સ્યાદ્દવાદ વાણી
સ્યાદવાદ એટલે કોઈનું પણ પ્રમાણ ના દુભાય અને બધાના પ્રમાણને સાચવે, એનું વાણી વર્તન અને વિચારો પણ એવા જ હોય. સ્યાદવાદ વાણી, વર્તન અને મનન વિશે વધુ જાણો આ વીડિયો દ્વારા.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ વાણી કેવીરીતે બોલાય છે? આ પેલાં સિતારના તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલાં અવાજ થાય છે મહીં? એવું આ એક જ શબ્દ બોલવાનો થયો, તેની સાથે કેટલાંય શબ્દો ઊભાં થઈ જાય છે. પોતાને બોલવાનો ભાવ થઈ ગયોને, એટલે પેલાં એની મેળે બોલાઈ જાય. તમારી ઈચ્છા નથી તો ય, એવું શું છે કે તમારાથી બોલાઈ જાય છે?
દાદાશ્રીએ વાણીનો ખરો સ્વભાવ અગોપિત કર્યો છે. વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલાં પટ્ટી ઊતરે છે કે નહીં? તેવી જ રીતે વાણીની પણ આખી પટ્ટી તમારા પૂર્વ ભવમાં ઊતરી ગયેલી છે. અને આ ભવમાં તે વાગી રહી છે. ને તેને સંયોગ મળતાં જ, જેમ પીન મૂકે ને રેકર્ડ શરૂ થઈ જાય તેમ વાણી શરૂ થઈ જાય છે.
દાદાશ્રીએ કેવીરીતે ગતભવનાં અંતર આશય અને વાણી ને લગતાં કર્મોને ચોખ્ખા કરવા તેનું ગુહ્ય રહસ્ય પણ ખુલ્લું કર્યુ છે. તદુપરાંત, જૂઠું બોલવાનું બંધ કરવાનો વૈજ્ઞાનિક માર્ગ અને વચન બળ કેવી રીતે મેળવવું તે પણ જાણો.
વાણીનાં મૂળભૂત અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ સિદ્ધાંતોની ગહન સમજણ મેળવવા માટે આગળ વાંચો.
subscribe your email for our latest news and events