સહુમાં અહંકાર સરખો જ!
આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય? અહંકાર તો જીવમાત્રને હોય. જ્યાં દેહાધ્યાસ ત્યાં અહંકાર હોય જ.
પ્રશ્નકર્તા: કો'કનો વધારે વાગે એવો હોય.
દાદાશ્રી: ના, અહંકાર બધે સરખો જ હોય. વાગે એવો કે ના વાગે એવો હોય, એવું ના હોય. અહંકાર બીજી કોઈ વસ્તુ નથી. જ્યાં પોતે નથી ત્યાં પોતાપણું સ્થાપન કરવું, એટલા જ ભાગને અહંકાર કહેવામાં આવે છે. જ્યાં પોતે નથી ત્યાં પોતાપણાનો આરોપ કરવો, એનું નામ અહંકાર. જ્યાં 'હું' નથી ત્યાં 'હું' માનવું એ અહંકાર. કેટલા લોકો આવે એમાં?
પ્રશ્નકર્તા: બધા જ.
દાદાશ્રી: એક ફક્ત જ્ઞાનીઓ છૂટા રહ્યા આમાં. એટલે અહંકારમાં સંસાર જોડે કશું લેવાદેવા નથી, પણ પોતાના આરોપિત ભાવને જોડે છે એ. એ તો બધું આખું જગત એમાં હોય.
પ્રશ્નકર્તા: અહંકાર ઓછો-વધતો હોય?
દાદાશ્રી: ના.
પ્રશ્નકર્તા: સરખો જ હોય બધામાં?
દાદાશ્રી: સરખો જ.
પ્રશ્નકર્તા: કો'ક આપણને બહુ અહંકારી લાગે, કો'ક આપણને નમ્ર લાગે.
દાદાશ્રી: એ નહીં. અહંકાર જોડે બીજો શબ્દ જ ના હોય. અહંકાર તો અહંકાર, આરોપિત ભાવ. એ કોઈ વસ્તુ જ નથી, ટકાઉપણું નથી ને આરોપિત ભાવ ઊડી જાય તો જતોય રહે. અમે અહંકાર કાઢી નાખીએ છીએ. દેહને આત્મા માનવો એ અહંકાર. જે જે હું છું માનવું એ અહંકાર. એટલે આ બધી અજ્ઞાન માન્યતાઓ ફ્રેક્ચર કરી નાખીએ તો અહંકાર ઊડી જાય.
Q. અહમ એટલે શું? શું અહમ અને અહંકાર બંને એક જ છે?
A. અહમ્ એ નથી અહંકાર! પ્રશ્નકર્તા: આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે? દાદાશ્રી:... Read More
Q. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે?
A. એ સત્તા કોની? રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે છે? પ્રશ્નકર્તા: જાતે ઊંઘી... Read More
Q. અહંકાર કોને કેહવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
A. આનેય કહેવાય અહંકાર! 'હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે... Read More
Q. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડીપ્રેશન કોને આવે છે?
A. એય છે અહંકાર! પ્રશ્નકર્તા: આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો... Read More
Q. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભકિત મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
A. જાય શું, એ જપ-તપથી? પ્રશ્નકર્તા: જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય... Read More
Q. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર- બન્ને અહંકાર જ છે?
A. અહંકાર, પોઝિટિવ અને નેગેટિવ! એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો!... Read More
A. દયા છે, અહંકારી ગુણ! પ્રશ્નકર્તા: દયામાં અહંકાર હોય છે? દાદાશ્રી: દયા એ અહંકારી ગુણ! દ્વન્દ્વ... Read More
Q. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
A. અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે! પ્રશ્નકર્તા: અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે? કોઈ પણ... Read More
Q. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
A. અનેક પ્રકારે ભોગવટા! આત્મા કશું દુઃખ ભોગવતો નથી. આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ અડે નહીંને.... Read More
Q. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
A. પ્રશ્નકર્તા: ધેન ઈગોઇઝમ ઇઝ ધી ફન્ડામેન્ટલ કૉઝ (તો પછી અહંકાર મૂળ પાયાનું કારણ છે)? દાદાશ્રી:... Read More
Q. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
A. આઈ - માય = ગૉડ! પ્રશ્નકર્તા: અહંકાર અને મમતા એ બેમાં ફેર શું? દાદાશ્રી: એવું છેને, જો મમતા વગરનો... Read More
Q. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ?
A. સૂર્યનારાયણના પ્રકાશમાં પડછાયાને ઉત્પન્ન થતા કેટલો સમય લાગે? અરીસાની સામે વસ્તુ આવે તો તેનું... Read More
Q. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
A. ગો ટુ જ્ઞાની! પ્રશ્નકર્તા: હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ? દાદાશ્રી: જેનો અહંકાર... Read More
subscribe your email for our latest news and events