અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
ભગવત્ પ્રેમની પ્રાપ્તિ!
પ્રશ્નકર્તા: તો ઈશ્વરનો પરમ, પવિત્ર, પ્રબળ પ્રેમ સંપાદન કરવા શું કરવું જોઈએ?
દાદાશ્રી: તમારે ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરવો છે?
પ્રશ્નકર્તા: હા, કરવો છે. છેવટે દરેક માનવનો ધ્યેય આ જ છે ને? મારો પ્રશ્ન અહીંયા જ છે કે ઈશ્વરનો પ્રેમ સંપાદન કરવો કેવી રીતે?
દાદાશ્રી: પ્રેમ તો અહીં બધા લોકોને કરવો હોય, પણ મીઠો લાગે તો કરે ને? એવું ઈશ્વર કોઈ જગ્યાએ મીઠો લાગ્યો એ મને દેખાડો ને!
પ્રશ્નકર્તા: કારણ કે આ જીવ છેલ્લી ક્ષણે જ્યારે દેહ છોડે છે, છતાં પણ ઈશ્વરનું નામ નથી લઈ શકતો.
દાદાશ્રી: શી રીતે ઈશ્વરનું નામ લઈ શકે? એને જ્યાં રુચિ હોય ને તે નામ લઈ શકે. જ્યાં રુચિ ત્યાં એની પોતાની રમણતા હોય. ઈશ્વરમાં રુચિ જ નથી ને તેથી ઈશ્વરમાં રમણતા જ નથી. એ તો જ્યારે ભય લાગે ત્યારે ઈશ્વર સાંભરે છે.
પ્રશ્નકર્તા: ઈશ્વરમાં રુચિ તો હોય. છતાં અમુક આવરણ એવાં બંધાઈ જાય એટલે ઈશ્વરનું નામ નહીં લઈ શકતા હોય.
દાદાશ્રી: પણ ઈશ્વર પર પ્રેમ આવ્યા વગર શેનો નામ લે તે? ઈશ્વર પર પ્રેમ આવવો જોઈએ ને! અને ઈશ્વરને બહુ પ્રેમ કરીએ એમાં શું ફાયદો? મારું કહેવાનું કે આ કેરી હોય તે મીઠી લાગે તો પ્રેમ થાય ને કડવી લાગે કે ખાટી લાગે તો? એવું ઈશ્વર ક્યાં આગળ મીઠો લાગ્યો, તે તમને પ્રેમ થાય?
એવું છે, જીવમાત્રની અંદર ભગવાન બેઠેલા છે, ચેતનરૂપે છે, કે જે ચેતન જગતના લક્ષમાં જ નથી અને ચેતન જે નથી તેને ચેતન માને છે. આ શરીરમાં જે ભાગ ચેતન નથી તેને ચેતન માને છે અને જે ચેતન છે એ એના લક્ષમાં જ નથી, ભાનમાં જ નથી. હવે એ શુધ્ધ ચેતન એટલે શુધ્ધાત્મા અને એ જ પરમેશ્વર છે. એનું નામ ક્યારે યાદ આવે? કે જ્યારે આપણને એમના તરફથી કંઈક લાભ થાય ને તો જ એમના પર પ્રેમ આવે. જેના પર પ્રેમ આવેને, તે આપણને યાદ આવે તો તેનું નામ લઈ શકીએ. એટલે પ્રેમ આવે એવા આપણને મળે ત્યારે એ આપણને યાદ રહ્યા કરે. તમને 'દાદા' યાદ આવે છે?
પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી: એમને પ્રેમ છે તમારી પર, તેથી યાદ આવે છે. હવે પ્રેમ કેમ આવ્યો? કારણ કે 'દાદા'એ કંઈક સુખ આપ્યું કે જેથી પ્રેમ ઉત્પન્ન થયો અને એ પ્રેમ ઉત્પન્ન થાય એટલે પછી ભૂલાય જ નહીં ને! એ યાદ કરવાનું હોય જ નહીં.
એટલે ભગવાન યાદ ક્યારે આવે? કે ભગવાન આપણી ઉપર કંઈક કૃપા દેખાડે, આપણને કંઈક સુખ આપે ત્યારે યાદ આવે. એક માણસ મને કહે છે કે, 'મને બૈરી વગર ગમતું જ નથી.' અલ્યા, શી રીતે? બૈરી ના હોય તો શું થાય? ત્યારે એ કહે છે, 'તો તો મરી જઉં.' અલ્યા, પણ શાથી? ત્યારે એ કહે છે, 'એ બઈ તો સુખ આપે છે.' અને સુખ ના આપતી હોય ને માર મારતી હોય તો? તો ય એને પછી યાદ આવે. એટલે રાગ ને દ્વેષ બેઉમાં યાદ આવ્યા કરે.
કે તમે માત્ર બે જ કલાકમાં, જ્ઞાનવિધિમાં (આત્મજ્ઞાન પ્રાપ્તિનો વૈજ્ઞાનિક પ્રયોગમાં) ભાગ લઈને આત્મજાગૃતિ પ્રાપ્ત કરી શકો છો અને પરમાત્મા (ભગવાન) માટેનાં પ્રેમનનો અનુભવ કરી શકો છો? જ્ઞાનવિધિ એટલે શું તે જાણવા માટે અહીં ક્લીક કરો.
A. તમે ભગવાનની શોધમાં છો. તમ ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિષે જાણવા માંગો છો. તમે ભગવાનનું સાચું સરનામું (એડ્રેસ) જાણવા માંગો છો, પરંતુ સૌથી...Read More
A. આ જગતમાં, જો તમે એન્જીનીયરિંગ ભણ્યા હોય તો, લોકો તમને એન્જીનીયર કહેશે; અને જો તમે દર્દીનું નિદાન, દવા લખો અને સારવાર કરો તો, લોકો તમને ડૉક્ટર કહેશે, શું...Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. શું તેઓ સ્વર્ગમાં છે? શું તેઓ આકાશમાં છે?મંદિર માં છે? આપણાં હદયમાં છે? કે પછી કોઈ બીજી જગ્યા એ છે? ભગવાનનું સાચું સરનામું નહીં જાણવાથી, આપણે તેમની કલ્પના...Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળી છીએ ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે બનાવ્યું હશે?’ આપણને કહેવામાં આવ્યું છે કે ‘ભગવાનને આ જગત...Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. ખરી હકીકતમાં ગોડ ઈઝ નોટ ક્રીએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ! જો આપણે કહીએ કે, ભગવાન કર્તા છે, તો પછી ઘણા પ્રશ્નો ઊભા થાય છે, કે જેના કોઈ જવાબ નથી મળતા, જેવા...Read More
Q. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
A. એવી ધાર્મિક માન્યતા છે કે: 'બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ભેગા મળીને આ જગત બનાવ્યું. બ્રહ્મા સર્જનકર્તા, વિષ્ણુ પાલનપોષણ કરતાં અને મહેશ વિનાશ કરનાર છે.’ તો...Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ એ અદ્ભૂત હાજરા-હજૂર ભગવાન વિષે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ સ્પષ્ટતા સાથે સમજીએ… શું તમે જાણો છો કે શુદ્ધાત્મા એ...Read More
Q. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
A. પ્રાર્થના એ ભગવાન સાથે કનેક્ટ (અનુસંધાન) કરવાનું એક માધ્યમ છે અને તમે ભગવાન પાસેથી શકિતઓ પણ મેળવી શકો છો. પ્રાર્થના, આપણા સર્વાંગી વિકાસ (પ્રગતિ) માટે...Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. જો કોઈ વ્યક્તિ આજે ચોરી કરતો હોય તો, ચોરી કરવાની તેની ક્રિયા એ દેખીતું કર્મ છે. આ કર્મનું ફળ આ જ જીવનમાં એની મેળે જ આવશે; તેનો અપયશ થશે અને સજા થશે....Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ કરે છે; ભગવાન સર્વ શક્તિમાન છે, તેઓ આપણું રક્ષણ કરવા...Read More
Q. ભગવાનમાં એકાગ્રતા કેવી રીતે વધારવી?
A. ઈન્ટરેસ્ટ ત્યાં જ એકાગ્રતા પ્રશ્નકર્તા: દાદા, મને ભગવાનમાં એકાગ્રતા રહેતી નથી. દાદાશ્રી: તમે શાક લેવા કે સાડી લેવા જાવ, તેમાં એકાગ્રતા રહે છે કે...Read More
Q. શું મૂર્તિપૂજા કે દર્શન જરૂરી છે?
A. મૂર્તિ, એ ય પરોક્ષ ભક્તિ! પ્રશ્નકર્તા: એક સંત કહે છે કે આ જે જડ વસ્તુઓ છે, મૂર્તિ-ફોટા, એનું અવલંબન લેવાનું ના હોય. તમારી નજર સામે જીવતા દેખાય, તેનું...Read More
A. આત્મા: સગુણ - નિર્ગુણ કેટલાક લોકો ભગવાનને નિર્ગુણ કહે છે. અલ્યા, ભગવાનને ગાળ શું કામ દે છે? આ ગાંડાને પણ નિર્ગુણી કહે છે, તે ગાંડાને નિર્ગુણી શી રીતે...Read More
Q. ભગવાન પદની પ્રાપ્તિ કેવી રીતે કરવી?
A. ભૂલ વગરનું દર્શન ને ભૂલવાળું વર્તન! પોતાની ભૂલ પોતાને જડે એ ભગવાન થાય. પ્રશ્નકર્તા: આ રીતે કોઈ ભગવાન થયેલો? દાદાશ્રી: જેટલા ભગવાન થયેલા એ બધાયને પોતાની...Read More
A. બ્રહ્માંડનો માલિક કોણ? આ બ્રહ્માંડનો દરેક જીવ બ્રહ્માંડનો માલિક છે. માત્ર પોતાનું ભાન નથી તેથી જ જીવડાની જેમ રહે છે. પોતાના દેહની માલિકીનો જેને દાવો નથી...Read More
Q. અંબામાતા અને દુર્ગા દેવી કોણ છે?
A. સહજ પ્રાકૃત શક્તિ દેવીઓ અંબામાતા, દુર્ગાદેવી એ બધી દેવીઓ પ્રકૃતિ ભાવ સૂચવે છે. તે સહજતા સૂચવે છે. પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થાય અથવા આત્મા સહજ થાય...Read More
A. સરસ્વતી પ્રશ્નકર્તા: સરસ્વતી દેવીના કાયદા શા છે? દાદાશ્રી: સરસ્વતી એટલે વાણીના હિસાબના જે જે કાયદા લાગુ પડે તે પાળીએ તો સરસ્વતી દેવી ખુશ રહે. વાણીનો...Read More
Q. લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. લક્ષ્મીજી ક્યાં વસે? લક્ષ્મીજી શું કહે છે? જે એકસો જણને સીન્સિયર રહે છે ત્યાં મારો વાસ હોય છે. વાસ એટલે દરિયો ઊભરાય તેમ લક્ષ્મીજી આવે. જ્યારે બીજે બધે...Read More
subscribe your email for our latest news and events