ધર્મોનો સાર
ભગવાન કોઈ પક્ષમાં હતા નહી. બધા ભગવાને એવું જ કહ્યું કે આત્મા જાણો અને મોક્ષને પામો. આ વીડિયોમાં નીરુમા બધા ધર્મોના સાર વિશે સમજાવે છે.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો15 ડિસેમ્બર |
10 ડિસેમ્બર | to | 12 ડિસેમ્બર |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોધર્મ અને ધાર્મિક ક્રિયાઓમાં ઊંડા ઉતરેલા હોવા છતાં શા માટે તે આપણા વર્તનમાં આવતું નથી? શું તમે તેનાથી હતાશ અને ગૂંચાયેલા નથી? એનું રહસ્ય શું છે?
પૂજ્ય દાદાશ્રીએ આ ગૂંચવણ પાછળના રહસ્યનો ફોડ પાડ્યો છે. તેમણે કહ્યું કે આચરણ અને વર્તન એ ગતભવનાં ભાવનું પરિણામ છે, ઈફેક્ટ છે અને ભાવ એ કારણ છે, કોઝ છે. પરિણામમાં સીધેસીધો ફેરફાર લાવી શકાય જ નહીં. એ પણ એની વૈજ્ઞાનિક ઢબથી જ થાય. કારણ બદલાય તો પરિણામ એની મેળે જ બદલાઈને આવે.
તમામ શાસ્ત્રોનાં સત્વનો સાર કાઢીને પૂજ્ય દાદાશ્રીએ આપણને નવ કલમોનાં સ્વરૂપમાં આપ્યો છે. આ નવ કલમો ભાવમાં ધરમૂળથી ફેરફાર કરવા માટે ચાવીરૂપ છે. શાસ્ત્રોનો વિસ્તૃત અભ્યાસ પણ ભાવમાં આવો ફેરફાર નથી લાવી શક્તો.
આ નવ કલમોનાં સરળ સંદેશને અનુસરીને હજારો લોકો લાભ લઇ રહ્યા છે. આ નવ કલમો બોલવાથી, (ભાવના ભાવવાથી) અંદરના નવા કારણો સદંતર બદલાઈ જાય છે અને આ જીવનમાં જ જબરજસ્ત અંતરશાંતિ વર્તાય છે ! અને જીવનમાંથી બધી જ નકારાત્મકતા ધોવાઈ જાય છે. આ તમામ શાસ્ત્રોનો સાર છે.
મોક્ષમાર્ગ- આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ પછી સરળ થઈ જાય છે.
subscribe your email for our latest news and events