અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે!
પ્રશ્નકર્તા: અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે? કોઈ પણ કામ કરવાનું હોય તો માણસને એને પોતાને આત્મવિશ્વાસ ના હોય તો એ કામ ના કરી શકે.
દાદાશ્રી: નહીં, એ તો બુદ્ધિનું ડિસિઝન છે અને એ તો કર્મના આધીન છે.
પ્રશ્નકર્તા: જેને સેલ્ફ કોન્ફિડન્સ કહીએને, તે?
દાદાશ્રી: નહીં, 'કોન્ફિડન્સ' તો આવે કે ના આવે, પણ છેવટે 'ડિસિઝન' આપ્યા વગર રહે નહીં. કારણ કે ટાઈમ થયો એટલે ડિસિઝન અપાઈ જ જાય. 'સેલ્ફ કોન્ફિડન્સ'વાળો જરા નીડર રહે અને પેલો ડર્યા કરે અને એને શંકા થયા કરે.
પ્રશ્નકર્તા: 'સેલ્ફ કોન્ફિડન્સ' ને અહંકારને શું લેવાદેવા હોય?
દાદાશ્રી: 'સેલ્ફ કોન્ફિડન્સ'વાળો કોણ હોય કે જેનો અહંકાર જરા કમી (ઓછો) થયેલો હોય તે!
પ્રશ્નકર્તા: કમી હોય કે વધારે હોય?
દાદાશ્રી: કમી હોય.
પ્રશ્નકર્તા: સામાન્ય રીતે તો અમને અહંકાર અને સેલ્ફ કોન્ફિડન્સ એ બન્ને ભેગા દેખાય છે.
દાદાશ્રી: એ તો આપણને લાગે એવું, પણ મૂળમાં અહંકાર દબાયેલો હોય તો સેલ્ફ કોન્ફિડન્સ આવે, નહીં તો ના આવે. હંમેશાં જો ઇગોઇઝમ પ્રમાણમાં વધારે હોયને તો સેલ્ફ કોન્ફિડન્સ એ માણસને હોય જ નહીં. એ ગૂંચાયા જ કરતો હોય. ત્રણ કલાક ગૂંચાય ત્યારે ઠેકાણે પડે. તેય પાછું કેવું કે 'એવિડન્સ' (સંયોગો) મળે એની મેળે, કુદરતી રીતે ત્યારે ઠેકાણે પડે. પોતાને ગૂંચામણ હોય પણ 'વ્યવસ્થિત શક્તિ' ઠેકાણે પાડી દે છે.
પ્રશ્નકર્તા: આ જગતમાં જે મોટા માણસો થયા, તે બધાને 'ઇગોઇઝમ' મોટો હતો કે 'સેલ્ફ કોન્ફિડન્સ' મોટો હતો?
દાદાશ્રી: ઇગોઇઝમ ઓછો હતો. સેલ્ફ કોન્ફિડન્સ વધારે હતો. જેટલો ઇગોઇઝમ વધારે ને, એટલું એ ડિસિઝન નહીં આપી શકે. સ્ટેશન જવું, આ રસ્તે જવું કે આમ જવું, તેમાંય ગૂંચાય. ગૂંચાયેલા માણસ નહીં જોયેલા તમે?
પ્રશ્નકર્તા: અહંકારી માણસ હોય છે, તે પોતાના અહંકારના માર્યા પણ અમુક પ્રગતિ તો કરે છેને?
દાદાશ્રી: એય અહંકાર છે, પણ એનો અહંકાર બીજા કરતાં ઓછો છે. જે પેલો ગૂંચાય છેને, તેનાં કરતાં આનો અહંકાર ઓછો છે. અને અહંકારને 'સોલ્યુશન' કરીને, શોધખોળ કરીને છૂટો કરેલો છે. એણે અહંકારની 'રિસર્ચ' (શોધખોળ) કરેલી છે, પેલાએ તો 'રિસર્ચ' જ નથી કરી!
પ્રશ્નકર્તા: એનો કોન્ફિડન્સ બિયોન્ડ (આત્મવિશ્વાસથી પર) જાય છે ત્યાં ઇગોઇઝમ નથી આવતો?
દાદાશ્રી: ના, એવું નથી.
પ્રશ્નકર્તા: અહંકારથી ફાયદો શું થતો હશે?
દાદાશ્રી: અહંકાર કશું જ કરતો નથી, તો અહંકારથી ફાયદો શું થતો હશે? અહંકાર કાયમ નુકસાન જ કરે, ડખો કરે. તો અહંકાર શું નુકસાન કરે છે, એ કંઈ કહેશો? આ લોક અહંકાર કરે છે ને એનો ફાયદો શું મળે છે? જેટલો અહંકાર કરે છેને, એ પોતે નથી કરતો, એટલે એ આરોપ કરે છે, તેથી તેનું ફળ આવતો ભવ મળે છે. પોતે પોતાની પ્રતિષ્ઠા કરી રહ્યો છે, આવતા ભવની!
પ્રશ્નકર્તા: આ જૂનું ભોગવી રહ્યો છે, એને એ તો એવું માને છે કે આ મેં કર્યું.
દાદાશ્રી: હા, ભોગવી રહ્યો છે, તેમાં અહંકાર કરવાનો હોય નહીંને!
પ્રશ્નકર્તા: પણ લોકો તો એ જ કરે છેને? સામાન્ય જીવનમાં તો એ જ થાય છેને?
દાદાશ્રી: હા, તે ભોગવી રહ્યાનો અહંકાર કરે કે 'મેં કર્યું.' કહેશે, 'હું ગાડીમાં આવ્યો, હું નાહ્યો, હું સંડાસ જઈ આવ્યો, મેં ચા પીધી' અને તે કરેક્ટ માને પાછા, વિશ્વાસ હઉ રાખે. નહીં તો એવું ડ્રામેટિક બોલવામાં વાંધો નથી.
પ્રશ્નકર્તા: એટલે એ જે કહે છે, એ આવતા જન્મનું બાંધે છે.
દાદાશ્રી: પોતાની પ્રતિષ્ઠા જે કરી રહ્યો છે એ ટાંકણું લઈને ઘડ ઘડ કરે છે. પોતાની મૂર્તિ ઘડે છે. ચાર પગવાળી, છ પગવાળી કે આઠ પગવાળી કે બે પગવાળી મૂર્તિ ઘડી રહ્યો છે. તે બે પગમાં વિશ્વાસ ના હોય તો ચાર પગની બનાવને, પડી તો ના જવાય! અને જો પાછળ એક પૂંછડું મૂકે તો દોડે, આમ પૂંછડું ઊંચું કરીને દોડે!
પ્રશ્નકર્તા: જેમ જેમ અહંકાર શુદ્ધ થતો જાય એમ એમ આત્મવિશ્વાસ વધતો જાય?
દાદાશ્રી: એ અહંકારનું શુદ્ધિકરણ થવું એ વાત જુદી છે. પણ શુદ્ધિકરણ થાય નહીંને! શુદ્ધિકરણ માટે રસ્તો જોઈએ. એનો રસ્તો હોય છે. ને સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે મોક્ષ થઈ જાય.
Book Name: આપ્તવાણી 10 (U) (Page #501 - Paragraph #2 to #8, Entire Page #502 & #503, Page # 504 – Paragraph #1)
Q. અહમ એટલે શું? શું અહમ અને અહંકાર બંને એક જ છે?
A. અહમ્ એ નથી અહંકાર! પ્રશ્નકર્તા: આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે? દાદાશ્રી:... Read More
Q. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે?
A. એ સત્તા કોની? રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે છે? પ્રશ્નકર્તા: જાતે ઊંઘી... Read More
Q. અહંકાર કોને કેહવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
A. આનેય કહેવાય અહંકાર! 'હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે... Read More
Q. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડીપ્રેશન કોને આવે છે?
A. એય છે અહંકાર! પ્રશ્નકર્તા: આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો... Read More
Q. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભકિત મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
A. જાય શું, એ જપ-તપથી? પ્રશ્નકર્તા: જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય... Read More
Q. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર- બન્ને અહંકાર જ છે?
A. અહંકાર, પોઝિટિવ અને નેગેટિવ! એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો!... Read More
A. દયા છે, અહંકારી ગુણ! પ્રશ્નકર્તા: દયામાં અહંકાર હોય છે? દાદાશ્રી: દયા એ અહંકારી ગુણ! દ્વન્દ્વ... Read More
Q. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુકત કેવી રીતે થવું?
A. સહુમાં અહંકાર સરખો જ! આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય? અહંકાર તો જીવમાત્રને હોય.... Read More
Q. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
A. અનેક પ્રકારે ભોગવટા! આત્મા કશું દુઃખ ભોગવતો નથી. આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ અડે નહીંને.... Read More
Q. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
A. પ્રશ્નકર્તા: ધેન ઈગોઇઝમ ઇઝ ધી ફન્ડામેન્ટલ કૉઝ (તો પછી અહંકાર મૂળ પાયાનું કારણ છે)? દાદાશ્રી:... Read More
Q. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
A. આઈ - માય = ગૉડ! પ્રશ્નકર્તા: અહંકાર અને મમતા એ બેમાં ફેર શું? દાદાશ્રી: એવું છેને, જો મમતા વગરનો... Read More
Q. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ?
A. સૂર્યનારાયણના પ્રકાશમાં પડછાયાને ઉત્પન્ન થતા કેટલો સમય લાગે? અરીસાની સામે વસ્તુ આવે તો તેનું... Read More
Q. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
A. ગો ટુ જ્ઞાની! પ્રશ્નકર્તા: હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ? દાદાશ્રી: જેનો અહંકાર... Read More
subscribe your email for our latest news and events