ગીતાનો મર્મ જ્ઞાનીની દ્રષ્ટિએ
ગીતામાં 'આત્મા તત્ત્વ' માટે 'હું' શબ્દ વપરાયો છે. એ સિવાય બધો અનાત્મા વિભાગ. આત્મા પ્રાપ્ત થયો છે તેવા જ્ઞાની તમને ભેદ પાડી આપે ત્યારે આત્મા અને અનાત્માની ઓળખાણ થાય.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો05 જૂન |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
હજારો વર્ષો પહેલા લખાયેલી ભગવદ્ ગીતાનો અભ્યાસ કરનાર, દરેક વિદ્વાન દ્વારા, જુદી જુદી રીતે તેનું અર્થઘટન કરાયું છે. અને આ કાળમાં જ્યારે ઉંમરમાં માત્ર પચ્ચીસ વરસનું જ અંતર હોવા છતાં, એક પુત્ર પોતાના પિતાના અંતરાઆશય ને સમજી શકતો નથી. તો પછી હજારો વર્ષો પહેલા બોલાયેલી ગીતાનો સાચો અર્થ કોણ સમજાવી શકવા સમર્થ છે? ખેર, જેવીરીતે આપણે રોજબરોજના જીવનમાં માહિતીની આપ-લે માટે જરૂરી વાતચીતનાં અભાવને લીધે, ઘણી બધી ગેરસમજણનો ભોગ (શિકાર) બનીએ છીએ, જેના કારણે આપણે વાતનો ખરો અર્થ જ ગુમાવી બેસીએ છીએ, તેવીજ રીતે સ્વાભાવિક રીતે જ સમયની સાથે આપણે ભગવદ્ ગીતા નો ખરો અર્થ ગુમાવી ચુક્યા છીએ.
જો કોઈ ભગવદ્ ગીતાનો સાર યથાર્થ રીતે સમજવા સમર્થ હોય, તો તે પરમ સત્ય નો અનુભવ કરી સંસારી બંધનોની ભ્રાંતિમાથી અને સંસારી દુઃખોમાંથી મુક્ત થઈ શકે. અર્જુન પણ પોતાનાં સંસારી રાગ-દ્વેષથી મુક્તિ અનુભવી શક્યો હતો, જેમાં મહાભારતના યુદ્ધ સમયે ઉભા થયેલા ભોગવટાનો પણ સમાવેશ થાય છે, તે માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણે તેને આપેલા ‘દિવ્ય ચક્ષુ’ના કારણે જ શક્ય બન્યુ હતુ. આ દિવ્ય ચક્ષુના કારણે એક પણ કર્મ બાંધ્યા વગર અર્જુન યુધ્ધ લડવા શક્તિમાન બન્યા અને એજ ભવે મોક્ષ પણ પામ્યા.
ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને અપાયેલા જ્ઞાનને બેજ શબ્દોમાં વર્ણવવું હોય, તો ‘માલ’ અને ‘ખોખું’ સિવાય બીજુ કાંઈ જ ન હતુ. જેમનામાં શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે, એવા જ્ઞાની પુરુષનાં અસરકારક શબ્દોનાં પ્રતિબિંબ જેવા, નીચે આપેલા લખાણ દ્વારા, આપણે ભગવદ્ ગીતાની એ ખોવાયેલી સમજણ ફરીથી પ્રાપ્ત કરી, બધા કર્મોથી મુક્ત થવા માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આ વેબ પેજીસ ફક્ત આ જ્ઞાન વિષે વધારે જાણવા માટે જ નથી, પણ આ પેજીસ આપણને ભગવાન કૃષ્ણના જીવનમાં બનેલી ઘટનાઓ સાથે સંકળાયેલી વાર્તાઓ તથા તેની પાછળ રહેલી વાસ્તવિક્તાનો પરિચય કરાવશે. સોળ હજાર રાણીઓ હોવા છતાં તેઓ શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
સુદર્શન ચક્ર એ ખરેખર શું હતું? પરધર્મ અને સ્વધર્મ કોને કહેવાય? ગોવર્ધન પર્વત ઉંચકવા પાછળની હકીકત શું હતી? આ બધા ગૂઢ રહસ્યો અને બીજુ ઘણુ બધુ અહી અગોપિત કરવામાં આવ્યું છે.
subscribe your email for our latest news and events