Related Questions

ન્યાય ખરેખર શું છે?

બસમાં ચઢવા માટે રાઈટ સાઈડમાં ઊભેલો માણસ, તે રોડની નીચે ઊભેલો છે. આ રોંગ સાઈડમાં એક બસ આવી. તે છેક અહીં ઉપર ચઢી ગઈ અને પેલાને મારી નાખ્યો. આને શું ન્યાય કહેવાય ?

પ્રશ્નકર્તા : ડ્રાઈવરે કચડી માર્યો, લોકો તો એમ જ કહે.

દાદાશ્રી : હા, એટલે અવળે રસ્તે આવીને માર્યો, ગુનો કર્યો. સવળે રસ્તે આવીને માર્યો હોત તો પણ એ જાતનો ગુનો કહેવાત. આ તો વળી ડબલ ગુનો કરે. એને કુદરત કહે છે, કરેક્ટ કર્યું છે. બૂમાબૂમ કરશો તો નકામી જશે. પહેલાંનો હિસાબ ચૂકવી દીધો. હવે આ સમજે નહીં ને ! આખી જિંદગી ભાંગફોડમાં જ જાય. કોર્ટો ને વકીલોને... ! તેમાં પાછો વકીલેય ગાળો ભાંડે. કોક દહાડો વહેલું-મોડું થઈ જાય ને, તો કહે, તમારામાં અક્કલ નથી, ગધેડા જેવાં છો. તે આ ટૂંપો ખાય, મૂઓ. એનાં કરતાં કુદરતનો ન્યાય સમજી લીધો, દાદાએ કહ્યું છે એ ન્યાય, તો ઉકેલ આવી જાય ને ! અને કોર્ટમાં જવાનો વાંધો નથી. કોર્ટમાં જાવ પણ એની જોડે બેસીને ચા પીવો, બધું એ રીતે જાવ (સમાધાનપૂર્વક ઉકેલ લાવો). એ ના માને તો કહીએ, અમારી ચા પી પણ જોડે બેસ. કોર્ટમાં જવાનો વાંધો નથી પણ પ્રેમપૂર્વક ઉકેલ લાવો ને (અંદર રાગ-દ્વેષ ન થાય તે રીતે) !

પ્રશ્નકર્તા : એવાં માણસ આપણને દગો પણ કરે ને ?

દાદાશ્રી : મનુષ્ય કશું કરી શકે એમ નથી. જો તમે ચોખ્ખા છો, તો તમને કંઈ પણ કરી શકે એમ નથી, એવો આ જગતનો કાયદો છે. પ્યૉર હોય તો પછી કોઈ કરનાર રહે નહીં. માટે ભૂલ ભાંગવી હોય તો ભાંગી નાખવાની.

×
Share on