• question-circle
  • quote-line-wt

શું ભગવાન ન્યાય કરે છે? તો પછી અન્યાય શા માટે?

જીવનમાં આપણે ડગલે ને પગલે જોઈએ છીએ કે નિર્દોષ વ્યક્તિ જેલ ભોગવે છે અને ગુનેગાર વ્યકિત મોજ કરે છે. નીતિવાળા માણસો દુઃખી થાય, અનીતિવાળા બંગલા બાંધે છે, ગાડીમાં ફરે છે. તો આપણને પ્રશ્ન થાય કે શા માટે આવું થતું હશે?

શા માટે આ દુનિયામાં ચોર અને ગજવા કાપનારા પાકે છે? શા માટે આટલી બધી કુદરતી આપત્તિઓ આવે છે? શા માટે ધરતીકંપ, વાવાઝોડાં અને પૂર આવે છે? શું એ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે? શા માટે ભગવાન દુઃખ આપતા હશે? આમાં ન્યાય ક્યાં છે?

આધ્યાત્મિક દૃષ્ટિએ, દુનિયામાં એક સેકન્ડ પણ અન્યાય થતો નથી, ન્યાય જ થઈ રહ્યો છે. કુદરત હંમેશા ન્યાય જ કર્યા કરે છે. કારણ કે કુદરત એટલે કોઈ વ્યક્તિ કે ભગવાન નથી કે કોઈનું એના પર ચલણ હોય. માટે બન્યું એ જ ન્યાય! જે કંઈ પણ બને છે એ ન્યાય કઈ રીતે છે એનું વિજ્ઞાન અહીં ખુલ્લું થાય છે.

બન્યું તે જ ન્યાય

કુદરત અન્યાય કરતી જ નથી. 'બન્યું તે ન્યાય' અને 'ભોગવે એની ભૂલ' આનાથી લોક તરફની દોષિત દ્રષ્ટિ ખલાસ થઈ જાય છે.આપણને જયારે દંડ આવે ત્યારે સમજવાનું કે આપણા જ ગુનાના દંડ આવે છે. જુઓ વિશેષ સમજણ આ વિડિયોમાં.

play
previous
next

Top Questions & Answers

  1. Q. કોઈ આપણી સાથે ખોટું કામ કરે ત્યારે ન્યાય શું છે?

    A. પોતાની આસપાસ કોઈ ખોટાં કામ, જેમ કે ચોરી, લૂંટફાટ, મારફાડ, દુરાચાર કે ભ્રષ્ટાચાર થતાં સાંભળીને... Read More

  2. Q. જીવનમાં અન્યાય કેમ છે?

    A. જીવનમાં ડગલે ને પગલે એવા પ્રસંગો બને છે, જ્યાં આપણને એમ લાગે કે મારી સાથે જ આવો અન્યાય કેમ? મારી... Read More

  3. Q. કુદરતી આફતો કે અકસ્માતમાં ભગવાન નિર્દોષ લોકોને કેમ દુઃખ આપે છે?

    A. આજકાલ ટીવી કે ન્યૂઝ ચેનલોમાં જ્યારે અણબનાવો જોવા અને સાંભળવા મળે, ત્યારે આપણું હૃદય કંપી ઊઠે. પૂર,... Read More

  4. Q. ભગવાનની ભાષા શું છે?

    A. ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપેય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે.... Read More

  5. Q. શું મારે ન્યાય ખોળવો જોઈએ?

    A. આ જગતમાં તું ન્યાય જોવા જાય છે? બન્યું એ જ ન્યાય. આણે તમાચા માર્યા તો મારી ઉપર અન્યાય કર્યો એવું... Read More

  6. Q. મારા જીવનમાં બનતી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે?

    A. આ બધું પ્રોજેક્શન તમારું જ છે. લોકોને શા માટે દોષ દેવો? પ્રશ્નકર્તા: ક્રિયાની પ્રતિક્રિયા છે... Read More

  7. Q. દુનિયામાં સાચા લોકો દુઃખી અને ખોટું કામ કરનારા મોજમાં કેમ?

    A. આપણે પોતાના જીવનમાં કે આસપાસ બનાવો બનતા જોઈએ છીએ કે બે ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણીમાં એક ભાઈ બધું... Read More

  8. Q. શા માટે કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે?

    A. ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોર લોકો શું કરવા આવ્યા હશે? આ બધા ગજવા કાપનારાની શી જરૂર છે?... Read More

  9. Q. વારસાઈ મિલકત અને વસિયતના પ્રશ્નો કેવી રીતે ઉકેલવા?

    A. એક ભાઈ હોય, એનો બાપ મરી જાય તો બધા ભાઈઓની જમીન છે, તે પેલા મોટા ભાઈની પાસે હાથમાં આવે. હવે મોટો... Read More

  10. Q. બુદ્ધિથી કેવી રીતે છૂટી શકાય?

    A. પ્રશ્નકર્તા: બુદ્ધિ કાઢવી જ છે. કારણ કે, બહુ માર ખવડાવે છે. દાદાશ્રી: તે બુદ્ધિ કાઢવી હોય તો... Read More

Spiritual Quotes

  1. બન્યું એ ન્યાય જાણે તો આખા સંસારનો પાર આવી જાય એવું છે.
  2. કુદરતને સહેજ પણ અન્યાયી સમજો કે તમારું જગતમાં ગૂંચાવાનું સ્થાન જ એ.
  3. એક ક્ષણ પણ આ કુદરત જે છે તે અન્યાયને પામી નથી, કોર્ટો થઈ હશે, કોર્ટમાં બધું ચાલે પણ કુદરત અન્યાયી થઈ જ નથી.
  4. કુદરત પેણે વિનાશ કરે છે તેય બરોબર છે અને કુદરત જેને પોષે છે તેય બરોબર છે. બધું રેગ્યુલર કરે છે, ઓન ધી સ્ટેજ! આ તો પોતાના સ્વાર્થને લઈને આ લોકો બૂમો પાડે છે.
  5. કુદરતના ન્યાયને જો સમજે - 'બન્યું તે જ ન્યાય' તો તમે આ જગતમાંથી છૂટા થઈ શકશો.
  6. એટલે બુદ્ધિ આપણને ફસાવે છે કે આને ન્યાય કેમ કહેવાય? એટલે અમે મૂળ વાત કહેવા માંગીએ છીએ કે કુદરતનું આ છે અને બુદ્ધિથી તમે જુદા પડી જાવ.
  7. આપણે છે તે ન્યાય ખોળવા નીકળ્યા, એ બુદ્ધિનું કારણ. ન્યાય ખોળવાનું બંધ કરી દઈએ તો બુદ્ધિ જતી રહે.
  8. ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપેય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે. ન્યાય-અન્યાય એ તો લોકભાષા છે.
  9. જગત કાયદાની બહાર ચાલતું નથી, કાયદેસર જ છે, સંપૂર્ણ ન્યાયપૂર્વક જ છે. પણ સામાની દ્રષ્ટિમાં નહીં દેખાવાથી સમજાતું નથી. એ દ્રષ્ટિ નિર્મળ થશે ત્યારે ન્યાય દેખાશે. સ્વાર્થ દ્રષ્ટિ હોય, ત્યાં સુધી ન્યાય કેમ દેખાય?
  10. જગત ન્યાય સ્વરૂપ છે તો જ પરમાત્મા છે!
  11. એક મચ્છર પણ તમને અડી ના શકે એવા ન્યાયવાળું જગત છે, જો તમે ડખલ ના કરો તો. તમારી ડખોડખલ બંધ થઈ જશે તો બધું જ બંધ થઈ જશે.
  12. આ જગતના ન્યાયાધીશો તો ઠેર ઠેર બેઠા હોય છે. પણ આ કર્મના ન્યાયાધીશ તો એક જ. 'ભોગવે તેની ભૂલ'! આ એક જ ન્યાય છે, જેનાથી જગત આખું ચાલી રહ્યું છે અને ભ્રાંતિના ન્યાયથી સંસાર આખો ય ઊભો છે!
  13. આ કુદરત એક ક્ષણવાર પણ ન્યાયની બહાર વર્તી નથી. જો કુદરત એક ક્ષણ વાર પણ ન્યાયની બહાર વર્તે તો એ કુદરત, કુદરત નથી.

Related Books

×
Share on