સદ્બુદ્ધિ' એનું નામ કે ક્યારે ય પણ વિરોધાભાસ ના લાવે. 'જ્ઞાની પુરુષ' પાસે એક કલાક બેસવાથી સદ્બુદ્ધિ ઉત્પન્ન થાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનજેમ જેમ અજ્ઞાનતા વધે, તેમ તેમ વિકલ્પો વધે ને તેમ તેમ મોહનાં સાધનો વધારે પ્રાપ્ત થાય. કાદવમાં ગરકયા પછી શું થાય ?
પરમ પૂજ્ય દાદા ભગવાનબહુ દુઃખ વેઠ્યાં છે. જો તેની નોંધ કરે ને તો ય મોહ છૂટી જાય ! છતાં મોહ ઊતરતો નથી ને માર ખવડાય ખવડાય કરે છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્ઞાની' અને 'અજ્ઞાની'માં ફેર શો ? 'જ્ઞાની' બધી જ ક્રિયાઓમાં રાગ-દ્વેષરહિત હોય ને અજ્ઞાની બધી જ ક્રિયાઓમાં રાગ-દ્વેષસહિત હોય.
પરમ પૂજ્ય દાદા ભગવાનઉપાધિમાં શાંતિ રહે, એને ભગવાને પુરુષાર્થ કહ્યો અને ઉપાધિમાં સમાધિ રહે, એને ભગવાને 'જ્ઞાન' કહ્યું.
પરમ પૂજ્ય દાદા ભગવાનજો શંકા કરવી તો આખી જિંદગી કરવી. ખોટની ચિંતા કરવી તો આખી જિંદગી કરવી, નહીં તો કરવી નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાનસત્સંગમાં ગમે તેટલાં કષ્ટ પડે તે સારાં, પણ કુસંગમાં ગમે તેટલું સુખ નકામું.
પરમ પૂજ્ય દાદા ભગવાનવીતરાગો કહે છે કે હિંસાની સામે અહિંસાનું હથિયાર વાપરો. હિંસાને હિંસાથી ના જિતાય. એ તો અહિંસાથી જ જિતાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનઇગોઇઝમ'ને લીધે આ સંસાર ઊભો છે. બંધન 'ઇગોઈઝમ'ને લીધે છે. 'ઇગોઈઝમ' કોઈ પણ રસ્તે બંધ થાય તો છૂટાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનસત્' અને સત્યમાં શો ફેર છે ? સત્ય 'રીલેટિવ' છે, વિનાશી છે અને સત્ એ અવિનાશી છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events