ભગવાન એ આત્મા છે જે તમારી, મારી અને પ્રત્યેક જીવમાત્રની મહીં બિરાજેલા છે.
શરીર એ તો ખોખું (આઉટર પેકિંગ) છે અને જે મહીં બિરાજેલા છે તે આપણું ખરું સ્વરૂપ છે!
જો કે, આ આત્મા અરૂપી અને અમૂર્ત છે. તેને આ ચર્મચક્ષુથી ના જોઈ શકાય પરંતુ, એ તો માત્ર આત્માના સ્વાભાવિક ગુણોના અનુભવથી તેનો અનુભવ કરી શકાય. માટે ભગવાનને ઓળખવા અને અનુભવવા માટે તેમના ગુણધર્મ કયા કયા છે તે જાણવું પડે.
તો ચાલો, આપણે સમજીએ ભગવાનના કેટલાક મુખ્ય ગુણ ને...
આત્મા એ એક શાશ્વત તત્વ છે. દરેક આત્મા સ્વભાવથી જ શાશ્વત (પરમેનન્ટ) છે. તે અનાદિ અનંત છે. તે હતો, છે અને કાયમ રહેશે. તે ક્યારેય મરતો નથી અને ક્યારેય જન્મતો નથી; તે અમર (અવિનાશી) છે.
ભગવાન પાસે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અનંત સુખ છે!
આ ભગવાનના અનન્ય ગુણો છે તે આત્મા સિવાય બીજા કોઈ પણ શાશ્વત તત્વમાં નથી. આત્માના અન્ય બધા ગુણોમાં આ ચાર ગુણ મોટા-મોટા, જબરજસ્ત ગુણો છે, આત્માને તેના આ ખાસ ગુણોથી અનુભવી શકાય.
ભગવાન બધુ જાણે છે! આત્મા પાસે ‘જોવા જાણવાની’ અનંત શકિત છે.
આપણા ચર્મચક્ષુ કે કોઈપણ પાંચ ઈન્દ્રિયો એ, કોઈ વસ્તુને જોવા કે જાણવા માટે માત્ર બાહ્ય સાધન છે. જે જોનાર અને જાણનાર મુખ્ય તત્વ છે એ આત્મા છે અને આ જગતમાં બીજું બધુ જ એ માત્ર જોવા અને જાણવા માટે ના ઓબ્જેક્ટ (જ્ઞેય) છે.
આત્મા માત્ર આ સંસારી બાહ્ય ઓબ્જેક્ટ (જ્ઞેય) ને જ નહીં પરંતુ દરેકની મહીં રહેલા અંતઃકરણના ભાગ જેવા કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, માન્યતાઓ, અભિપ્રાયો, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરેને પણ ચોક્કસ રીતે (સૂક્ષ્મતાએ) જોઈ અને જાણી શકે છે.
આત્મા આ ઓબ્જેક્ટ (જ્ઞેય)ને પોતાના અનંત દર્શનની શક્તિ દ્વારા જોઈ શકે છે; પોતાના અનંત જ્ઞાન એવા ગુણને લીધે તે નિજ તત્વ સહિત બધા જ શાશ્વત (અવિનાશી) તત્વોની પ્રત્યેક અવસ્થાઓનું જ્ઞાન ધરાવે છે.
આત્મા એ બીજું કઈ નહીં પણ ચૈતન્ય ઘન, અખંડ નિરંતર જ્ઞાન સ્વરૂપ છે. આમ ભગવાનને સર્વજ્ઞ કે જાણકાર કહ્યા છે!!!
અનંત શક્તિ એ આત્માનો બીજો એવો સ્વાભાવિક ગુણ છે કે, જે આ જગતની અનંતી ચીજો (અનંતા જ્ઞેયો) ને જોવા જાણવા છતાં તેમાં તન્મયાકાર નથી થતો.
આત્માની ઉપર જુદા જુદા પ્રકારના કર્મના પરમાણુઓ આવરણ સ્વરૂપે રહેલા છે અને તે મોક્ષમાર્ગમાં આત્માના કલ્યાણ માટે અનંત સમયથી અસંખ્યાત વિઘ્નો ઊભા કરે છે. જો કે, આત્મા પોતાના અનંત શકિતના સ્વાભાવિક ગુણને લઈને, પોતાનું સંપૂર્ણ શુદ્ધત્વ જાળવીને, આ દરેક પરમાણુથી જુદા રહેવાને સમર્થ છે.
આ અનંત શકિતના લીધે તે કોઈપણ બાહ્ય વસ્તુમાં તન્મયાકાર થતો નથી કે ભોગવતો નથી, અને હમેંશા પોતાના સ્વભાવમાં જ રહે છે, જે પોતાની અનંત શકિત દર્શાવે છે જેમકે અનંત શકિત વાળા સર્વશક્તિમાન ભગવાન!!
સંસારી સુખો, સુખ-દુઃખના મિશ્રણ સહીત છે; આ સુખો સ્વભાવે ટેમ્પરેરી (વિનાશી) હોય છે અને તેથી જ તે આવે, અને જાય છે. જ્યારે આત્માને ક્યારેય પણ, કોઈપણ સંસારી સુખો કે મોહનીય કર્મોમાં કે જે આ ભ્રાંતિ રૂપ સુખમાં આકર્ષણ કરાવે છે, તેમાં પણ રાગ કે આકર્ષણ થતું નથી અને બીજી તરફ, બહારના સંજોગો ગમે તેટલા ભારે વેદનીયવાળા હોય તો પણ આત્માને કે જે ભગવાન છે તેમને કિંચિતમાત્ર પણ ભોગવટો નથી આવતો. આવું છે કારણ કે, આત્માનું પોતાનું દ્રવ્ય જ પરમ સુખનું ધામ છે.
ભગવાન હમેંશા આ અનંત સુખમાં એકાકાર હોય છે – આત્માનું શાશ્વતું સુખ કે જે ક્યારેય પણ કોઈપણ સંજોગોમાં ખલાસ થતું નથી અને તે હમેશા સાથે પરમેનેન્ટ રહે છે. તો આવું છે ભગવાનના અનંત સુખનો ગુણ !!!!
પોતાના સ્વાભાવિક ગુણથી જ આત્મા સર્વ શાશ્વત તત્વોથી સંપૂર્ણ અસંગ(વીતરાગ) જ છે.
આપણે હમેંશા કહીએ છીએ કે, ‘હું મારા રાગ-દ્વેષથી મુક્ત થવા (છૂટવા) માંગુ છું.’ આપણે આવું કહીએ છીએ કારણકે આપણે જાણતા નથી કે આત્મા ક્યારેય પણ રાગ અને દ્વેષના પરમાણુથી મલીન થતો નથી કે રંજિત (કલંકિત) થતો નથી. તે હમેંશા જુદો જ રહે છે અને તેથી જ સર્વ પ્રકારના રાગથી સર્વથા મુક્ત જ છે. તે ક્યારેય પણ કોઈ જ વસ્તુથી કે વ્યક્તિથી આકર્ષણ પામ્યો નથી, કે નથી તેને કોઈપણ સુખ કે દુઃખ ભોગવ્યા.
આ દેહ સંસારની સર્વ વસ્તુઓની સાથે હોવા છતાં, મહી રહેલો આત્મા પોતાના સ્વભાવથી જ અસંગ (બંધનો થી મુક્ત) જ છે અને તેથી જ આ જગતની કોઈપણ વસ્તુ ક્યારેય પણ આત્માને અસર કરી શકી નથી કે કરી શકશે પણ નહીં. આત્મા સર્વથા તમામ લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ જ રહ્યો છે કારણકે, લેપાયમાન ભાવો પોતે જડના બનેલા છે આત્માના નથી.
આત્મજ્ઞાન (જ્ઞાનવિધિ) પ્રાપ્ત થયા પછી, જો કોઈ વ્યકિત ઝઘડો કરે, તો પણ તેને કોઈપણ પ્રકારનો રાગ કે દ્વેષ થતો નથી, કારણકે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલ વ્યકિત જાણે છે કે, ‘હું નિશ્ચય નિર્ણય થી કેવળ શુદ્ધાત્મા જ છું.’
ભગવાન એટલે કે જે સર્વ રાગથી સર્વથા મુક્ત જ છે!
ભગવાન એટલે બસ પ્રેમ જ. શુદ્ધ પ્રેમ એ પણ ભગવાનનો એક ગુણ છે!
કોઈને એવો વિચાર આવશે કે ભગવાન વીતરાગ અને ભગવાન શુદ્ધ પ્રેમ સ્વરૂપ ? એવું કઈ રીતે શક્ય છે?
આવું છે કારણ કે શુદ્ધ પ્રેમ અને સંસારી પ્રેમ એ બંને જુદી જ વસ્તુ છે. શુદ્ધ પ્રેમ એ રાગથી મુક્ત છે; અને તેથી જ તે સર્વ અપેક્ષા, ઘાટ, શરત, ભેદ ભાવ ના કચરાથી કે દરેક જીવ માત્ર માટે પક્ષા-પક્ષી થી રહિત છે.
ભગવાન પ્રેમ સ્વરૂપ છે, કે જે એમનો પ્રેમ દરેક જીવ માત્ર માટે દરેક ક્ષણે નિરંતર વહી રહ્યો છે!
ભગવાન એ સંપૂર્ણ શુદ્ધ છે. ગમે તેવા બાહ્ય સંજોગો હોય, ગમે તેટલા મોટી અને ગંભીર (ખરાબ) અશુદ્ધિઓ આત્મા પર આવરણ સ્વરૂપે રહેલી હોય પણ આત્માને ક્યારેય બગાડી શક્તિ નથી. આત્મા એ સર્વથા સંપૂર્ણ શુદ્ધ હતો, છે અને રહેશે – આવો છે આત્માનો આ ગુણ !
સંયોગોના કારણે, જડતત્વ અને આત્મતત્વ બંને યુગો-યુગોથી સાથે જ રહેલા છે પરંતુ બંનેમાંથી કોઈપણ તત્વએ પોતાના સ્વાભાવિક ગુણ ગુમાવ્યા નથી. જેવી રીતે જો આપણે પાણી અને તેલ એક બોટલમાં મિક્સ કરીએ અને એકદમ હલાવીએ તો, તેલ તેની જગ્યા એ જ રહેશે અને પાણી પોતાની જગ્યાએ છુટ્ટુ પડી જશે, કારણકે બંને ટંકોત્કીર્ણ સ્વભાવના છે.
એવી જ રીતે, આપણો આત્મા હમેંશા આ દેહથી શુદ્ધજ્ઞાન સ્વરૂપે જુદો જ રહે છે. ઘણા બધા જીવસ્વરૂપોમાં જેવાકે ઝાડ, પશુ, મનુષ્ય, દેવગતિમાંથી પસાર થવા છતાંય, આત્માની શુદ્ધતા ક્યારેય પણ કિંચિત્માત્ર પણ કલંકિત (રંજિત) થઈ નથી.
આવું છે કારણકે, અક્રમ વિજ્ઞાનમાં, જ્ઞાની પુરુષ આપણી પર ભગવાનની કૃપા વરસાવીને, માત્ર એક જ કલાકના સમયમાં જ આત્મા ને અનાત્મ તત્વને છૂટા પાડી દે છે.
પાંચ ઈન્દ્રિયોથી આપણે જે કંઈપણ અનુભવ કરીએ છીએ; મન, બુદ્ધિ, અહંકાર, વાણી વગેરે સહિત- બધું જ મૂર્ત છે, જ્યારે આત્મા અમૂર્ત છે. આત્માને કોઈ શરીર હોતું જ નથી.
દેહની મહી જે અમૂર્ત (અગોચર) ભાગ છે તે આત્મા છે. આત્મા એ જ્ઞાન છે અને જ્ઞાન એ અમૂર્ત છે. જ્ઞેયો (વસ્તુઓ) કે જે જ્ઞાન દ્વારા જોવાય છે તે મૂર્ત સ્વરૂપી અને રૂપી છે, પરંતુ જ્ઞાન એ અમૂર્ત (અગોચર) છે.
તો ભગવાન એ દરેક જીવમાત્રની મહીં બિરાજેલા છે, પરંતુ અમૂર્ત છે અને તેમનું કોઈ રૂપ કે આકાર નથી!
ભગવાન સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. આત્મા એ એટલો સૂક્ષ્મ છે કે અગ્નિ તેને બાળી શકતો નથી કે પર્વત તેને રોકી શકતો નથ ! હા, આત્મા પર્વતની આરપાર, અગ્નિની આરપાર, કોઈપણ વસ્તુની મહીંથી ગમે તેવા કોઈપણ પ્રકારના વિઘ્ન વિના નીકળી જાય છે.
ભગવાનને કંઈપણ થઈ શકતું નથી, કારણકે આત્માને કોઈ સ્પર્શ કરી શકતું નથી .. ભગવાન એવા સૂક્ષ્મ છે!
આત્માનો વિનાશ કરી શકાતો નથી. વિનાશી (ટેમ્પરરી) વસ્તુ નાશવંત છે; તે વસ્તુઓ અસ્તિત્વમાં આવે છે અને થોડા ટાઈમ પછી તેનું અસ્તિત્વ રહેતું નથી, જ્યારે શાશ્વત વસ્તુઓ અવિનાશી હોય છે.
ભગવાન શાશ્વત છે માટે અવિનાશી છે!
આત્મા સ્વાભાવિક રીતે જ ક્યારેય પણ લઘુ કે ગુરુ થતો નથી. (વધતો નથી કે ઘટતો નથી).
ક્રોધ, માન, માયા, લોભ એવા છે કે જે હમેંશા લઘુ અને ગુરુ (વધ-ઘટ થાય એવું ) થતાં રહે છે. જેવી રીતે આપણે ક્રોધને વધતો અને ઓછો થતો જોઈએ છીએ, આપણી બધીજ નબળાઈઓ અને શકિતઓ એવા જ સ્વભાવની છે, વધે કે ઘટે છે, અહંકારનો સ્વભાવ પણ એલીવેટ અને ડીપ્રેસ થઇ જાય એવો છે.
દરેક જે વધે છે કે ઘટે છે તે ટેમ્પરરી સ્વભાવનું છે અને આત્મા તેમાંથી એકમાં પણ ક્યારેય પણ તમન્યાકાર થતો નથી. તો આવી રીતે, ભગવાન પરમેનન્ટ (શાશ્વત) અને અગુરુ-લઘુ છે; તેઓ ક્યારેય પણ વધતાં નથી કે નષ્ટ થતાં નથી, તેઓ ક્યારે વધ-ઘટ થતાં નથી!
દુઃખાવો કે મુશ્કેલીઓ (પીડા કે બાધા) આત્માને ક્યારેય સ્પર્શતી નથી. આત્માના સ્વાભાવિક ગુણ એવો છે કે તે કોઈને પણ દુઃખ આપી શકે નહીં કે કોઈના નિમિત્તે પોતે દુઃખી પણ થઇ શકે નહિ; તે કોઈને પણ પીડા પહોંચાડી શકે નહીં કે કોઈપણ તેને પીડા આપી શકે નહીં; તે કોઈને મારી શકે નહીં કે કોઈ તેને મારી શકે નહીં.
આત્માને ક્યારેય પણ કશું થઈ શકે જ નહીં. જેમ જેમ ભગવાનને અનુભવવા માટેના માર્ગમાં પોતાની પ્રગતિ થતી જાય તેમ તેમ પોતે આ ગુણોનો વધુ ને વધુ સ્પષ્ટ અનુભવ કરી શકે.
આત્માના ગુણો અસીમિત, અસાધારણ, અજોડ, અસામાન્ય અને અનંત છે. ભગવાનના ગુણો ખૂબ જ, ખૂબ જ જુદા છે; એ ગુણો એવા છે કે જે આપણે ક્યારેય પણ આ બાહ્ય જગતમાં જોયા જ નથી.
આ જ, ભગવાનનું ઐશ્વર્ય છે.
ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન મહાવીર અને બીજા બધા જ જ્ઞાનીઓ એ છે કે જેમની મહીં તમામ ગુણો સહીત પૂર્ણ આત્મા સંપૂર્ણપણે પ્રગટ થયા છે. તેથી જ જગત તેમને ભગવાન કહે છે.
A. તમે ભગવાનની શોધમાં છો. તમ ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિષે જાણવા માંગો છો. તમે... Read More
A. આ જગતમાં, જો તમે એન્જીનીયરિંગ ભણ્યા હોય તો, લોકો તમને એન્જીનીયર કહેશે; અને જો તમે દર્દીનું નિદાન,... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. શું તેઓ સ્વર્ગમાં છે? શું તેઓ આકાશમાં છે?મંદિર માં છે? આપણાં હદયમાં છે? કે પછી કોઈ બીજી જગ્યા એ... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળી છીએ ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. ખરી હકીકતમાં ગોડ ઈઝ નોટ ક્રીએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ! જો આપણે કહીએ કે, ભગવાન કર્તા છે, તો પછી ઘણા... Read More
Q. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
A. એવી ધાર્મિક માન્યતા છે કે: 'બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ભેગા મળીને આ જગત બનાવ્યું. બ્રહ્મા... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ એ અદ્ભૂત હાજરા-હજૂર ભગવાન વિષે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
A. પ્રાર્થના એ ભગવાન સાથે કનેક્ટ (અનુસંધાન) કરવાનું એક માધ્યમ છે અને તમે ભગવાન પાસેથી શકિતઓ પણ મેળવી... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. જો કોઈ વ્યક્તિ આજે ચોરી કરતો હોય તો, ચોરી કરવાની તેની ક્રિયા એ દેખીતું કર્મ છે. આ કર્મનું ફળ આ જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. બાળપણથી જ આપણને એવું શીખવવામાં આવ્યું છે કે આપણે ભગવાનની ભજના કરવી જ જોઈએ. અને આપણે જુદા જુદા... Read More
Q. મૂર્તિ પૂજાનું મહત્વ શું છે?
A. મૂર્તિ પૂજા એ જીવનનો બહુ જ મોટો આધાર છે! તેના પાછળ ઘણા કારણો અને જબરદસ્ત ફાયદાઓ રહેલા છે. તો જોઈએ... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. શું તમે જાણો છો કે, ભગવાનને અનુભવવાનો અર્થ પોતે પોતાનો જ અનુભવ કરવો કારણકે, ભગવાન એટલે ખરેખર આપણે... Read More
Q. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
A. જો આપણને ખબર હોય કે ભગવાન કેવા હોય, તો આપણે સમજી શકીએ કે ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરી શક્ય... Read More
Q. દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?
A. દેવી અંબીકા, જે દુર્ગા માં કે અંબા માતા તરીકે પણ ઓળખાય છે, તેઓને હિન્દુસ્તાનના ઘણા ધર્મોએ તેમને... Read More
A. મા સરસ્વતી એ જ્ઞાનના દેવી છે! સરસ્વતી એટલે ‘ આત્મજ્ઞાન તરફ દોરી જાય તે’. તે સંસ્કૃત જોડાક્ષરથી... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. લક્ષ્મીજી એ તો સંપત્તિ (ધન)ના દેવી છે. પૈસા અને સંપત્તિની ભૂખ આજે સમગ્ર વિશ્વને ચલાવી રહ્યું છે.... Read More
subscribe your email for our latest news and events