આજકાલ ટીવી કે ન્યૂઝ ચેનલોમાં જ્યારે અણબનાવો જોવા અને સાંભળવા મળે, ત્યારે આપણું હૃદય કંપી ઊઠે. પૂર, ધરતીકંપ, દાવાનળ, વાવાઝોડાં, ભૂસ્ખલન જેવી કુદરતી આફતો તેમજ રોગચાળો, પ્લેન ક્રેશ, અકસ્માત, નાસભાગ, આતંકી હુમલા જેવી દુર્ઘટનાઓમાં જ્યારે અસંખ્ય નિર્દોષ લોકોનાં મૃત્યુ થાય ત્યારે આપણને પ્રશ્ન થાય કે એમનો શું વાંક હતો? સમાચાર સાંભળીને દરેકને અરેરાટી વ્યાપી જાય કે લોકો આટલા ભક્તિભાવથી ભગવાનનાં દર્શન માટે ગયા અને ત્યાં જ મરી ગયા? ભગવાન ભયંકર અન્યાયી છે!
અહીં, જગતની વાસ્તવિકતાને ઝીણવટથી સમજવાની ચાવીઓ આપણને જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી મળે છે. તેઓશ્રી કહે છે કે કુદરતમાં કેટલા બધા સંયોગો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય છે. તેમાંય “એન ઈન્સિડન્ટ હેસ સો મેની કૉઝિઝ અને એન એક્સિડન્ટ હેસ ટુ મેની કૉઝિઝ!” એટલે કે, કોઈ ઘટના બનવા પાછળ ઘણાં કારણો હોય અને અકસ્માત થવા પાછળ તો અસંખ્ય કારણો હોય! દુર્ઘટના સ્થળે ઘણા બધા લોકો હતા, તેમાંથી અમુક જ કેમ માર્યા ગયા? કેટલાકના છેલ્લી ઘડીએ સંજોગો બદલાયા ને તેઓ બચી ગયા. કેમ? કારણ કે, જેનો મૃત્યુનો હિસાબ હતો તે જ દુર્ઘટનાના ભોગ બન્યા! નિયમથી આ જગતમાં પોતાનો હિસાબ ન હોય તો એક મચ્છર પણ કરડી શકે નહીં. જેનો કોઈ ગુનો નથી તેને કોઈ સંજોગ દુઃખદાયી ન થઈ શકે.

હિસાબ કઈ રીતે બંધાય છે? આપણે સમાચારો સાંભળીએ કે ફલાણી જગ્યાએ લોકોએ લૂંટ ચલાવી, ત્યારે આપણને ભય ઊભો થાય કે, “હું લૂંટાઈ જઈશ તો? આ લોકો આમ કરશે તો?” એટલે આપણે વિકલ્પ કર્યો, જેનો ગુનો લાગુ પડે છે. ક્યાંક આતંકવાદના હુમલાના સમાચાર સાંભળીને આપણે આવેશમાં આવીને બોલીએ કે, “આ આતંકવાદીઓને તો આમ સજા કરવી જોઈએ ને તેમ કરવું જોઈએ.” આમ દ્વેષથી કર્મનું બીજ નાખીએ છીએ. રાગ-દ્વેષથી આપણે કુદરતની સંકલનામાં સપડાઈએ છીએ. પછી આપણા જ ભાવ પ્રમાણે ફળ આપવા કુદરત આપણને એ સંકલનામાં ઝડપશે, ત્યારે જેમના માટે ભાવ બગાડ્યા હતા તેમની સાથે આપણો હિસાબ પૂરો થશે.
જેમ અલાદીનનો ચિરાગ તમે જે ઈચ્છો તે લાવીને હાજર કરે છે, તેવી જ રીતે કુદરત તમે જે કલ્પના કરો તે પ્રમાણે ફળ આપે છે. માટે તેમાંથી કાયમી મુક્તિ મેળવવી હોય તો એક જ વાત સમજવી કે જે કંઈ બન્યું તે ન્યાય જ છે, અને કોઈ માટે સહેજ પણ ભાવ ન બગાડવા. પહેલાં ભાવ બગડી ગયા હોય તો તેને પસ્તાવો લઈને ધોઈ નાખવા.
કવિ કલાપીએ લખ્યું છે કે,
“જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી!”
કુદરતમાં જે કંઈ બની રહ્યું છે એ પદ્ધતિસર છે. કુદરત એક તરફ વિનાશ કરે છે તેય બરાબર છે અને બીજી બાજુ પોષે છે તેય બરાબર છે. આપણને એકાંતે દેખાય કે વિનાશ થયો, પણ બીજી બાજુ ઉત્પાદન પણ થતું હોય. એક તરફ વરસાદનું પાણી જીવસૃષ્ટિને પોષણ આપતું હોય, તો બીજી બાજુ નદીના પૂરમાં કેટલીય જીવસૃષ્ટિ તણાઈ જતી હોય. એટલે કુદરત બધું રેગ્યુલર કરી રહ્યું છે.
ઝીણવટથી અભ્યાસ કરીએ તો સમજાય કે સસલાં કે ઉંદર જેવા જીવો એક જ વર્ષમાં સાંઈઠથી સો જેટલાં બચ્ચાંને જન્મ આપે. જ્યારે સિંહ જેવા પ્રાણીઓને બે વર્ષે એક-બે બચ્ચાં જ થયાં હોય અને પાંચેક વર્ષે ત્રણ-ચાર બચ્ચાં રહ્યા હોય. કૂતરા, બિલાડી, સાપ, સમડી જેવા ભક્ષક પ્રાણીઓ આહાર માટે ઉંદર અને સસલાંનો શિકાર કરી નાખે એટલે તેમની સંખ્યા મર્યાદિત રહે છે. જો તેમની સંખ્યા વધી જાય તો બહુ નુકસાન કરી નાખે. એક બાજુ બે ઉંદર મરે, તો બીજી બાજુ ચાર જન્મી ચૂક્યા હોય. આમ, કુદરત એક તરફ વિનાશ કરે તો બીજી બાજુ ઉત્પન્ન પણ કરે છે. આ બધી કુદરતી રચના છે. તેમાં આપણે કહીએ કે સંખ્યા વધી તો સારું થયું અને મરી ગયા તો ખોટું થયું.
એક તરફ દરિયો ઊછળે ને બીજી બાજુ વાવાઝોડું આવ્યું, તો એ પણ ન્યાય છે. વૈજ્ઞાનિક રીતે, ગરમી વધે એટલે ગરમ હવા ઉપર જાય અને ઠંડી હવા ધસીને આવે, એટલે વંટોળ ઊભો થઈ જાય. એ વંટોળમાં અમુક ઘરોનાં છાપરાં ઊડી જાય. પણ એ વંટોળની અસર કોને થાય, જેનો એક્ઝેક્ટ હિસાબ હોય તેને જ. આપણે આ સારું થયું, આ ખોટું થયું એમ બુદ્ધિથી ચુકાદો આપીને સારા ઉપર રાગ અને ખરાબ ઉપર દ્વેષ કરીએ છીએ અને નવા ગુના બાંધીએ છીએ.
આધ્યાત્મિક વિજ્ઞાન એમ કહે છે કે આપણા ભાવ પ્રમાણે સંજોગો ભેગા થઈને ફળ આવે છે. ધારો કે, એક વ્યક્તિ સરસ કપડાં પહેરીને લગ્નમાં જવા નીકળે, ત્યારે વરસાદ પડે તો દ્વેષ કરે, “અત્યારે જ વરસાદ પડવો હતો? હવે વરસાદ ન પડે તો સારું.” એમ ભાવ બગડવાથી વરસાદને આંતર્યો. બીજી બાજુ કોઈ ખેડૂતે જમીનમાં બીજ વાવ્યાં હોય અને વરસાદ પડે તો એને એવો ભાવ થાય કે, “સારું થયું વરસાદ પડ્યો, વધારે પડે તો સારું.”

આમ મનુષ્યોના ઊંધાચત્તા અને વિરોધાભાસી ભાવોથી કુદરતી એડજસ્ટમેન્ટમાં ફેરફાર થતો જાય. ભાવનું બીજ કુદરતમાં નાખ્યું, પછી એનું ફળ આવે ત્યારે ભાવ પ્રમાણે વાતાવરણ ભેગું થાય, જ્યાં દુકાળ પડે કે ખૂબ વરસાદ પડે. એટલે આખું જગત હિસાબવાળું છે. પૂર આવવું તે પણ હિસાબ, ધરતીકંપ આવવો તે પણ હિસાબ અને વાવાઝોડાં આવવાં તે પણ હિસાબ. આપણા જ ગુનાના દંડ આપવા માટે, હિસાબ પૂરા થવા માટે કુદરતી સંજોગો ભેગા થાય છે. જો આપણે ઊંધાચત્તા ભાવો કરીને કુદરતમાં ડખલ ન કરીએ તો દંડ પણ નહીં મળે.
કુદરતની હકીકત બે રીતે સમજવાની જરૂર છે. કર્મોના હિસાબનું વિજ્ઞાન સમજાવતા પરમ પૂજ્ય દાદાશ્રીએ કહ્યું છે કે, “જગતનો નિયમ એવો છે કે આંખે દેખે, એને ભૂલ કહે છે અને કુદરતનો નિયમ એવો છે કે કોણ ભોગવે છે, એની ભૂલ છે.” એટલે આધ્યાત્મિક દૃષ્ટિએ આ સમજણ રાખવી, પણ વ્યાવહારિક દૃષ્ટિએ આપણે “મારે પીડિતોની મદદ કરવી જોઈએ” એવી સાચા દિલની ભાવના રાખવી. તેમજ શક્ય હોય તેટલા પ્રયત્નો પણ કરવા.
લોકોને દુઃખ થતું હોય તેમાં પોતાને લાગણી થાય એવું કૂણું હૃદય રાખવું જોઈએ. “જે ભોગવે છે તેની ભૂલ છે.” એમ નિષ્ઠુર થઈ જવું એ પણ ખોટું છે. જ્યારે અતિશય ઈમોશનલ થઈને કુદરતને, માણસોને કે ભગવાનને વગોવવા તે પણ ખોટું છે. સામાનું ભલું થાય તે રીતે કોઈને વગોવ્યા વગર આપણે બનતી બધી મદદ કરવી જોઈએ. પણ એકનું ભલું કરવા જતાં, બીજાને વગોવીએ તો આપણે નવા ગુના બાંધીએ છીએ. પછી એ ભૂલના દંડ આવે ત્યારે આપણને ખબર નથી પડતી કે પોતાને કેમ ભોગવવું પડે છે!
સમાચારોમાં આવા બનાવો વાંચીએ, સાંભળીએ તો પણ પોતે અસરમુક્ત રહેવું જોઈએ. બહુ ત્યારે પ્રાર્થના કરવી જોઈએ કે, “ભગવાન સહુને સદ્બુદ્ધિ આવે કે કોઈ એકબીજાને દુઃખ ના આપે, એકબીજા પર વેર ના વાળે અને સાચી સમજણથી લોકો પાછા ફરે.”
Q. કોઈ આપણી સાથે ખોટું કામ કરે ત્યારે ન્યાય શું છે?
A. પોતાની આસપાસ કોઈ ખોટાં કામ, જેમ કે ચોરી, લૂંટફાટ, મારફાડ, દુરાચાર કે ભ્રષ્ટાચાર થતાં સાંભળીને... Read More
Q. દુનિયામાં સાચા લોકો દુઃખી અને ખોટું કામ કરનારા મોજમાં કેમ?
A. આપણે પોતાના જીવનમાં કે આસપાસ બનાવો બનતા જોઈએ છીએ કે બે ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણીમાં એક ભાઈ બધું... Read More
A. જીવનમાં ડગલે ને પગલે એવા પ્રસંગો બને છે, જ્યાં આપણને એમ લાગે કે મારી સાથે જ આવો અન્યાય કેમ? મારી... Read More
A. ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપેય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે.... Read More
A. આ જગતમાં તું ન્યાય જોવા જાય છે? બન્યું એ જ ન્યાય. આણે તમાચા માર્યા તો મારી ઉપર અન્યાય કર્યો એવું... Read More
Q. મારા જીવનમાં બનતી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે?
A. આ બધું પ્રોજેક્શન તમારું જ છે. લોકોને શા માટે દોષ દેવો? પ્રશ્નકર્તા: ક્રિયાની પ્રતિક્રિયા છે... Read More
Q. શા માટે કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે?
A. ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોર લોકો શું કરવા આવ્યા હશે? આ બધા ગજવા કાપનારાની શી જરૂર છે?... Read More
Q. વારસાઈ મિલકત અને વસિયતના પ્રશ્નો કેવી રીતે ઉકેલવા?
A. એક ભાઈ હોય, એનો બાપ મરી જાય તો બધા ભાઈઓની જમીન છે, તે પેલા મોટા ભાઈની પાસે હાથમાં આવે. હવે મોટો... Read More
Q. બુદ્ધિથી કેવી રીતે છૂટી શકાય?
A. પ્રશ્નકર્તા: બુદ્ધિ કાઢવી જ છે. કારણ કે, બહુ માર ખવડાવે છે. દાદાશ્રી: તે બુદ્ધિ કાઢવી હોય તો... Read More
subscribe your email for our latest news and events
