મારી સાથે જ આવું કેમ?
હંમેશા બીજા સાથે સારું કરીને મને જીવનમાં દુઃખ જ મળે છે અને બીજા જલસા કરે છે. મારા જીવનમાંથી દુઃખ અને નિષ્ફળતા કેમ દૂર થતાં જ નથી? મારી સાથે જ આવું કેમ?
જીવનમાં આપણને કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આવે છે ત્યારે હૃદય કકળી ઊઠે છે કે આમાં મારી શી ભૂલ? મેં શું ખોટું કર્યું? મારે જ શા માટે ભોગવવાનું?
કેટલાક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી? કેટલાક એકલું દુઃખ જ ભોગવતા હોય છે, એ શાથી?
જગતમાં ભૂલ કોની છે? ચોરની કે જેનું ચોરાય છે એની? આ બેમાં ભોગવે છે કોણ? જેનું ચોરાયું એ જ ભોગવે છે! ચોર તો પકડાશે ને ભોગવશે ત્યારે એની ભૂલનો દંડ આવશે, પણ જેનું ચોરાયું એનો તો દંડ આવી ગયો.
આપણા હાથથી ટી-સેટ (કપ-રકાબી) તૂટે તો કોને કહીએ ? અને નોકરથી તૂટે તો ? એના જેવું છે. ઘરમાં, ધંધામાં, નોકરીમાં બધે જ ‘ભૂલ કોની છે ?’ ખોળવું હોય તો તપાસ કરી લેવી કે આમાં ભોગવે છે કોણ ? એની ભૂલ. ભૂલ છે ત્યાં સુધી જ ભોગવટો છે. જ્યારે ભૂલ ખલાસ થઈ જશે ત્યારે આ દુનિયાની કોઈ વ્યક્તિ, કોઈ સંયોગ આપણને ભોગવટો આપી નહીં શકે.
પરમ પૂજ્ય દાદા ભગવાને દરેકને સમાધાન કરાવે એવું અદ્ભુત સૂત્ર આપ્યું કે જે ભોગવે એની ભૂલ! આની વિગતવાર સમજણ અહીં પ્રાપ્ત થાય છે.


Q. કોઈ દુઃખ આપે, અપમાન કરે ત્યારે કોનો વાંક?
A. દરેકને જીવનમાં આવો પ્રશ્ન થતો જ હોય છે કે, હું બીજા સાથે ગમે તેવું સારું વર્તન કરું તોય મારી સાથે... Read More
A. દુઃખ ના ભોગવવું પડે એ માટે ઉપાય શું? આપણને જે દુઃખ આવી પડે, તેને આપણે જમા કરી લઈએ અને નવેસરથી કોઈ... Read More
Q. મારે જ શા માટે ભોગવવું પડે છે?
A. આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફલેટના બાઈસાહેબને બાંધી... Read More
A. કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે, ત્યારે હૃદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી... Read More
A. અધ્યાત્મિક દૃષ્ટિએ ભૂલ કોની? એ શોધવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ આપેલી આ જબરજસ્ત ચાવી છે, ભોગવે તેની... Read More
Q. લોકો મને શા માટે સમજતા નથી?
A. પ્રશ્નકર્તા: કેટલાક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતા નથી. દાદાશ્રી: એ... Read More
A. ડૉક્ટરે દર્દીને ઈન્જેક્શન આપ્યું, પછી ડૉક્ટર ઘેર જઈને નિરાંતે ઊંઘી ગયો ને પેલાને તો ઈન્જેક્શન આખી... Read More
Q. શા માટે ભગવાન દુઃખ આપતા હશે?
A. આ જગત નિયમને આધીન ચાલી રહ્યું છે, આ ગપ્પું નથી. આનો રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ પણ છે, એ નિરંતર આ... Read More
Q. મને ભોગવટો આવે તેના માટે જવાબદાર કોણ?
A. ભૂલ કોની? ભોગવે એની! શું ભૂલ? ત્યારે કહે છે, 'હું ચંદુભાઈ છું' એ માન્યતા જ તારી ભૂલ છે. કારણ કે,... Read More


subscribe your email for our latest news and events
