: દેખાય છે. ભૂલ વગરનું ચારિત્ર જેનાં દર્શનમાં હોય અને ભૂલવાળું ચારિત્ર જેનાં વર્તનમાં હોય એટલે દેખાય?
દાદાશ્રી: એટલે તરત ખબર પડે કે પેલું ભૂલ વગરનું. એટલે ભૂલ વગરનું ચારિત્ર દર્શનમાં હોય, તે કહી આપે કે આ ભૂલ થઈ.
A. તમે ભગવાનની શોધમાં છો. તમ ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિષે જાણવા માંગો છો. તમે ભગવાનનું સાચું સરનામું (એડ્રેસ) જાણવા માંગો છો, પરંતુ સૌથી...Read More
A. આ જગતમાં, જો તમે એન્જીનીયરિંગ ભણ્યા હોય તો, લોકો તમને એન્જીનીયર કહેશે; અને જો તમે દર્દીનું નિદાન, દવા લખો અને સારવાર કરો તો, લોકો તમને ડૉક્ટર કહેશે, શું...Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. શું તેઓ સ્વર્ગમાં છે? શું તેઓ આકાશમાં છે?મંદિર માં છે? આપણાં હદયમાં છે? કે પછી કોઈ બીજી જગ્યા એ છે? ભગવાનનું સાચું સરનામું નહીં જાણવાથી, આપણે તેમની કલ્પના...Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળી છીએ ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે બનાવ્યું હશે?’ આપણને કહેવામાં આવ્યું છે કે ‘ભગવાનને આ જગત...Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. ખરી હકીકતમાં ગોડ ઈઝ નોટ ક્રીએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ! જો આપણે કહીએ કે, ભગવાન કર્તા છે, તો પછી ઘણા પ્રશ્નો ઊભા થાય છે, કે જેના કોઈ જવાબ નથી મળતા, જેવા...Read More
Q. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
A. એવી ધાર્મિક માન્યતા છે કે: 'બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ભેગા મળીને આ જગત બનાવ્યું. બ્રહ્મા સર્જનકર્તા, વિષ્ણુ પાલનપોષણ કરતાં અને મહેશ વિનાશ કરનાર છે.’ તો...Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ એ અદ્ભૂત હાજરા-હજૂર ભગવાન વિષે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ સ્પષ્ટતા સાથે સમજીએ… શું તમે જાણો છો કે શુદ્ધાત્મા એ...Read More
Q. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
A. પ્રાર્થના એ ભગવાન સાથે કનેક્ટ (અનુસંધાન) કરવાનું એક માધ્યમ છે અને તમે ભગવાન પાસેથી શકિતઓ પણ મેળવી શકો છો. પ્રાર્થના, આપણા સર્વાંગી વિકાસ (પ્રગતિ) માટે...Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. જો કોઈ વ્યક્તિ આજે ચોરી કરતો હોય તો, ચોરી કરવાની તેની ક્રિયા એ દેખીતું કર્મ છે. આ કર્મનું ફળ આ જ જીવનમાં એની મેળે જ આવશે; તેનો અપયશ થશે અને સજા થશે....Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ કરે છે; ભગવાન સર્વ શક્તિમાન છે, તેઓ આપણું રક્ષણ કરવા...Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે સંપાદિત કરવો?
A. ભગવત્ પ્રેમની પ્રાપ્તિ! પ્રશ્નકર્તા: તો ઈશ્વરનો પરમ, પવિત્ર, પ્રબળ પ્રેમ સંપાદન કરવા શું કરવું જોઈએ? દાદાશ્રી: તમારે ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરવો...Read More
Q. ભગવાનમાં એકાગ્રતા કેવી રીતે વધારવી?
A. ઈન્ટરેસ્ટ ત્યાં જ એકાગ્રતા પ્રશ્નકર્તા: દાદા, મને ભગવાનમાં એકાગ્રતા રહેતી નથી. દાદાશ્રી: તમે શાક લેવા કે સાડી લેવા જાવ, તેમાં એકાગ્રતા રહે છે કે...Read More
Q. શું મૂર્તિપૂજા કે દર્શન જરૂરી છે?
A. મૂર્તિ, એ ય પરોક્ષ ભક્તિ! પ્રશ્નકર્તા: એક સંત કહે છે કે આ જે જડ વસ્તુઓ છે, મૂર્તિ-ફોટા, એનું અવલંબન લેવાનું ના હોય. તમારી નજર સામે જીવતા દેખાય, તેનું...Read More
A. આત્મા: સગુણ - નિર્ગુણ કેટલાક લોકો ભગવાનને નિર્ગુણ કહે છે. અલ્યા, ભગવાનને ગાળ શું કામ દે છે? આ ગાંડાને પણ નિર્ગુણી કહે છે, તે ગાંડાને નિર્ગુણી શી રીતે...Read More
A. બ્રહ્માંડનો માલિક કોણ? આ બ્રહ્માંડનો દરેક જીવ બ્રહ્માંડનો માલિક છે. માત્ર પોતાનું ભાન નથી તેથી જ જીવડાની જેમ રહે છે. પોતાના દેહની માલિકીનો જેને દાવો નથી...Read More
Q. અંબામાતા અને દુર્ગા દેવી કોણ છે?
A. સહજ પ્રાકૃત શક્તિ દેવીઓ અંબામાતા, દુર્ગાદેવી એ બધી દેવીઓ પ્રકૃતિ ભાવ સૂચવે છે. તે સહજતા સૂચવે છે. પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થાય અથવા આત્મા સહજ થાય...Read More
A. સરસ્વતી પ્રશ્નકર્તા: સરસ્વતી દેવીના કાયદા શા છે? દાદાશ્રી: સરસ્વતી એટલે વાણીના હિસાબના જે જે કાયદા લાગુ પડે તે પાળીએ તો સરસ્વતી દેવી ખુશ રહે. વાણીનો...Read More
Q. લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. લક્ષ્મીજી ક્યાં વસે? લક્ષ્મીજી શું કહે છે? જે એકસો જણને સીન્સિયર રહે છે ત્યાં મારો વાસ હોય છે. વાસ એટલે દરિયો ઊભરાય તેમ લક્ષ્મીજી આવે. જ્યારે બીજે બધે...Read More
subscribe your email for our latest news and events