વર્તો વર્તમાનમાં

એક દિવસમાં ૨૪ કલાક અને ૧૪૪૦ મિનીટ અને ૬૪૦૦ સેકન્ડ હોય છે. તો શું તમે કહી શકો છો કે આજે તમે કેટલી મિનીટ કે સેકંડ વર્તમાનમાં રહ્યા? સારું, તો શું તમે ગેરંટી સાથે એવું કહી શકો છો કે, આજના દિવસની મોટા ભાગની ક્ષણો જીવ્યા છો? તુરંત જ મળતો 'ના' જવાબ કદાચ તમારા માટે વર્તમાનમાં રહેવાની શરૂઆત છે. અને આવું છે કારણ કે તમને આ બાબતની જાગૃતિ છે. અને વર્તમાનમાં રહેવા માટે આજ જાગૃતિની જરૂર છે.

હકીકત એ છે કે ઘણો ખરો સમય આપણે ભૂતકાળ વિશે વિચારીએ છીએ, અથવા તો ભવિષ્યની ચિંતા કરીએ છીએ (માં ડૂબેલા હોઈએ છીએ). વર્તમાન ક્ષણોમાં આપણા માટે શું છે તે આપણે જોતા જ નથી, કારણ કે આપણું ધ્યાન ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે ઝોલા ખાતું રહે છે. આપણે જમતી વખતે ધંધા ના સોદા અથવા થોડા દિવસમાં આવી રહેલી પરિક્ષા વિશે વિચારીએ છીએ..એવી જ રીતે વાહન હંકારતી વખતે આપણામાંના મોટાભાગના એવું વિચારીએ છીએ કે, 'આવું શા માટે બન્યું?' કદાચ આજ આપણા ઉદાસ અને તનાવ યુક્ત હોવાનું સૌથી મોટું કારણ છે. તો શા માટે આપણે ભૂતકાળ કે ભવિષ્યમાં રહેવાનું ચાલુ રાખીએ? આમાંથી બહાર કેવી રીતે નીકળવું?

ખરેખર વર્તમાનમાં રહેવું એટલે શું? વર્તમાનમાં રહીને આપણે કેવી રીતે ખુશ રહી શકીએ? ભવિષ્યના વિચારો અને ભૂતકાળની યાદ કે જે સતત આવ્યા જ કરે છે તેને સાથે કેવી રીતે વર્તવું? આવા જ પ્રશ્નોના વૈજ્ઞાનિક ઉકેલ અને સાથે વર્તમાનમાં રહેવાની કેટલીક સરળ ચાવીઓ મેળવો અક્રમ માર્ગના જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાભગવાને પ્રબોધેલા વિજ્ઞાન દ્વારા. 

Live in The Present

When you remain in the present, you are always happy. After Self Realization, your awareness of the pure Soul will help you to always remain in the present.

play
previous
next

Top Questions & Answers

  1. Q. ત્રિકાળજ્ઞાન કોને કેહવાય? શું સર્વજ્ઞ ભગવાન ભૂતકાળના ને ભવિષ્યકાળના બધાય પર્યાય જાણે?

    A. ત્રિકાળજ્ઞાન વર્તમાનમાં રહી ત્રણે કાળનું દેખે તે ત્રિકાળજ્ઞાન પ્રશ્નકર્તા: ત્રિકાળજ્ઞાનની ખરી... Read More

  2. Q. ભવિષ્યની ચિંતા શા માટે ન કરવી?

    A. ભવિષ્યની ચિંતા બગાડે વર્તમાન; દૂર ડુંગરા છોડી, ઠોકર સંવાર! પ્રશ્નકર્તા: મારી ત્રણ છોકરીઓ છે, એ... Read More

  3. Q. ભૂતકાળને મેમરી / યાદગીરી સાથે કનેક્શન ખરું કે નહીં?

    A. રાગ-દ્વેષ પ્રમાણે મેમરી! પ્રશ્નકર્તા: દાદા, ભૂતકાળને મેમરી સાથે કનેક્શન ખરું કે નહીં? અને મેમરી તો... Read More

  4. Q. વર્તમાનમાં કેવી રીતે રેહવું?

    A. વર્તે વર્તમાનમાં સદા વર્તમાનમાં રહેવું એ જ વ્યવસ્થિત હું શું કહું છું કે વર્તમાનમાં રહેતાં... Read More

  5. Q. ભવિષ્ય માટે વિચારો આવે તો એની સાથે કેવી રીતે વર્તવું?

    A. ભૂતકાળ ગોન, ભવિષ્ય પરસત્તા... પ્રશ્નકર્તા: વર્તમાનમાં વર્તવું એક્ઝેક્ટલી, આમ દાખલા સહિત... Read More

  6. Q. કોઇ આપણને દગો કરી ગયો હોય એ વર્તમાનમાં યાદ આવ્યા કરે, ત્યારે શું કરવું? કઈ રીતે પૂર્વગ્રહ રહિત થવાય?

    A. અભિપ્રાય કેવી રીતે છૂટે? કોઇ આપણને દગો કરી ગયો હોય એ આપણે સંભારવાનો ના હોય. પાછલું સંભારવાથી બહુ... Read More

  7. Q. જો ભવિષ્યની ચિંતા ન કરે તો ચાલે શી રીતે? આવતી કાલની ચિંતા શા માટે ના કરવી?

    A. ભૂતકાળ, 'અત્યારે' કોણ સંભારે? પ્રશ્નકર્તા: આવતી કાલની ચિંતા ન કરે તો ચાલે શી રીતે? દાદાશ્રી: આવતી... Read More

  8. Q. યુગને આધીન માણસ છે કે માણસને આધીન યુગ છે? અને શું વર્તમાનમાં રેહવા માટે ભૂત અને ભવિષ્યને ભૂલી જવાનું?

    A. વર્તમાનમાં વર્તે, જ્ઞાની! પ્રશ્નકર્તા: યુગની વ્યાખ્યામાં આ પહેલાં કળિયુગ આવેલો? દાદાશ્રી: દરેક... Read More

Spiritual Quotes

  1. ભૂતકાળનો ભો છૂટી ગયો, ભવિષ્ય 'વ્યવસ્થિત'ના હાથમાં છે. માટે વર્તમાનમાં વર્તો.
  2. વર્તમાનમાં વર્તી કોણ શકે? 'યસ' (હા) કહેનારો.
  3. ભૂતકાળનો અને ભવિષ્યકાળનો ચોપડો ભગવાન ના રાખે. એક સેકન્ડ પછીનો ચોપડો દરિયામાં નાખી દેવો. વર્તમાનમાં જ રહે એ ભગવાન.
  4. આ નાટકમાં જે સામું આવે તે જુએ કે પાછલું સંભારીને જુએ? પાછલું જોવા જઈશ તો અત્યારનું ખોઈ બેસીશ.
  5. વર્તમાનમાં જે વર્તે તે જ્ઞાતા-દ્રષ્ટા. વર્તમાનમાં વર્તે તેનો અહીં જ મોક્ષ! વર્તમાનમાં કાયમ રહેવું, તેનું નામ જ અમરપદ.
  6. વર્તમાન બહુ સૂક્ષ્મ વસ્તુ છે. આ બાજુ ભૂતકાળ ને પેલી બાજુ ભવિષ્યકાળ, એ બેની વચ્ચે સૂક્ષ્મ ભાગમાં વર્તમાન હોય. તેને અજ્ઞાની પકડી જ ના શકે, 'જ્ઞાની' જ એને પકડી શકે.

Related Books

×
Share on