ચિંતાથી મુક્તિ
ચિંતા માત્ર માનસિક સ્તર સુધી જ સીમિત નથી પણ શારીરિક પણ ઘણી બધી તકલીફ આપણા માટે ઊભી કરે છે. જે કાંઈ જ્ઞાનના ઉપાય કરવાથી ચિંતા ઓછી થાય એ આપણા માટે કામનું.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
ચિંતા ખરેખર શું છે? આ ચિંતા શાથી થાય છે? ચિંતાનું પરિણામ શું? અને ચિંતારહિત શી રીતે થવાય? એની યથાર્થ સમજણ પરમ પૂજ્ય દાદાશ્રીએ બતાવી છે જે અત્રે પ્રશ્નોત્તરી અને આપ્તસૂત્રનાં સ્વરૂપમાં આપેલ છે.
ચિંતા કરે તે કાર્ય બગડે એવો કુદરતનો નિયમ છે. ચિંતામુક્ત થવાથી તે કાર્ય સ્વયં સુધરી જાય !
મોટા માણસોને મોટી ચિંતા, એરકંડીશનમાં ય ચિંતાથી રેબઝેબ હોય ! મજૂરોને ચિંતા ના હોય, નિરાંતે ઊંઘે ને આ શેઠિયાઓને ઊંઘની ગોળીઓ ખાવી પડે ! ચિંતાવાળાને ત્યાં લક્ષ્મી ના ટકે.
ચિંતા કોને કહેવાય? વિચાર કરવાનો વાંધો નથી. પણ વિચારો વમળે ચઢે એટલે ચિંતા શરૂ થાય. વિચારોનો આમળો થવા માંડે એટલે ત્યાં બંધ કરી દેવું અને મનને બીજા કામે લગાડી દેવું.
ખરેખર કર્તા કોણ છે? તે સમજાવાથી ચિંતારહિત થઈ શકાય..... આગળ વાંચો અને ચિંતામુક્ત થઈ જાઓ....
subscribe your email for our latest news and events