સિંચન સંસ્કારનાં મા-બાપ થકી
બાળકના પહેલા ગુરુ મા - બાપ છે. ઘરના વાતાવરણની અસર બાળક પર થાય છે. મા - બાપનું જોઈને બાળક શીખે છે. આ વીડિયોમાં નીરુમા સમજાવે છે કે માતા - પિતાએ બાળક સાથે કેવી રીતે વર્તવું.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
મા-બાપ છોકરાંનો વ્યવહાર અનાદિ અનંત છે. એ વ્યવહારમાં આદર્શતા કેમ કરીને આવે તે માટે બધા દિન-રાત મથતા જોવામાં આવે છે.
આ કાળમાં ટીનેજર્સનો ઉછેર એ લોકો માટે કદાચ સૌથી મુશ્કેલ પ્રયાસ છે અને તેમાં તેઓ કુશળ હોવા જોઈએ પરંતુ તેના માટે તેમનું પોતાનું સૌથી ઓછું ઘડતર થયું છે. પૂજ્ય દાદાશ્રી એ આજના યુવાવર્ગનું માનસ ઊંડાણપૂર્વક અને સંપૂર્ણપણે જાણી તેમને જીતવાનો રસ્તો આપણને સૂઝાડ્યો છે.
પરમ પૂજ્ય દાદાશ્રી મા-બાપને કેવીરીતે બાળકોની સાથે વર્તવું, અને તેમનામાં કેવીરીતે સંસ્કાર, શિસ્ત અને સભ્યતાનું સિંચન કરવું તેની સમજણ આપેલ છે.
સાથે જ પૂજ્ય દાદાશ્રી યુવાનોને મા-બાપ સાથે કેવો વ્યવહાર કરવો અને મા-બાપની સેવા નું મહાત્મ્ય અંગે સમજણ અને માર્ગદર્શન આપેલ છે.
દાદાશ્રી અહીં આપણને પ્રેમ, સમતા અને આધ્યાત્મિકતાની સાથે કળીને ખીલવવાની કળા કેળવણીની કળા શીખવે છે. "બાળકોનો ઉછેર કેવી રીતે કરવો" તે પર વધારે સ્પષ્ટ સમજણ માટે આગળ વાંચો.
subscribe your email for our latest news and events