પૂજ્ય દીપકભાઈ

પૂજ્ય દીપકભાઈ અડાલજમાં હાજર હોય, ત્યારે આપ દાદા દરબારમાં તેમના ચરણસ્પર્શ દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

પૂજ્ય દીપકભાઈના દર્શન

જયારે પણ પૂજ્ય દીપકભાઈ અડાલજમાં હાજર હોય, ત્યારે આપ દાદા દરબારમાં તેમના ચરણસ્પર્શ દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

કાર્યક્રમ અને સમય:

આપ દાદા દરબાર માટેની ચોક્કસ તારીખો સહિતની તમામ માહિતી, માહિતી કેન્દ્ર પરથી મેળવી શકો છો. માહિતી કેન્દ્ર પર સંપર્ક કરવા માટે કોલ કરો +91 9328661166 / +91 9328661177 અથવા [email protected] પર ઈ-મેઈલ કરો.

દાદા દરબારનો સમય:

દરબાર સેશન્સ અઠવાડિયામાં અમુક દિવસો માટે નીચે દર્શાવ્યામાંથી માત્ર એક જ વાર રહેશે. વધુ વિગતો માટે માહિતી કેન્દ્રનો સંપર્ક કરો.

  • બપોરનું સેશન - ૧૨:૦૦ થી ૧૨:૩૦ વાગ્યે
  • સાંજનું સેશન - ૬:૦૦ થી ૬:૩૦ વાગ્યે

વધુ માહિતી:

દાદા દરબારમાં મળવા માટે, તમારે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ મેળવવા માટે કૃપા કરીને માહિતી કેન્દ્રનો સંપર્ક કરો. ફોર્મ સબમિટ કર્યા પછી, તમને માહિતી કેન્દ્રમાંથી કૉલ આવશે.

ટોકનનું વિતરણ જે દિવસે દાદા દરબારનું આયોજન કરેલું હશે તે દિવસે જ કરવામાં આવશે.

દાદા દરબારની તારીખો અને સમય અણધાર્યા સંજોગોને કારણે છેલ્લી ઘડીએ ફેરફાર અથવા રદ થઈ શકે છે, જ્યારે પણ આપ દાદા દરબારમાં આવો ત્યારે માહિતી કેન્દ્રમાં સમય અને તારીખની માહિતી મેળવી લેવી. આ બાબતે આપને કોઈપણ અસુવિધા થાય તો તે માટે અમે પહેલેથી જ ક્ષમા માંગીએ છીએ.

×
Share on