તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે ભગવાનનું સાચું સરનામું (એડ્રેસ) જાણવા માંગો છો, પરંતુ સૌથી મહત્ત્વનું, તમે ભગવાનની સાથે એકરૂપ રહેવા માંગો છો.
પરંતુ, ભગવાન એ શું છે?
શું ભગવાન આ બ્રહ્માંડના કર્તા છે? અથવા તો શું તેઓ આ જગતના શાસક છે?
શું તેઓ સર્વોપરી છે? અથવા તેઓ કોઈ એક પ્રકારની નૈતિક સત્તા છે?
શું ભગવાન જીવન છે? કે પછી ભગવાન એક આશા છે?
શું ભગવાન એ પ્રેમ છે? કે પછી ભગવાન એ સત્ય છે?

એકમાત્ર ‘ભગવાન શું છે?’ એ પ્રશ્નનો જવાબ શોધવા અસંખ્ય શાસ્ત્રો લખાયા. જો કે, હકીકતની સંપૂર્ણ સ્પષ્ટતા ન મેળવતા, સ્પષ્ટ ચિત્ર ક્યારેય રચવામાં આવ્યું જ નથી.
આજે ‘ભગવાનને જાણવાની’ તમારી શોધ તમને અહીં લાવી છે! તો આવો, આપણે ‘ભગવાન શું છે?’ તેની થોડી સમજણ પ્રાપ્ત કરીએ.
આપણામાંથી મોટે ભાગે, ભગવાનનું ચિત્ર કુદરતી રીતે જ આપણાં મનમાં, આપણે જ્યારે બાળક હતા અને આપણો પરિવાર જે ધર્મ પાળતો હોય તેની સાથે જોડાયેલું હોય. પરિણામે આપણે તેમને જ ભગવાન તરીકેની શ્રદ્ધા, સ્વીકાર અને આદર હોય.
ધારો કે, આપણે ચાલો એવી એક વ્યક્તિનું ઉદાહરણ લઈએ કે, જે શ્રીકૃષ્ણ ભગવાનની ભજના કરતા હોય:
આ જ વિચારસરણી અન્ય ભગવાનના ભક્તો માટે લાગુ થાય છે.
એ બધા જ કે જેમનું નામ આપણે ભગવાન તરીકે લઈએ છીએ, એ ભગવાન મહાવીર, ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન શિવ વિગેરે - બધા જ સામાન્ય માણસો હતા કે જેઓ ભગવાન તરીકે સ્વીકારાયા અને તેમના જીવનમાં જ પાછળથી તેમની ભગવાન તરીકે ભજના થઈ. એનો અર્થ ભગવાન એ એક નામ નથી, પણ એક એવું વિશેષણ છે કે જે એવા લોકોને અપાય છે કે જેમણે પોતાના બધા જ કર્મો ખપાવી દીધા છે. તેઓ એવું આદર્શ અને ઉદાહરણીય જીવન જીવ્યા કે હજારો ના હજારો વર્ષો પછી આજે પણ લોકો તેમના જીવનમાંથી પ્રેરણા લે છે.
આ મહાન પુરુષો જ્યારે પ્રત્યક્ષ હતા ત્યારે તેઓએ કોઈ જ જુદા ધર્મો, સંપ્રદાયની સ્થાપના કે ધાર્મિક અનુષ્ઠાન કર્યું ન હતું કે પછી ન તો તેઓ સ્વયંને ભગવાન તરીકે ગણાવતા હતા. તેઓ એ અનુભવ્યું કે ભગવાન શું છે અને તેમણે આ જગત ને સમજાવ્યું. તેમણે ભગવાનને અનુભવ્યાં અને લોકોને ભગવાનનો સાક્ષાત્કાર કરાવ્યો.
તેમણે જગતને શીખવ્યું કે: ‘ભગવાન એ બીજું કોઈ નહીં પણ તમે પોતે જ છો.’
ભગવાન એ જગતના કર્તા નથી કે શાસક નથી. ભગવાન આપણા દરેકની મહીં શુદ્ધાત્મા સ્વરૂપે, અવિભાજ્ય સ્વરૂપે રહેલા છે. જ્યાં સુધી તમને અજ્ઞાન છે કે, ‘હું કોણ છું’ અને તે અજ્ઞાનતાના કારણે તમે માનો છો કે, ‘હું આ દેહ સ્વરૂપે છું’, તમે એક સામાન્ય જીવાત્મા છો; અને જ્યારે તમને અનુભવ થાય છે કે, “હું આ દેહ કે દેહને આપવામાં આવેલું નામ સ્વરૂપે નથી; પણ હું માત્ર શુદ્ધાત્મા છું”, ત્યારે તમે પોતે જ ભગવાન છો.
તેમને આપણી પાંચ ઈન્દ્રિયો દ્વારા જોઈ, અનુભવી કે સમજી નહીં શકો, તેમને માત્ર અનુભવી શકાય છે! તેમને તેમના અન્વય ગુણોના કારણે અનુભવી શકાય છે. આત્માની પાસે અનંત શક્તિઓ છે અને આ જ ભગવાનની ખરી વ્યાખ્યા છે. તો,
દરેક જીવનો આત્મા પ્રત્યેક રીતે પૂર્ણ છે અને જે જીવ મહીં તે બિરાજે છે, તેના આંતરિક વિચાર કે બાહ્ય ક્રિયાઓથી સંપૂર્ણ સ્વતંત્ર છે. જેમ પાણી અને તેલ ક્યારેય ભેગા (મિક્સ) ના થાય, તેવી રીતે જ આત્મા અને દેહ (ટંકોત્કીર્ણ) બન્ને સાથે રહે, પણ ક્યારેય પણ ભેગા (મિક્સ) નથી થતા. આપણે તેમના અસ્તિત્વ વિશે અજાણ અને તેમના ભવ્ય ગુણને અનુભવી શકતા નથી કારણકે તે અનંત અજ્ઞાનના આવરણથી આવરાયેલા છે.
આ અનંત અજ્ઞાનના આવરણ માત્ર આત્મજ્ઞાન પછી જ ભેદી શકાય છે. આ એ જ ક્ષણ છે જ્યારથી તમને નવા કર્મો બંધાવાનું બંધ થઈ જાય છે અને તમારા બધા જૂના કર્મો ખપાવાનું શરૂ થઈ જાય છે. જ્યારે આ બધા કર્મો ખપી જાય ત્યારે શુદ્ધાત્મા સંપૂર્ણ આવરણ રહિત થઈ અને અંતે પૂર્ણ પરમાત્મ સ્વરૂપ જ બાકી રહે છે!
ભગવાનનું શીર્ષક (ટાઈટલ) અને પદ એવા જ્ઞાનીઓને પ્રાપ્ત થાય છે કે, જેમની મહીં આત્માના અન્વય ગુણો સંપૂર્ણપણે પ્રગટ થયા હોય છે. આમ ભગવાન એ નામ નથી, પરંતુ એક વિશેષણ છે જે આ પ્રકારના ગુણો ધરાવતા જ્ઞાનીઓના વર્ણન માટે વપરાય છે.
આપણે પણ પ્રગટ પરમાત્મા એવા જ્ઞાની પુરુષની ભજના કરીએ કે જેથી એક દિવસ એમના જેવા જ બની શકીએ!
A. ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે?... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા પ્રશ્નો... Read More
Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે છે.... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં... Read More
A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા... Read More
A. દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત બદલાતા... Read More
Q. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
A. ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં... Read More
Q. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
A. સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે... Read More
subscribe your email for our latest news and events
