મનનું સ્વરૂપ શું છે?
મન અસંખ્ય ગાંઠોનું બનેલું છે. તેમાં આવતા વિચારો દ્વારા મનનું સ્વરૂપ સમજી શકાય છે. તો એમાં આવતા વિચારો સામે કેવી રીતે વર્તવું એ જાણો પૂજ્ય નીરુમા દ્વારા.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
જ્યારે મનની વાત આવે છે ત્યારે આપણા બધાના મનમાં એક જ ધ્યેય હોય કે-‘હું કેવી રીતે મારા મનને સ્થિર કરું?’ તેના માટે આપણામાંના ઘણા લોકો મનને નિયંત્રણ કરવાની કળાઓનો અભ્યાસ અને તેનો ઉપયોગ કરીને આશા રાખે છે કે આ ઉપાયો આપણને નેગેટીવ વિચારોમાંથી મુક્તિ અપાવશે. જ્યારે કેટલાક લોકો મનને કાબુમાં રાખવાનો રસ્તો શોધતા હોય છે, જોકે મનને અથવા વિચારો ને કાબુ કરવા માટે, આપણે પહેલા મનનું વિજ્ઞાન અથવા તો મન કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજવુ પડશે.
અસંખ્ય ગાંઠોનું બનેલું મન, પોતે સારું કે ખરાબ હોતું નથી. મનનું કાર્ય, તેનો ધર્મ વિચારવાનો છે, તો આપણો ધર્મ વિચારોમાં તન્મયાકાર થયા વિના તેને વિચારવા દેવાનો છે. મન એ સ્પ્રિંગ જેવુ છે. જો તમે તેને દબાવશો તો તે સામું ઉછળશે અને વધારે બેચેની અને ભોગવટો આપશે. તેથી વિચારોને દબાવી દેવા તે સાચો રસ્તો નથી, તો પછી તમે તમારા મન અથવા બેચેની લાવનાર વિચારોનો ઉકેલ કેવી રીતે લાવશો?
આપણું મન કોઈ પણ અંતરાય કે મુશ્કેલીનું કારણ ન બને, તેને માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ મન વિશે સંપૂર્ણ ફોડ પાડ્યો છે. તેઓશ્રી હંમેશા કહેતા કે લોકોએ મન સાથે કેવી રીતે વર્તવુ તે શીખવું જોઈએ, જેથી તે આપણને કોઈ મુશ્કેલીમાં ન મૂકી શકે કે આપણા મોક્ષના અંતિમ ધ્યેયને બાધક ન બની શકે. તેમના કહેવા મુજબ, મન જ આપણને મોક્ષે લઈ જશે. જો કે તેના માટે દરેક વ્યકિતએ મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી તે જાણવુ પડે.
મનનો ઉકેલ લાવવાની વૈજ્ઞાનિક રીત જાણવા માટે વધુ વાંચો.
subscribe your email for our latest news and events