અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
પ્રશ્નકર્તા : બુદ્ધિ કાઢવી જ છે. કારણ કે બહુ માર ખવડાવે છે.
દાદાશ્રી : તે બુદ્ધિ કાઢવી હોય તો બુદ્ધિ કંઈ (એમ ને એમ) જતી ના રહે. બુદ્ધિ તો આપણે એનાં કારણોને કાઢીએ તો આ કાર્ય જતું રહે. બુદ્ધિ એ કાર્ય છે. એનાં કારણો શું ? વાસ્તવિકતામાં જે બન્યું, એને ન્યાય કહેવામાં આવે, ત્યારે એ જતી રહે. જગત શું કહે ? વાસ્તવિકતાનું બનેલું ચલાવી લેવું પડે. અને ન્યાય ખોળ ખોળ કરે ને તેમાં ઝઘડાં ચાલુ રહે.
એટલે એમ ને એમ બુદ્ધિ ના જતી રહે. બુદ્ધિ જવાનો માર્ગ, એનાં કારણો ના સેવીએ તો બુદ્ધિ, એ કાર્ય ના થાય.
પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે બુદ્ધિ એ કાર્ય છે અને એનાં કારણો શોધો તો એ કાર્ય બંધ થઈ જાય.
દાદાશ્રી : એનાં કારણોમાં, આપણે છે તે ન્યાય ખોળવા નીકળ્યા, એ એનું કારણ. ન્યાય ખોળવાનું બંધ કરી દઈએ તો બુદ્ધિ જતી રહે. ન્યાય શેના માટે ખોળો છો ? ત્યારે પેલી વહુ શું કહે ? 'પણ તું મારી સાસુને ઓળખતી નથી. હું આવી ત્યારથી એ દુઃખ દે છે. એમાં મારો શો ગુનો ?'
કોઈ ઓળખ્યા વગર દુઃખ દેતું હશે ? એ ચોપડે જમે હશે તો તને આપ આપ કરે છે. ત્યારે કહે, 'પણ મેં તો એનું મોઢું જ જોયું નહોતું.' 'અરે, પણ તે આ ભવમાં નથી જોયું પણ આગલા ભવના ચોપડા શું કહે છે ?' માટે જે બને એ જ ન્યાય.
ઘેર છોકરો દાદાગીરી કરે છે, એ દાદાગીરી એ જ ન્યાય. આ તો બુદ્ધિ દેખાડે છે, છોકરો થઈને બાપની સામે દાદાગીરી ? જે બન્યું એ જ ન્યાય !
એટલે આ 'અક્રમ વિજ્ઞાન' શું કહે છે ? જુઓ આ ન્યાય ! લોક મને કહે છે, 'તમે બુદ્ધિ શી રીતે કાઢી નાખી ?' ન્યાય ખોળ્યો નહીં એટલે બુદ્ધિ જતી રહે. બુદ્ધિ ક્યાં સુધી ઊભી રહે ? ન્યાય ખોળીએ અને ન્યાયને આધાર આપીએ તો બુદ્ધિ ઊભી રહે, તો બુદ્ધિ કહેશે, 'આપણા પક્ષમાં છે ભાઈ.' એ કહેશે, 'આટલી સરસ નોકરી કરી અને આ ડાયરેક્ટરો શા આધારે વાંકું બોલે છે ?' આ આધાર આપો છો ? ન્યાય ખોળો છો ? એ બોલે છે તે જ કરેક્ટ છે. અત્યાર સુધી કેમ નહોતાં બોલતા ? કયા આધારે નહોતા બોલતા ? અત્યારે કયા ન્યાયના આધારે એ બોલે છે ? વિચારતાં ના લાગે કે એ બોલી રહ્યા છે, તે સપ્રમાણ છે ? અલ્યા, પગારવધારો નથી આપતો એ જ ન્યાય છે. આપણાથી એને અન્યાય શી રીતે કહેવાય ?
Book Name : બન્યું તે જ ન્યાય (Page #21 Paragraph #4,#5,#6,#7 and Page #22 Paragraph #1,#2,#3,#4)
A. બસમાં ચઢવા માટે રાઈટ સાઈડમાં ઊભેલો માણસ, તે રોડની નીચે ઊભેલો છે. આ રોંગ સાઈડમાં એક બસ આવી. તે છેક અહીં ઉપર ચઢી ગઈ અને પેલાને મારી નાખ્યો. આને શું ન્યાય...Read More
Q. શા માટે કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે?
A. ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોરલોકો શું કરવા આવ્યા હશે ? આ બધા ગજવા કાપનારાની શી જરૂર છે ? ભગવાને શું કામ આમને જન્મ આપ્યો હશે ? અલ્યા, એ ના હોય તો તમારા...Read More
Q. શા માટે લોકો આપણને દુઃખ આપે છે?
A. ન્યાય ખોળી ખોળીને તો દમ નીકળી ગયો છે. માણસના મનમાં એમ થાય કે આ મેં શું બગાડ્યું છે, તે મારું આ બગાડે છે. પ્રશ્નકર્તા : એવું થાય છે. આપણે કોઈનું નામ લેતાં...Read More
A. ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપેય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે. ન્યાય-અન્યાય એ તો લોકભાષા છે. ચોર ચોરી કરવામાં ધર્મ માને છે ને...Read More
Q. મારા પોતાના પૈસાની ઊઘરાણી કેવી રીતે કરવી?
A. બુદ્ધિ તો મારતોફાન કરી નાખે. બુદ્ધિ જ બધું બગાડે છે ને ! એ બુદ્ધિ એટલે શું ? ન્યાય ખોળે, એનું નામ બુદ્ધિ. કહેશે, 'શા બદલ પૈસા ના આપે, માલ લઈ ગયા છે ને ?' એ...Read More
A. આ જગતમાં તું ન્યાય જોવા જાય છે ? બન્યું એ જ ન્યાય. આણે તમાચા માર્યા તો મારી ઉપર અન્યાય કર્યો એવું નહીં. પણ જે બન્યું એ જ ન્યાય, એવું જ્યારે સમજાશે ત્યારે આ...Read More
Q. વારસાઈ મિલકત અને વસિયતનાં પ્રશ્નો કેવી રીતે ઉકેલવા?
A. એક ભાઈ હોય, એનો બાપ મરી જાય તો બધા ભાઈઓની જમીન છે, તે પેલા મોટા ભાઈની પાસે હાથમાં આવે. હવે મોટો ભાઈ છે તે પેલાને દબડાય દબડાય કરે, આપે નહીં. પચાસ-પચાસ વીઘા...Read More
Q. મારા જીવનમાં બનતી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે?
A. આ બધું પ્રોજેક્શન તમારું જ છે. લોકોને શા માટે દોષ દેવો ? પ્રશ્નકર્તા : ક્રિયાની પ્રતિક્રિયા છે આ. દાદાશ્રી : એને પ્રતિક્રિયા ના કહેવાય. પણ આ પ્રોજેક્શન...Read More
Q. કુદરતનાં ન્યાયનું સ્વરૂપ શું છે?
A. જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી. એક ક્ષણ પણ આ કુદરત જે છે તે અન્યાયને પામી નથી, કોર્ટો થઈ હશે, કોર્ટમાં બધું ચાલે પણ કુદરત અન્યાયી થઈ જ...Read More
subscribe your email for our latest news and events