ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ છીએ. આપણે પોતે જ આપણા કર્મો માટે સંપૂર્ણપણે જવાબદાર છીએ.
કર્મનું વિજ્ઞાન એમ કહે છે કે આત્માની હાજરીમાં જીવ પોતે અજ્ઞાનતાથી કર્મ બાંધે છે. તેને ભોગવવા માટે જન્મ થાય છે, દેહ પ્રાપ્ત થાય છે. કર્મ પૂરા થાય એટલે દેહ છૂટે છે, જેને મૃત્યુ કહે છે. જ્યારે આત્માનું જ્ઞાન થાય છે ત્યારે આત્મા જન્મ-મરણથી મુક્ત થાય છે.
જીવનમાં બહુ દુઃખ આવે તો આપણે કહીએ કે ભગવાને મોકલ્યું. જુવાનજોધ છોકરો મરી જાય, તો આપણે કહીએ ભગવાને લઈ લીધો. તો આપણે ભગવાનને હિંસક ઠરાવ્યા?સૃષ્ટિનું સર્જન-વિસર્જન ભગવાન જ કરાવે છે, એમ હોય તો ભગવાનને માથે બહુ મોટો ગુનો લાગુ પડે. દુનિયામાં કુદરતી આફતોમાં, બોમ્બાર્ડિંગમાં લોકો મરી જાય કે ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થાય તો એ વિસર્જન કે સંહાર માટે ભગવાન મોટા ગુનેગાર ગણાય. ભગવાન કોઈની હિંસા કરતા નથી કે કોઈને જન્મ પણ આપતા નથી.
જો ભગવાન જ સર્જન ને વિસર્જન કરતા હોય, એમની મરજી વગર પાંદડુંય ના હલતું હોય, તો કર્મની થિયરી આખી ઊડી જાય. ભગવાનની મરજીથી જન્મ થાય, એમની મરજીથી મૃત્યુ. કોઈ ચપ્પુથી મારે તોય ભગવાનની મરજી ને કોઈ રિબાઈ રિબાઈને મરે તોય એમની મરજી!
આપણે સારું કર્મ કરીએ કે ખોટું, તેનું ફળ આપણને જ મળતું હોય છે. તો પછી “ભગવાન કરે છે” એમ કહીને આપણે એમને કેટલો મોટો આક્ષેપ આપીએ છીએ!
કર્મોનો સિદ્ધાંત શું કહે છે, કરે એને પાપ લાગે અને કરાવે એને ડબલ પાપ લાગે. તો ભગવાન આવું તેવું કરાવતા હોય તો એમને કેટલો બધો ગુનાનો દંડ આવશે? એ દંડ એમને કોણ આપશે? સિદ્ધાંત તો એવો હોય કે જેમાં એક પણ વિરોધાભાસ ન હોય.
જેમ રૂમમાં લાઈટનો બલ્બ હોય તેના પ્રકાશમાં કોઈ વાંચે, કોઈ પૂજાપાઠ કરે, કોઈ કામકાજ પૂરા કરે કે કોઈ ચિત્ર બનાવે. તેમાં લાઈટ કશું કરવા આવે? ના. હવે એ અજવાળામાં કોઈ પત્તા રમે કે ખોટા કામો કરે, તોય લાઈટ એનો વાંધો ઊઠાવે? ના.
જેમ લાઈટના પ્રકાશ વગર કશું થઈ શકે નહીં, છતાં પ્રકાશ કંઈ કરવા આવતો નથી. તેવી જ રીતે, આત્મારૂપી ભગવાન જીવમાત્રની અંદર જ બેઠા છે અને દરેકને પ્રકાશ ધરે છે. આત્માની હાજરી વગર કશું ન થાય, પણ એ પોતે કર્તા નથી. જેટલું પાંચ ઇન્દ્રિયથી જોવાય, સમજાય છે એમાં આત્માનું કિંચિત્માત્ર કર્તાપણું નથી. બધા સંજોગો ભેગા મળીને કાર્ય થાય છે. એમાં ભગવાન વચ્ચે આવતા નથી.
પછી જીવો પોતાની બુદ્ધિ પ્રમાણે આત્માના પ્રકાશનો ઉપયોગ કરે છે. અવળી બુદ્ધિ હોય તો તેનો અવળો ઉપયોગ કરે અને સવળી બુદ્ધિ હોય તો સવળો ઉપયોગ કરે. જીવ પોતે કર્તા થાય છે, તેને અહંકાર ઊભો થાય છે કે “મેં કર્યુ!” સારાં કામોનો કર્તા થવાથી શુભ કર્મ બાંધે છે, જેના ફળમાં જીવ સુખ ભોગવે છે. જ્યારે ખરાબ કામો કરે, બીજાને અપશબ્દો કહે, દુઃખ આપે, ત્રાસ આપે અને એમાં પોતે માને કે “કરવું જ જોઈએ, એમાં શું ખોટું છે?” તો અશુભ કર્મ બાંધે છે અને એના ફળમાં પોતાને દુઃખ ભોગવવું પડે છે.
જો આટલું સમજણમાં રહે તો બીજાને છેતરવાનું, બીજા ઉપર દૃષ્ટિ બગાડવાનું, ભ્રષ્ટાચાર અને દુરાચાર કરવાની વૃત્તિઓ બંધ થઈ જાય. કારણ કે ભગવાન પોતાની અંદર જ બેઠા છે. બીજાને છેતરવું એ પોતાની જાતને, ભગવાનને છેતર્યા બરાબર છે.
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે?... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા... Read More
Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં... Read More
A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા... Read More
A. દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત... Read More
Q. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
A. ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં... Read More
Q. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
A. સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે... Read More
subscribe your email for our latest news and events
