અહંકાર કોને કહેવાય?
અહંકાર એટલે જ્યાં પોતે નથી ત્યાં 'હું' છું એવું આરોપણ કરવું. આપણે ખરેખર દેહ કે નામ સ્વરૂપે નથી છતાં આપણે દેહ કે નામ સ્વરૂપે છીએ એવું માનીએ છે. પોતે જે સ્વરૂપે છે એનું ભાન થવું એનું નામ નિરહંકાર.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
અહમ દૂર કરવાનો નથી, અહંકાર દૂર કરવાનો છે. અહમ એટલે હું – તે અસ્તિત્વને માટે વપરાય છે: ‘હું છું’. પોતે જે સ્વરૂપ છે તેના માટે ‘હું છું’ એમ કહેવું, તે અહંકાર નથી. બધા જીવોને પોતાના અસ્તિત્વનું ભાન તો છે જ, કે ‘હું છું’ પરંતુ તેમને વાસ્તવિકતાની જાગૃતિ (વસ્તુત્વની જાગૃતિ): ‘હું કોણ છું?’ તે નથી. પોતાના ખરા સ્વરૂપને ઓળખો, કારણ કે બંધન માત્ર સ્વરૂપની અજ્ઞાનતાના કારણે જ છે !
શું તમે જાણો છો કે, ‘હું આ શરીર છું’ એ પણ અહંકાર છે. ‘હું ચંદુલાલ છું’ તે પણ અહંકાર છે અને ખાલી આટલો જ અહંકાર નથી. પરંતુ આ યાદી બહુ મોટી છે, જેમ કે - ‘હું એન્જિનીયર છું’, ‘હું આમનો દીકરો છું’, ‘હું આમનો પતિ છું’, ‘હું આમની પત્નિ છું’, ‘હું આટલા વર્ષનો છું’, ‘હું તદુંરસ્ત છું’, ‘હું ઘઉંવર્ણો છું’ વગેરે...
જ્ઞાની પુરુષ દાદાશ્રી દ્વારા અગોપિત થયેલા અહંકારના જુદા જુદા સ્વરૂપોને સમજવા અને બંધનમાંથી કેવી રીતે મુક્ત થવું તે સમજવા માટે વધુ વાંચો.....
subscribe your email for our latest news and events