અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો15 ડિસેમ્બર |
10 ડિસેમ્બર | to | 12 ડિસેમ્બર |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોએય છે અહંકાર!
પ્રશ્નકર્તા: આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો અહંકાર કહેવાય કે માન કહેવાય?
દાદાશ્રી: એને તુચ્છકાર કહેવાય. એનો આપણા પ્રત્યે તુચ્છકાર કહેવાય. આપણો અહંકાર ઘવાયા કરે. ખોટું લાગ્યું એ આપણો અહંકાર જ છે ને? એણે તુચ્છકાર કર્યો એટલે એને ગુનો લાગે. અને ખોટું લાગે તો આપણનેય ગુનો લાગુ પડે.
પ્રશ્નકર્તા: ઈગોઈઝમને ઓળખવો કેવી રીતે?
દાદાશ્રી: ઈગોઈઝમ તો બધાને ઓળખાય, હમણાં અપમાન થાય ને તે તરત ઓળખાય કે ના ઓળખાય? 'તમારામાં અક્કલ નથી' કહેતાંની સાથે ડિપ્રેશન કોને આવે? ઈગોઈઝમને આવે ને? એ ઈગોઈઝમ તો વારેઘડીએ સમજણ પડે.
પ્રશ્નકર્તા: દાદા, એ ક્લિયર નથી થતું. એમાં ગૂંચવાડા થાય છે.
દાદાશ્રી: ના, ક્લિયર જ છે, આમાં તો. આ વાત વાતમાં તમને 'ઊઠો અહીંથી' એમ કહે, તોય તમારો ઈગોઈઝમ તરત ઊભો થઈ જશે. ઈગોઈઝમ તો વારેઘડીએ આખો દહાડો વપરાયા જ કરે છે. લોકોય સમજી જાય કે મારો ઈગોઈઝમ બહુ ભારે છે. આમાં 'ઈગોઈઝમ ભારે છે' એવું જાણકાર કોણ છે? ત્યારે કહે, એ જ ઈગોઈઝમ.
ખાલી અહંકારથી જ જીવે છે. 'હમારે જૈસા કોઈ નહીં, હમારે જૈસા કોઈ નહીં, ઈસસે મૈં બડા હૂં, ઈસસે મૈં બડા હૂં', બસ!
આ મનુષ્ય ગમે તેવો નાલાયક હોય, છેલ્લામાં છેલ્લા નંબરનો હોય તોય 'એ' ઉપરી તો છે જ. એટલે પછી એને શું ભાંજગડ? આ આદિવાસી ય શું કહે? હું આ ચાર ગાયોનો માલિક છું. લે, પછી એને શું દુઃખ? એટલે અહંકારથી આ બધું ઊભું કરે છે ને અહંકારથી 'આ ચાર ગાયોનો હું માલિક છું, આ પાંચસો ઘેટાંનો હું માલિક છું' અને લોકોય એવું કહે કે, 'હું આનો માલિક છું.' એટલે મનુષ્યપણું જે છે એ અહંકારથી બધું ઘેરાયેલું છે.
1) મનનો સ્વભાવ કેવો છે? કે, 'મને ડીપ્રેશન આવ્યું' કહે તો એક રતલને બદલે દસ રતલ બોજો થઇ જાય, ને 'મને ડીપ્રેશન નથી જ' કહે તો બોજો દસ રતલને બદલે એક રતલ થઇ જાય.
2) શુદ્ધાત્મા અને સંયોગો બે જ છે. પણ વચ્ચે અહંકારની ફાચર એને જંપવા નથી દેતી.
3) સંસારમાં જેટલું ઊંધું ચાલ્યા તેટલો ઇગોઇઝમ. ને જેટલો ઇગોઇઝમ ઓગળે તેટલું સનાતન સુખ વર્ત્યા કરે. 'જ્ઞાની પુરુષ' ને ઇગોઇઝમ ખલાસ થઈ ગયેલો હોય, તેથી નિરંતર સનાતન સુખ રહે. કોઈ અપમાન કરે તો ય પોતાને મહીં સુખ લાગે, ત્યારે એમ થાય કે ઓહોહો ! આ કેવું સુખ !!!
4) હવે અહીં તમે બધું સમર્પણ કરો એટલે ઇગોઇઝમ જાય. આ જ્ઞાન પછી તમને પણ ડિપ્રેશન કે એલિવેશન ના થાય. અને કોઈ ટૈડકાવે કે જેલમાં ઘાલી દે તોય ડિપ્રેશન આવે નહીં, એનું નામ વિજ્ઞાન કહેવાય. આ વૈજ્ઞાનિક રસ્તો છે.
આમ ઓછો અહંકાર, અજ્ઞાનદશામાં!
પ્રશ્નકર્તા: જ્ઞાન ના લીધું હોય તો ઇગોઇઝમ કેવી રીતે ઓછો કરી શકાય?
દાદાશ્રી: કોઈ અપમાન કરે એટલે ઈગોઈઝમ તૂટવા માંડે. ઈગોઈઝમ તૂટવો અને ઘસાવો એમાં બહુ ફેર. આ ઈગોઈઝમ તૂટે આમ. એટલે કોઈ અપમાન કરે તો 'દાદા ભગવાન, એને શાંતિ આપો' એવો ભાવ કરવો જોઈએ. પછી કોઈ જગ્યાએ દસ ડૉલર પડી ગયા તો ચિંતા નહીં કરવાની. 'દાદા, તમને ગમ્યું એ ખરું', કહીએ. પછી 'હું અક્કલવાળો છું' એવું ક્યારેય બોલવું નહીં. 'હું અક્કલ વગરનો છું' એ ક્યારેય બોલવું નહીં. નહીં તો સાયકોલોજી ઇફેક્ટ થઈ જાય. 'અક્કલવાળો છું' બોલવાથી ઇગોઇઝમ વધતો જાય. એટલે આવા બધા પ્રયોગ કરે, સહન કરવાના અને બીજું, દાદા ભગવાનને ગમ્યું એ ખરું, એમ કહીને ચલાવીએ. એટલે ઇગોઇઝમ ઓછો થઈ જાય. તમને સમજાયું? ટૂંકું ને ટચ છે, લાંબું નથી બહુ. આટલો થોડો પ્રયોગ કરશોને તો બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા: પણ જ્યારે વખત આવે ત્યારે પ્રેક્ટિસમાં નથી આવતું.
દાદાશ્રી: દાદા ભગવાનનું નામ દેશો એટલે થશે. એમ ને એમ તું સીધું કરવા જઈશ તો નહીં થાય. અમે આશીર્વાદ આપીએ. કોઈ ફેરો સામાને દુઃખ થાય એવું બોલાઈ જવાય, ન ઇચ્છા હોય તોય, તો તે ઘડીએ પસ્તાવો કરજે. અને પછી એવું કહેજે કે, 'દાદા ભગવાન, એને શાંતિ આપજો.' ઇગોઇઝમની અસરેય થાય છે. અત્યારે ઇગોઇઝમ કાપી નાખેને તો કપાઈ જાય. પણ એની લીંક જતી નથી એ, મૂળિયું જતું નથી. પછી બાર મહિના, બે વર્ષ પછી ફરી ફૂટી નીકળે. આ વિજ્ઞાન સાયન્ટિફિક છે, એટલે યથાર્થ કામ કરનારું છે.
*દાદા ભગવાન = જયારે કોઈ પૂછે “દાદા ભગવાન કોણ છે?” – દાદાશ્રી કેહતા કે: દાદા ભગવાન, જે ચૌદ લોકનો નાથ છે. એ તમારામાંય છે, પણ તમારામાં પ્રગટ નથી થયેલા. તમારામાં અવ્યક્ત રૂપે રહેલા છે અને અહીં વ્યક્ત થયેલા છે. તે વ્યક્ત થયેલા, એ ફળ આપે એવા છે. એક ફેરો આપણે બોલીએને તોય કામ નીકળી જાય એવું છે. પણ ઓળખીને બોલીએ તો કલ્યાણ થઈ જાય.
Book Name: આપ્તવાણી 10 (U) (Page #358 - Paragraph #10 to #11, Page #359 - Paragraph #1 to #7)
subscribe your email for our latest news and events