અહંકાર કોને કહેવાય?
અહંકાર એટલે જ્યાં પોતે નથી ત્યાં 'હું' છું એવું આરોપણ કરવું. આપણે ખરેખર દેહ કે નામ સ્વરૂપે નથી છતાં આપણે દેહ કે નામ સ્વરૂપે છીએ એવું માનીએ છે. પોતે જે સ્વરૂપે છે એનું ભાન થવું એનું નામ નિરહંકાર.
શું આપણે અહમ્ પાછળનું સાચું વિજ્ઞાન જાણીએ છીએ?
વૈજ્ઞાનિક રીતે, જ્યારે બે અલગ અલગ તત્ત્વો ભેગા થાય છે, ત્યારે કંઈક ત્રીજું જ વિશેષ પરિણામ ઊભું થાય છે. એવી જ રીતે, જ્યારે શરીર અને આત્મા ભેગા થાય છે, ત્યારે અહમ્નો ઉદ્ભવ થાય છે.
તો, અહમ્ શું છે? અહમ્ એટલે ‘હું’. ‘હું છું’. બધા જ જીવોને પોતાના અસ્તિત્વનું ભાન તો છે જ કે ‘હું છું’, પરંતુ તેમને જાગૃતિ નથી કે: ”હું શું છું”. અને એ જ કારણ છે કે આપણે આ શરીર અને તેને આપવામાં આવેલા નામને જ પોતાનું સ્વરૂપ માનીએ છીએ. ઉદાહરણ તરીકે, કોઈ કહે કે, ”હું ચંદુ છું”, પણ તે તો આ શરીરને ઓળખવા માટે આપવામાં આવેલું નામ છે. હું ‘ચંદુ’ નથી અને છતાં પણ આપણે માનીએ છીએ કે હું ‘ચંદુ’ છું.
જે ખરેખર આપણે છીએ જ નહીં અને તેને પોતાનું માનવું, એ અહંકાર કહેવાય છે. “હું આ શરીર છું”, “હું એન્જિનિયર છું”, “હું આમનો પતિ છું”, “હું આટલા વર્ષનો છું”, “હું જાડો છું”, વગેરે બધા અહંકારના સ્વરૂપો છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, "અહમ્ કાઢવાનો નથી, અહંકાર કાઢવાનો છે."
જ્ઞાની પુરુષની કૃપાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીએ, એ જ આપણા અહંકારથી મુક્તિ મેળવવાનો ઝડપી અને સરળ રસ્તો છે. આ જ્ઞાનથી જ આપણા અહંકારનો વિલય થશે.
અહમ્ અને અહંકાર શું છે, તે વિશે વધુ જાણવા માટે આગળ વાંચો...


Q. અહમ્ એટલે શું? શું અહમ્ અને અહંકાર બંને એક જ છે?
A. અહમ્ એ નથી અહંકાર! પ્રશ્નકર્તા: આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે? દાદાશ્રી:... Read More
Q. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબૂ છે?
A. એ સત્તા કોની? રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે છે? પ્રશ્નકર્તા: જાતે ઊંઘી... Read More
Q. અહંકાર કોને કહેવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
A. આનેય કહેવાય અહંકાર! 'હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે... Read More
A. એય છે અહંકાર! પ્રશ્નકર્તા: આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો... Read More
Q. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભક્તિ મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
A. જાય શું, એ જપ-તપથી? પ્રશ્નકર્તા: જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય... Read More
Q. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર - બંને અહંકારી જ છે?
A. અહંકાર, પોઝિટિવ અને નેગેટિવ! એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો!... Read More
A. દયા છે, અહંકારી ગુણ! પ્રશ્નકર્તા: દયામાં અહંકાર હોય છે? દાદાશ્રી: દયા એ અહંકારી ગુણ! દ્વંદ્વ ગુણો... Read More
Q. શું અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચે કોઈ સંબંધ છે?
A. અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે! પ્રશ્નકર્તા: અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે? કોઈ પણ... Read More
Q. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુક્ત કેવી રીતે થવું?
A. સહુમાં અહંકાર સરખો જ! આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય? અહંકાર તો જીવમાત્રને હોય.... Read More
Q. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે?
A. અનેક પ્રકારે ભોગવટા! આત્મા કશું દુઃખ ભોગવતો નથી. આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ અડે નહીં... Read More
Q. જો અહંકાર કર્મ બાંધે છે, તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
A. અહંકાર પહેલો થાય છે ને ત્યાર પછી આ શરીર બંધાય છે. ગીતાએ ખરું કહ્યું છે કે પહેલો અહંકાર થાય છે અને... Read More
Q. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
A. આઈ - માય = ગૉડ! પ્રશ્નકર્તા: અહંકાર અને મમતા એ બેમાં ફેર શું? દાદાશ્રી: એવું છે ને, જો મમતા વગરનો... Read More
Q. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
A. સૂર્યનારાયણના પ્રકાશમાં પડછાયાને ઉત્પન્ન થતા કેટલો સમય લાગે? અરીસાની સામે વસ્તુ આવે તો તેનું... Read More
Q. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
A. ગો ટૂ જ્ઞાની! પ્રશ્નકર્તા: હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ? દાદાશ્રી: જેનો અહંકાર... Read More


subscribe your email for our latest news and events
