Related Questions

જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.

જીવનમાં જે વ્યક્તિની તમે ખુબ જ નજીક છો અને જે હતાશાના (ડીપ્રેશન)ના લક્ષણોનો સામનો કરી રહ્યા છે અથવા આત્મહત્યા તરફ આગળ જતા હોય ત્યારે તમે અસહાયતા અનુભવ કરો છો. આત્મહત્યા તરફ જનારી વ્યક્તિ સાથે તમે શું વાત કરી શકશો, બની શકે કે ત્યારે તમે પોતે મૂંઝવણમાં હશો. તમે લાચારી, હતાશા, ગુસ્સો, ભય, અપરાધભાવ, ઉદાસીનતા, ચિંતાઓ અને તાણની વિવિધ ડિગ્રીમાંથી (અવસ્થામાંથી) પસાર થશો. જો તમે એવું વિચારશો કે, હાલમાં તમે જે ભાવનાત્મક અસંતુલનનો અનુભવ કરી રહ્યા છો, એ સર્વનું કારણ તમે પોતે છો, તો આમ કરવાથી પરિસ્થિતિ વધુ બગડી જશે. જયારે તમને અજંપા (ગભરામણનો) અનુભવ થાય ત્યારે આત્મહત્યા તરફ જતી વ્યક્તિને રોકવા તમે કઈ રીતે તેમને સહાયરૂપ બની શકો, એવા પ્રયત્નો કરવા.

તમારા પ્રિયજનને ખરી રીતે સહાય કરવા માટે, તમારા પોતાના વિચારોમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે અને ત્યારે તમને માનસિક રીતે પણ ચિંતા ન થવી જોઈએ. આના માટે ઉપયોગી એવા સૂચનો નીચે દર્શાવ્યા છે:

  • ડીપ્રેશન અને આત્મહત્યાના લક્ષણોના ચોક્કસ ચિન્હોને સમજવાનો પ્રયાસ કરો, જેથી કરીને તમને સમસ્યાઓનું સમાધાન વિસ્તારમાં સહેલાઈથી કરી શકો.
  • તેમના માટે કોઈ મંતવ્ય ન આપો, પરંતુ કરુણાભાવ રાખો. કારણ કે, તેમની લાગણીઓ તેમના નિયંત્રણમાં નથી.
  • સમજો કે તેઓ જે અનુભવે છે અને જેમાંથી પસાર થઈ રહ્યાં છે તે બધામાંથી બહાર નીકળવામાં પોતે સક્ષમ નથી અને આ વ્યક્તિગત બાબત પણ નથી.
  • નિષ્ણાતોની સલાહ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરો.
  • તેમને મન ખોલીને વાત કરવા મનાવો.
  • તેમને તમારી ચિંતાઓ બતાવશો નહીં, કારણ કે આમ કરવાથી તેમની પરિસ્થિતિ વધુ ખરાબ થશે.
  • તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખો; વધારે પડતી પ્રતિક્રિયા આપશો નહીં.
  • પ્રેમ, દયા અને સમજણથી તેમને જીતવાનો પ્રયાસ કરો.
  • તેમના વિશ્વાસનો દુરૂપયોગ ન કરો.
  • વાતાવરણમાં પરિવર્તન (સ્થળ ફેર) એમના માટે મદદરૂપ સાબિત થઇ શકે છે. હવા ફેર કરવા તેઓને કોઈક સ્થળે લઇ જાઓ. તેમને પાર્કમાં લઈ જઈ શકો છો, બાહ્ય પ્રવૃત્તિમાં સમય પસાર કરો, ખરીદી કરો, પિકનિક માટે જાઓ વગેરે ...
  • કુટુંબના સભ્યો જોડે સમૂહ મિલનની વ્યવસ્થા કરો જ્યાં દરેક જણ સાથે સમય પસાર કરો જેથી તેઓને યાદ આવે કે તેમની પાસે એવી વ્યક્તિઓ પણ છે જે તેમને પ્રેમ કરે છે અને તેમના પ્રત્યે કાળજી રાખે છે.
  • વ્યાયામ કરો, યોગા અને પ્રાણાયામ કરો, અથવા તેમની સાથે ચાલવા જાઓ.
  • નીતનવી વસ્તુઓ શીખવાનો પ્રયાસ કરો અથવા ક્લબમાં જોડાઓ જ્યાં તમે એક સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો.

વધુ સમાધાન મેળવવા, નીચે દર્શાવ્યા પ્રમાણે પ્રયાસ કરો:

  • વર્તમાનની આવેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે એમને ખૂટતી શક્તિઓ મળી રહે, એ બદલ પ્રાર્થના કરો.
  • પ્રાર્થના દ્વારા તમારી ચિંતાઓ, ગુનાઓ, ડર અને અન્ય કોઈપણ ભાવનાઓને બદલો.
  • તેમને પણ પ્રાર્થના કરવા માટે પ્રોત્સાહિત કરો.
  • દસ મિનિટ માટે તેમને નીચે દર્શાવ્યા પ્રમાણે પાઠ કરવા કહો:- હું-અ-નં-ત-સુ-ખ-નું-ધા-મ-છું અથવા હું-અ-નં-ત-શ-ક્તિ-વા-ળો-છું. જો શક્ય હોય તો, દરેક અક્ષરનું વાંચન કરતી વખતે તમને એકાગ્ર ચિત્તપૂર્વક મનમાં એકે એક શબ્દ ધ્યાનથી વાંચી શકાય એ રીતે બોલવાનું કહો. તેઓ ખૂબ શાંતિનો અનુભવ કરશે.
  • જો શક્ય હોય તો, તેઓ જે ભગવાનને માનતા હોય તેમનું નિદિધ્યાસન કરવાનું કહેવું આના દ્વારા તેમના મનને શાંતિ પ્રાપ્ત થશે.
  • તેમને જે સંકટનો સામનો કરવો પડે છે તેના માટે જો તમે પોતાને જવાબદાર માનતા હોવ, તો તેમની માફી માંગો. તમે આ આંતરિક રીતે પણ કરી શકો છો. આમ કરવાથી, તમે હીનભાવ (પસ્તાવાની લાગણી) માંથી બહાર નીકળી શકશો. આ સર્વની અસર સામા વ્યક્તિ સુધી પણ પહોંચે છે.

આ સમયગાળા દરમિયાન, ધ્યાન રાખો કે આ ક્રિયાને સમય લાગશે અને તમારે ધીરજ રાખવાની જરૂર રહેશે. પ્રગતિ ભલે ધીમી થશે, પરંતુ છેવટે તમે ત્યાં પહોંચશો! જો તમને લાગે કે તમે નિયંત્રણ ગુમાવી રહ્યા છો, તો તરત જ આત્મહત્યા નિવારણ માટે મદદરૂપ એવા નિષ્ણાતોની સહાયતા મેળવો અને વધુ મોડું ના કરશો. ટૂંકમાં, વ્યક્તિગત, વ્યાવસાયિક અથવા કોઈપણ અન્ય રીતે તેમના માટે તમે જેટલા બની શકે એટલા બધા જ પ્રયત્ન કરો. સકારાત્મક (પોઝીટિવ) મન રાખો અને તેમના માટે અને તમારા માટે મજબૂત બનો.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.
  13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતનાં પરિણામો કયા છે?
  21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
×
Share on