અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
જાય શું, એ જપ-તપથી?
પ્રશ્નકર્તા: જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય થાય?
દાદાશ્રી: જપ, યોગ એ બધા તો અહંકારને વધારનારા છે. આમાં ભક્તિ અહંકાર નથી વધારતી, ભક્તિ તો અહંકારને ઘટાડે છે.
પ્રશ્નકર્તા: ભક્તિથી અહંકાર કંટ્રોલમાં આવી શકે?
દાદાશ્રી: ભક્તિથી અહંકાર ઓછો થાય. પણ ભક્તિ ના કરે એટલે પાછો વધી જાય. ઓછો થાય ને વધી જાય. પણ 'એને' ખરેખર 'હું કોણ છું' એનું ભાન થાય, એ જાણે એટલે ઇગોઇઝમ ખલાસ થઈ જાય, એક્ઝેકટ જાણે ત્યારે. આ તો જાણ્યું ના કહેવાય. જાણ્યું એટલે તો ઇફેક્ટિવ (અસરકારક) હોવું જોઈએ.
પ્રશ્નકર્તા: આ કરીએ છીએ એ ઇગોઇઝમ છે, તો એ ઇગોઇઝમ આપણે છોડવો હોય તો એ બધું નહીં કરવાનું, એમ?
દાદાશ્રી: પણ આ કોણ બોલે છે? આ ઇગોઇઝમ પોતે જ બોલે છે કે, 'મારે ઇગોઇઝમ છોડવો છે.' બોલો હવે, એ જાતે મરતો હશે? જાતે ઝેર ખાય? એટલે આ ઇગોઇઝમ પોતે બોલે છે કે 'મારે ઇગોઇઝમ છોડવો છે.' કેટલો બધો વિરોધાભાસ લાગે?
પ્રશ્નકર્તા: તો માનવી અહંકાર મુક્ત થઈ શકે નહીં?
દાદાશ્રી: અહંકાર મુક્ત ના થાય તો પછી મોક્ષ હોય જ નહીંને! મારામાં છાંટોય અહંકાર નથી, સેન્ટ પરસેન્ટ (સો ટકા) નથી. જ્યાં સેન્ટ પરસેન્ટ બુદ્ધિ ના હોય ત્યાં સેન્ટ પરસેન્ટ અહંકાર ના હોય.
પ્રશ્નકર્તા: મારામાં અહંકાર નથી એમ કહેવું એ અહંકાર નથી?
દાદાશ્રી: એ સમજવાનું છે. આ કોણ બોલે છે એ તમે જાણો છો? આ ઓરિજિનલ ટેપરેકર્ડ વાત કરે છે.
પ્રશ્નકર્તા: એ વસ્તુ બરાબર છે પણ અહંકારશૂન્ય બનવું કેવી રીતે, એ જ તકલીફ છે?
દાદાશ્રી: એ બનવાનું તો, એ અહંકારશૂન્યની પાસે જાવ, ત્યાર પછી એનો રસ્તો જડે. અને જ્યારે પોતાના સ્વરૂપમાં આવો ત્યારે અહંકારશૂન્ય થાય.
અહંકાર ઓગાળેલો હોયને તેમને કહીએ, 'તમે અમને કંઈક હેલ્પ કરો.' આપણે કહીએ તો એ હેલ્પ કરે. જેમ આપણે કોઈ એક જગ્યાએ ડૉક્ટરને કહીએ કે 'સાહેબ, આ મારી તબિયત આમ થઈ છે, મને હેલ્પ કરો.' એમાં પૈસા લેવાના હોય છે અને આમાં પૈસા ના હોય એટલો જ ફેર. આપણે કહીએ કે હેલ્પ કરો એટલે હેલ્પ કરે તરત જ. એટલે ઈગોઈઝમ સમાપ્ત કરવાનો માર્ગ ના હોય તો ઇગોઇઝમ ઉત્પન્ન જ ના થાય. આ જગતમાં જે જન્મે એનું મરણ હોય જ, પણ લોકોને રસ્તો જડતો નથી. હવે એ ઇગોઇઝમ તો ખાલી થાય, પણ ક્યાં આગળ થાય? ત્યારે કહે, જેણે ઇગોઇઝમ ખાલી કરેલો હોય ત્યાં આપણે જઈએ કે ભાઈ, મારો ઇગોઇઝમ ખાલી થાય, એવી કંઈ કૃપા કરો તો એ થઈ જાય. બાકી જેની પાસે ઇગોઇઝમની સિલક જ હોય, તે આપણો ઇગોઇઝમ શી રીતે કાઢી આપે?
1. કરવાથી' 'હું કોણ છું' એ જાણી શકાય તેમ નથી. 'કરવામાં' તો અહંકાર જોઈએ. ને અહંકાર હોય ત્યાં 'હું કોણ છું' તે જાણી ના શકાય!
2. આ મેં કર્યું' એનાથી અહંકાર ઊભો થાય. 'આ મારું' એનાથી મમતા ઊભી થાય.
3. ભગવાનની ભાષામાં જ્ઞાની એટલે? જેના ક્રોધ-માન-લોભ સંપૂર્ણ ગયા છે તે, નિર્અહંકારી થઈ ગયા છે તે.
4. અહંકાર શૂન્ય થાય તે જ અધ્યાત્મ છે.
5. જ્યાં જ્ઞાની હોય ત્યાં જ અહંકાર જાય, નહીં તો અહંકાર જાય નહીં.
Q. અહમ એટલે શું? શું અહમ અને અહંકાર બંને એક જ છે?
A. અહમ્ એ નથી અહંકાર! પ્રશ્નકર્તા: આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે? દાદાશ્રી: જુદું જુદું છે. શબ્દો જ જુદા છે ને? પ્રશ્નકર્તા: એનો ભેદ...Read More
Q. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે?
A. એ સત્તા કોની? રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે છે? પ્રશ્નકર્તા: જાતે ઊંઘી જઉં છું. દાદાશ્રી: જાતે, નહીં? કો'ક ફેરો ના ઊંઘ આવે...Read More
Q. અહંકાર કોને કેહવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
A. આનેય કહેવાય અહંકાર! 'હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે દેખાડું. પછી કહેશે, આ બેનનો ફાધર થઉં એ બીજો અહંકાર. પછી આ...Read More
Q. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડીપ્રેશન કોને આવે છે?
A. એય છે અહંકાર! પ્રશ્નકર્તા: આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો અહંકાર કહેવાય કે માન કહેવાય? દાદાશ્રી: એને તુચ્છકાર કહેવાય....Read More
Q. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર- બન્ને અહંકાર જ છે?
A. અહંકાર, પોઝિટિવ અને નેગેટિવ! એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો! એની વાઇફેય મરી ગયેલી. એને બે છોકરા, એક દોઢ વર્ષનું ને...Read More
A. દયા છે, અહંકારી ગુણ! પ્રશ્નકર્તા: દયામાં અહંકાર હોય છે? દાદાશ્રી: દયા એ અહંકારી ગુણ! દ્વન્દ્વ ગુણો બધા અહંકારી ગુણો. દ્વન્દ્વ ગુણો બધા અહંકારી, દ્વૈતેય...Read More
Q. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
A. અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે! પ્રશ્નકર્તા: અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે? કોઈ પણ કામ કરવાનું હોય તો માણસને એને પોતાને આત્મવિશ્વાસ ના હોય...Read More
Q. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુકત કેવી રીતે થવું?
A. સહુમાં અહંકાર સરખો જ! આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય? અહંકાર તો જીવમાત્રને હોય. જ્યાં દેહાધ્યાસ ત્યાં અહંકાર હોય જ. પ્રશ્નકર્તા: કો'કનો...Read More
Q. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
A. અનેક પ્રકારે ભોગવટા! આત્મા કશું દુઃખ ભોગવતો નથી. આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ અડે નહીંને. જે સુખ ભોગવે છે તે જ દુઃખ ભોગવે છે. એટલે સુખ કોણ ભોગવે...Read More
Q. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
A. પ્રશ્નકર્તા: ધેન ઈગોઇઝમ ઇઝ ધી ફન્ડામેન્ટલ કૉઝ (તો પછી અહંકાર મૂળ પાયાનું કારણ છે)? દાદાશ્રી: ફન્ડામેન્ટલેય નથી. એ તો આ તમારું ઊભું થયેલું કૉઝ છે. કૉઝીઝ...Read More
Q. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
A. આઈ - માય = ગૉડ! પ્રશ્નકર્તા: અહંકાર અને મમતા એ બેમાં ફેર શું? દાદાશ્રી: એવું છેને, જો મમતા વગરનો અહંકાર હોય તો મોક્ષે લઈ જાય. આ મમતાવાળો અહંકાર એટલે...Read More
Q. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ?
A. સૂર્યનારાયણના પ્રકાશમાં પડછાયાને ઉત્પન્ન થતા કેટલો સમય લાગે? અરીસાની સામે વસ્તુ આવે તો તેનું પ્રતિબિંબ ઉત્પન્ન થતા કેટલી વાર લાગે? એ કેવી રીતે બનતું હશે? એ...Read More
Q. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
A. ગો ટુ જ્ઞાની! પ્રશ્નકર્તા: હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ? દાદાશ્રી: જેનો અહંકાર ખલાસ થઈ ગયો હોય ત્યાં જવું અને નહીં તો અહંકાર વધારવો હોય...Read More
subscribe your email for our latest news and events