અજ્ઞાન ગયું ત્યારથી જ મુક્તિનો અનુભવ થાય. અજ્ઞાનથી બંધન છે. શેનું અજ્ઞાન ? પોતે પોતાનાથી જ અજ્ઞાન છે. કૃષ્ણ ભગવાને આને ગુહ્યતમ ‘વિજ્ઞાન’ કહ્યું છે. ગુહ્ય જ કોઈ સમજી શકતા નથી તો ગુહ્યતર ને ગુહ્યતમ ક્યારે સમજાય ?
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ દુનિયામાં છેતરાય કોણ ? લાલચુ ! જો લાલચુ ના હોય તો તેને ભગવાન પણ છેતરી ના શકે. લાલચ ના હોય તો જગત કલ્યાણ થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્યાં સુધી અમૂર્તનાં દર્શન થયાં નથી ત્યાં સુધી મૂર્તિનાં દર્શન અવશ્ય કરવાં. મૂર્તિનાં દર્શન એ તો હિન્દુસ્તાનનું સાયન્સ છે. મંદિર દેખે ત્યાંથી જ પગે લાગે.
પરમ પૂજ્ય દાદા ભગવાનતમારા આંબાને ગમે તેટલું ખાતર નાખો તો તે સફરજન આપે ? ના. શાથી ? ત્યારે કહે, સ્વભાવ ના બદલાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનદેહનું કેન્સર તો સારું. પણ આ તો માનસિક ‘કેન્સર’ થઈ જાય, તે તો અનંત ભવો ખરાબ કરી નાખે !
પરમ પૂજ્ય દાદા ભગવાનનિયમથી જ દરેક વસ્તુના બે ભાગ હોય છે : ‘રિલેટિવ’ ને ‘રિયલ.’ ફોટાનાં દર્શન કરતાં ‘રિલેટિવ’ની ટપાલ તો કૃષ્ણ ભગવાનને પહોંચે અને ‘રિયલ’માં આપણા આત્માની જ ભક્તિ થાય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનશીલ ક્યારે હોય કે ક્યારેય પણ કોઈ જીવમાત્રને મનથી, અહંકારથી, અંતઃકરણથી જરાય દુઃખ ના થાય. એ ભાવ રહે તેને શીલ ઉત્પન્ન થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનખુદાની સાથે એક થવું એમાં મહેનત નથી. ખુદાથી જુદા પડવું એમાં મહેનત છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events