પ્રશ્નકર્તા : હવે તો પછી કર્મબંધન કોને હોય છે, આત્માને કે દેહને ?
દાદાશ્રી : દેહ તો એ પોતે જ કર્મ છે. પછી બીજુ બંધન એને હોય ક્યાંથી ? આ તો જેને બંધન લાગતું હોય, જે જેલમાં બેઠો હોય તેને બંધન. જેલને બંધન હોય કે જેલમાં બેઠો હોય એને બંધન ? એટલે આ દેહ તો જેલ છે અને તેની મહીં બેઠો છે ને તેને બંધન છે. 'હું બંધાયો છું, હું દેહ છું, હું ચંદુભાઈ છું.' માને છે, તેને બંધન છે.
પ્રશ્નકર્તા : એટલે આપ કહેવા માંગો છો કે આત્મા દેહ થકી કર્મ બાંધે છે, ને દેહ થકી કર્મ છોડે છે ?
દાદાશ્રી : ના, એવું નથી. આત્મા તો આમાં હાથ ઘાલતો જ નથી. ખરી રીતે તો આત્મા છૂટ્ટો જ છે, સ્વતંત્ર છે. વિશેષભાવથી જ આ અહંકાર ઊભો થાય છે ને તે કર્મ બાંધે છે ને તે જ કર્મ ભોગવે છે. 'તમે છો શુદ્ધાત્મા' પણ બોલો છો કે 'હું ચંદુભાઈ છું.' જ્યાં પોતે નથી, ત્યાં આરોપ કરવો કે 'હું છું.' તે અહંકાર કહેવાય છે. પારકાના સ્થાનને પોતાનું સ્થાન માને છે, એ ઈગોઈઝમ છે. આ અહંકાર છૂટે એટલે પોતાના સ્થાનમાં અવાય. ત્યાં બંધન છે જ નહીં.
A. પ્રશ્નકર્તા : કર્મની વ્યાખ્યા શું ? દાદાશ્રી : કોઈ પણ કાર્ય કરો, એને 'હું કરું છું' એવો આધાર આપે એ... Read More
Q. શું કોઈની પાસે કંઈ જ કરવાની સત્તા છે?
A. દાદાશ્રી : તારે કોઈ વસ્તુ એવી થાય છે કે તારી ઈચ્છા ના હોય છતાંય તારે એવું કંઈ કરવું પડે ? એવું કંઈ... Read More
Q. શું કર્મ અંતઃક્રિયાથી બંધાય છે?
A. પ્રશ્નકર્તા : મનુષ્યને કર્મ લાગુ પડતાં હશે કે નહીં ? દાદાશ્રી : નિરંતર કર્મ બાંધ્યા જ કરે છે.... Read More
A. પ્રશ્નકર્તા : તો આ બધું ચલાવે છે કોણ ? દાદાશ્રી : આ તો બધું આ કર્મનો નિયમ એવો છે કે તમે જે કર્મ... Read More
Q. સારા માણસો ને શા માટે સહન કરવું પડે છે?
A. પ્રશ્નકર્તા : કોઈ પણ રોગ થવાથી મૃત્યુ પામે ત્યારે લોકો એમ બોલે કે પૂર્વજન્મનાં કોઈ પાપ નડે છે. એ... Read More
Q. સારા અને ખરાબ કર્મો માત્ર મનુષ્ય જીવનમાંજ.
A. પ્રશ્નકર્તા : મનુષ્યભવમાં જ કર્મ બંધાય. સારાં કર્મો પણ અહીંયાં જ બંધાય ને ? દાદાશ્રી : સારા કર્મો... Read More
Q. ખોટા કર્મોને (પાપ કર્મોને) સારા કર્મો (પુણ્ય કર્મો) ખલાસ કરી શકે?
A. પ્રશ્નકર્તા : પાપકર્મ અને પુણ્યકર્મનું પ્લસ-માઈનસ થઈને નેટમાં રીઝલ્ટ આવે છે, ભોગવટામાં... Read More
Q. કર્મ બંધનમાંથી મુકિતનો માર્ગ.
A. પ્રશ્નકર્તા : પુર્નજન્મમાં કર્મબંધ ઉકેલવાનો રસ્તો શો ? આપણને એમ સાધારણ ખબર છે કે ગયા ભવમાં આપણે... Read More
A. પ્રશ્નકર્તા : કર્મ થતાં ક્યારે અટકે ? દાદાશ્રી : 'હું શુદ્ધાત્મા છું' એનો અનુભવ હોવો જોઈએ. એટલે... Read More
subscribe your email for our latest news and events