અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો05 જૂન |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
પ્રશ્નકર્તા : મંદિરમાં દર્શન કે પ્રાર્થના કેવી રીતે કરવા?
દાદાશ્રી : ભગવાનના મંદિરે જાઓ અને કહો, “વ્હાલા ભગવાન, તમે મારી અંદર બિરાજમાન છો, પરંતુ મને હજી આપની ઓળખાણ પડી નથી, હું અહીં આપના દર્શન કરું છું. જ્ઞાની પુરુષ, દાદા ભગવાને મને આ રીત શીખવી છે અને હું તેમના માર્ગદર્શન પ્રમાણે આપના દર્શન કરું છું. આપ મારા પર એવી કૃપા વરસાવો કે જેથી મને આત્મસાક્ષાત્કાર થાય.” તમે ક્યાંય પણ જાઓ, ગમે તે મંદિરે જાઓ આ પ્રમાણે દર્શન કરજો. રીલેટીવ દ્રષ્ટિથી જોતાં, બધા ભગવાનોને જુદા જુદા નામો આપવામાં આવ્યા છે પરંતુ હકીકતમાં તેઓ બધા એક છે.
મંદિર તરફ જતાં લોકો ધર્મના વિચાર નથી કરતા, પરંતુ દુકાનના વિચાર કરે છે. ઘણા લોકોને રોજ મંદિરે જવાની ટેવ હોય છે. તમને ટેવ છે એટલે તમે દર્શન કરો છો? ભગવાનના દર્શન રોજ નવા લાગવા જોઈએ અને તમારો ત્યાં જવાનો ઉત્સાહ અને આનંદ તાજો હોવો જોઈએ.
subscribe your email for our latest news and events