• question-circle
  • quote-line-wt

ખરેખર ભૂલ કોની: મારે જ શા માટે ભોગવવું પડે છે?

જીવનમાં આપણને કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આવે છે ત્યારે હૃદય કકળી ઊઠે છે કે આમાં મારી શી ભૂલ? મેં શું ખોટું કર્યું? મારે જ શા માટે ભોગવવાનું?

કેટલાક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી? કેટલાક એકલું દુઃખ જ ભોગવતા હોય છે, એ શાથી?

જગતમાં ભૂલ કોની છે? ચોરની કે જેનું ચોરાય છે એની? આ બેમાં ભોગવે છે કોણ? જેનું ચોરાયું એ જ ભોગવે છે! ચોર તો પકડાશે ને ભોગવશે ત્યારે એની ભૂલનો દંડ આવશે, પણ જેનું ચોરાયું એનો તો દંડ આવી ગયો.

આપણા હાથથી ટી-સેટ (કપ-રકાબી) તૂટે તો કોને કહીએ ? અને નોકરથી તૂટે તો ? એના જેવું છે. ઘરમાં, ધંધામાં, નોકરીમાં બધે જ ‘ભૂલ કોની છે ?’ ખોળવું હોય તો તપાસ કરી લેવી કે આમાં ભોગવે છે કોણ ? એની ભૂલ. ભૂલ છે ત્યાં સુધી જ ભોગવટો છે. જ્યારે ભૂલ ખલાસ થઈ જશે ત્યારે આ દુનિયાની કોઈ વ્યક્તિ, કોઈ સંયોગ આપણને ભોગવટો આપી નહીં શકે.

પરમ પૂજ્ય દાદા ભગવાને દરેકને સમાધાન કરાવે એવું અદ્‌ભુત સૂત્ર આપ્યું કે જે ભોગવે એની ભૂલ! આની વિગતવાર સમજણ અહીં પ્રાપ્ત થાય છે.

મારી સાથે જ આવું કેમ?

હંમેશા બીજા સાથે સારું કરીને મને જીવનમાં દુઃખ જ મળે છે અને બીજા જલસા કરે છે. મારા જીવનમાંથી દુઃખ અને નિષ્ફળતા કેમ દૂર થતાં જ નથી? મારી સાથે જ આવું કેમ?

play
previous
next

Top Questions & Answers

  1. Q. કોઈ દુઃખ આપે, અપમાન કરે ત્યારે કોનો વાંક?

    A. દરેકને જીવનમાં આવો પ્રશ્ન થતો જ હોય છે કે, હું બીજા સાથે ગમે તેવું સારું વર્તન કરું તોય મારી સાથે... Read More

  2. Q. દુઃખોનો અંત કઈ રીતે લાવવો?

    A. દુઃખ ના ભોગવવું પડે એ માટે ઉપાય શું? આપણને જે દુઃખ આવી પડે, તેને આપણે જમા કરી લઈએ અને નવેસરથી કોઈ... Read More

  3. Q. મારે જ શા માટે ભોગવવું પડે છે?

    A. આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફલેટના બાઈસાહેબને બાંધી... Read More

  4. Q. આમાં મારી શી ભૂલ?

    A. કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે, ત્યારે હૃદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી... Read More

  5. Q. સૌથી વધારે કોણ ભોગવે છે?

    A. અધ્યાત્મિક દૃષ્ટિએ ભૂલ કોની? એ શોધવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ આપેલી આ જબરજસ્ત ચાવી છે, ભોગવે તેની... Read More

  6. Q. લોકો મને શા માટે સમજતા નથી?

    A. પ્રશ્નકર્તા: કેટલાક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતા નથી. દાદાશ્રી: એ... Read More

  7. Q. ભૂલ ડૉક્ટરની કે દર્દીની?

    A. ડૉક્ટરે દર્દીને ઈન્જેક્શન આપ્યું, પછી ડૉક્ટર ઘેર જઈને નિરાંતે ઊંઘી ગયો ને પેલાને તો ઈન્જેક્શન આખી... Read More

  8. Q. શા માટે ભગવાન દુઃખ આપતા હશે?

    A. આ જગત નિયમને આધીન ચાલી રહ્યું છે, આ ગપ્પું નથી. આનો રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ પણ છે, એ નિરંતર આ... Read More

  9. Q. મને ભોગવટો આવે તેના માટે જવાબદાર કોણ?

    A. ભૂલ કોની? ભોગવે એની! શું ભૂલ? ત્યારે કહે છે, 'હું ચંદુભાઈ છું' એ માન્યતા જ તારી ભૂલ છે. કારણ કે,... Read More

Spiritual Quotes

  1. આ મશીનરી પોતે બનાવેલી હોય અને તેમાં ગીઅર વ્હીલ હોય, તેમાં પોતાની આંગળી આવી જાય તો તે મશીનને તમે લાખ વાર કહો કે ભાઈ, મારી આંગળી છે, મેં તને જાતે બનાવ્યું છે ને ! તો શું એ ગીઅર વ્હીલ આંગળી છોડે ? ના છોડે. એ તો તમને સમજાવી જાય છે કે ભાઈ, આમાં મારો શો દોષ ? તે ભોગવ્યું માટે તારી ભૂલ ! આવી જ બહાર બધેય ચાલતી મશીનરી માત્ર છે.
  2. પોતાની ભૂલના જ માર ખાય છે. પથ્થર નાખ્યો તેની ભૂલ નહીં, જેને વાગ્યો તેની ભૂલ. તમારી આજુબાજુનાં છોકરાં-છૈયાંની ગમે તે ભૂલો કે કુકૃત્યો હશે પણ તમને તેની અસર થશે નહીં, તો તમારી ભૂલ નહીં અને તમને અસર થાય તો તમારી એ ભૂલ એવું નક્કી સમજી લેજો.
  3. બે માણસ (ચંદુભાઈ ને લક્ષ્મીચંદ) મળે ને (ચંદુભાઈ) લક્ષ્મીચંદ પર આરોપ આપે કે તમે મારું ખોટું કર્યું છે. તો લક્ષ્મીચંદને રાતે ઊંઘ ના આવે ને પેલા (ચંદુભાઈ) નિરાંતે ઊંઘી ગયા હોય, માટે ભૂલ લક્ષ્મીચંદની. પણ દાદાનું વાક્ય 'ભોગવે એની ભૂલ' યાદ આવ્યું તો લક્ષ્મીચંદ નિરાંતે સૂઈ જશે, નહીં તો પેલાને કેટલીય ગાળો ભાંડશે !
  4. ભોગવે એની ભૂલ એટલું જ જો સમજાઈ જાય ને તો ઘરમાં એકુંય ઝઘડો રહે નહીં.
  5. ભોગવે એની ભૂલ એ ભગવાનની ભાષા ! અને અહીં ચોરી કરી ગયો, એને લોક ગુનેગાર ગણે. કોર્ટો હઉ ચોરી કરે તેને જ ગુનેગાર ગણે.
  6. ભોગવ્યું એના પરથી હિસાબ નીકળી જાય કે કેટલી ભૂલ હતી !
  7. જગત આખું સામાની ભૂલ જુએ છે. ભોગવે છે પોતે પણ ભૂલ સામાની જુએ છે. તે ઊલટાં ગુના ડબલ થતાં જાય છે અને વ્યવહાર ગૂંચવાડો પણ વધતો જાય છે.
  8. આખી જિંદગી જો કોઈ માણસ આ શબ્દ 'ભોગવે એની ભૂલ' યથાર્થ રીતે સમજીને વાપરે તો ગુરુ કરવાની જરૂર નથી ને એ શબ્દ જ એને મોક્ષે લઈ જાય એવો છે.'
  9. પોતાની ભૂલ 'પોતાને' દેખાય, એનું નામ સમકિત.
  10. રહસ્યજ્ઞાન જગતના લક્ષમાં જ નથી. અને જેનાથી ભટક ભટક કરવું પડે એ અજ્ઞાન-જ્ઞાનની બધાને ખબર છે. આ ગજવું કપાયું, એમાં ભૂલ કોની? આના ગજવામાંથી ના કપાયું ને તારું જ કેમ કપાયું? તમારા બેમાંથી અત્યારે ભોગવે છે કોણ? 'ભોગવે તેની ભૂલ!'

Related Books

×
Share on