મૃત્યુનું વિજ્ઞાન : આત્મા અને પુનર્જન્મ

મૃત્યુ શું હશે? મૃત્યુ સમયે શું હોય? મૃત્યુ પછી શું? મૃત્યુના અનુભવો કહેનારો કોણ? જે મૃત્યુ પામે છે તે એના અનુભવો કહી શક્તો નથી. જે જન્મ પામે છે તે તેની આગળની(પહેલાની) અવસ્થા સ્થિતિ જાણતો નથી. આમ જન્મ પહેલાં ને મૃત્યુ પછીની અવસ્થા કોઈ જાણતો નથી. દાદાશ્રીએ પોતાના જ્ઞાનમાં જોઈને મૃત્યુના આ સર્વ રહસ્યો જેમ છે તેમ યથાર્થપણે ખુલ્લાં કર્યા છે.

શું પુનર્જન્મ સત્ય છે? ડાર્વિનની 'થિયરી ઓફ ઈવોલ્યુશન'(ઉત્ક્રાંતિવાદમાં) પ્રમાણે જીવ એક ઈન્દ્રિય, બે ઈન્દ્રિય એમ 'ડેવલપ' થતો થતો મનુષ્યમાં આવે છે. એના પછી એની આગળ શું થાય છે તેની કોઈ જાણકારી નથી. દાદાશ્રી વૈજ્ઞાનિક રીતે પુનર્જન્મ, જન્મ-મરણનું ચક્ર સમજાવે છે.

જો પુનર્જન્મનો આધાર ના હોય તો પુનર્જન્મની માન્યતાને કોઈ આધાર જ ન રહે,આત્મા માની શકાય જ કેવીરીતે? એટલે આત્માની સમજ બેસતી હોય તો ઉકેલ જ આવી જાયને ! પહેલું આત્મા જાણો તો બધું સોલ્યુશન (ઉકેલ) આવી જશે !

આત્મા મરતો જ નથી, પણ જ્યાં સુધી તમે આત્મસ્વરૂપ થયા નથી, ત્યાં સુધી તમને મૃત્યુનો ભય લાગ્યા કરશે?

મૃત્યુનું રહસ્ય સમજાતાં જ મૃત્યુનો ભય ઊડી જાય છે ! મૃત્યુનાં રહસ્યોને જાણવા માટે આગળ વાંચો.

 

 

મૃત્યુનું રહસ્ય શું?

મૃત્યુ આવવાનું છે એ દરેકને ખબર હોય છે. મૃત્યુ વખતે 'આપણું શું થશે ?' એ વિચાર તો આવ્યા જ કરતા હોય છે. જ્ઞાનીઓની દ્રષ્ટિએ મૃત્યુ એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાની વાત છે. તો મૃત્યુના રહસ્યો જાણો પૂજ્ય નીરુમા દ્વારા.

play

Top Questions & Answers

  1. Q. મૃત્યુ એટલે શું?

    A. પ્રશ્નકર્તા : મૃત્યુ શું છે ? દાદાશ્રી : મૃત્યુ તો એવું છેને, આ ખમીસ સીવડાવ્યું એટલે ખમીસનો જન્મ... Read More

  2. Q. મૃત્યુ શા માટે થાય છે?

    A. પ્રશ્નકર્તા : તો મૃત્યુ શા માટે આવે છે ? દાદાશ્રી : એ તો એવું છે, આ જન્મ થાય છે, ત્યારે આ... Read More

  3. Q. શું તમને મૃત્યુનો ભય લાગે છે?

    A. આ નિરંતર ભયવાળું જગત છે. એક ક્ષણવાર નિર્ભયતાવાળું આ જગત જ નથી અને જેટલી નિર્ભયતા લાગે છે, એટલી એની... Read More

  4. Q. જીવનનાં છેલ્લાં કલાકોમાં શું થાય છે?

    A. મરતી વખતે આખી જિંદગીમાં જે કર્યું હોય, તેનું સરવૈયું આવે. તે સરવૈયું પોણા કલાક સુધી વાંચ-વાંચ કરે... Read More

  5. Q. શું પુનર્જન્મ સત્ય છે?

    A. પ્રશ્નકર્તા : જીવાત્મા મરે પછી પાછો આવે છેને ? દાદાશ્રી : એવું છેને, ફોરેનવાળાને પાછો આવતો નથી,... Read More

  6. Q. શું મૃત્યુ પછી જીવન છે?

    A. મૃત્યુ પછી જન્મ ને જન્મ પછી મૃત્યુ છે, બસ. આ નિરંતર ચાલ્યા જ કરે છે. હવે આ જન્મ ને મૃત્યુ કેમ થયેલા... Read More

  7. Q. આત્મા શરીર છોડી જાય પછી શું થાય છે?

    A. પ્રશ્નકર્તા : એટલે આ દેહ છોડવાનો અને બીજો દેહ ગ્રહણ કરવાનો એ બે વચ્ચે આમ કેટલો સમય લાગે ? દાદાશ્રી... Read More

  8. Q. શું મનુષ્યમાંથી મનુષ્યમાં જ જવાના?

    A. પ્રશ્નકર્તા : માણસમાંથી માણસમાં જ જવાના ને ? દાદાશ્રી : એ પોતાની સમજમાં ભૂલ છે. બાકી સ્ત્રીના પેટે... Read More

  9. Q. શું મનુષ્યમાંથી પશુમાં પાછો જાય છે ખરો?

    A. પ્રશ્નકર્તા : 'થિયરી ઓફ ઇવોલ્યુશન'ની વાતમાં (ઉત્ક્રાંતિવાદમાં) જીવ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય એમ... Read More

  10. Q. શું જ્ઞાન પછીની સનાતન શાંતિ આ જન્મ પૂરતી જ થાય?

    A. પ્રશ્નકર્તા : એકલી આ સનાતન શાંતિ ઊભી કરે તો એ આ જનમ પૂરતી જ થાય કે જનમ જનમની થાય ? દાદાશ્રી : ના.... Read More

Spiritual Quotes

  1. મૃત્યુનો ભય તો અહંકારને રહે છે, આત્માને કશું નથી. અહંકારને ભય રહે છે કે હું મરી જઈશ, હું મરી જઈશ.
  2. દેહ એ તો સ્વરૂપની અજ્ઞાનતાનું પરિણામ અને ઈફેક્ટ છે
  3. જન્મ-મરણ એટલે એનાં કર્મનો હિસાબ પૂરો થઈ ગયો, એક અવતાર જે હિસાબ બાંધ્યો હતો, તે પૂરો થઈ ગયો એટલે મરણ થઈ જાય.
  4. એટલે જ્ઞાનીપુરુષ જ્યારે કૉઝિઝ બંધ કરી આપે એટલે ઇફેક્ટ એકલી જ ભોગવવાની રહી. એટલે કર્મ બંધાતા બંધ થઈ ગયા.
  5. આ મનુષ્યદેહ જો સાર્થક કરતાં આવડે તો મોક્ષની પ્રાપ્તિ થઈ શકે તેમ છે અને ન આવડે તો ભટકવાનું સાધન વધારી આપે તેમ પણ છે !
  6. આ એક્સપાયર્ડ થવું એટલે શું તે જાણું છું ? ચોપડાના હિસાબ પૂરા થવા તે. એટલે આપણે શું કરવું, આપણને બહુ યાદ આવે તે, તો વીતરાગ ભગવાનને કહેવું કે એને શાંતિ આપો. યાદ આવે માટે એમને શાંતિ મળે એમ કહેવું. બીજું શું આપણાથી થાય ?
  7. એટલે 'કૉઝીઝ' આ ભવમાં થાય છે. એની 'ઇફેક્ટ' આવતે ભવ ભોગવવી પડે છે !
  8. જે અહંકાર છેને, તેને આવાગમન છે. આત્મા તો તેની તે જ દશામાં છે. અહંકાર પછી બંધ થઈ જાય છે. એટલે એનો ફેરો બંધ થઈ જાય !
  9. અહીં તો કાયદો એ છે કે જેણે અણહક્કનું લીધું, તેને બે પગના ચાર પગ થશે.
  10. ભગવાનની દ્રષ્ટિમાં તો કોઈ મરતું જ નથી. ભગવાનની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જો તમને પ્રાપ્ત થાય, એક દહાડો આપે એ તમને તો અહીં ગમે એટલા માણસ મરી જાય તોય તમને અસર કરે નહીં. કારણ કે ભગવાનની દ્રષ્ટિમાં કોઈ મરતું જ નથી.

Related Books

×
Share on
Copy