એક ભાઈ હોય, એનો બાપ મરી જાય તો બધા ભાઈઓની જમીન છે, તે પેલા મોટા ભાઈની પાસે હાથમાં આવે. હવે મોટો ભાઈ છે તે પેલાને દબડાય દબડાય કરે, આપે નહીં. પચાસ-પચાસ વીઘા આપવાની હતી. અઢીસો વીઘા જમીન હતી. તે ચાર જણને પચાસ-પચાસ વીઘા આપવાની હતી. તે કોઈ પચ્ચીસ લઈ ગયો હોય, કોઈ પચાસ લઈ ગયો હોય, કોઈ ચાલીસ લઈ ગયો હોય અને કોઈને પાંચ જ આવી હોય.
હવે તે વખતે શું માનવાનું ? જગતનો ન્યાય શું કહે કે મોટો ભાઈ નાગો છે, જૂઠ્ઠો છે. કુદરતનો ન્યાય શું કહે છે, મોટો ભાઈ કરેક્ટ છે. પચાસવાળાને પચાસ આપ્યા, વીસવાળાને વીસ આપી, ચાલીસવાળાને ચાલીસ ને આ પાંચવાળાને પાંચ જ આપી. બીજું, બીજા હિસાબમાં પતી ગયું, ગયા અવતારનાં. તમને મારી વાત સમજાય છે ?
એટલે જો ઝઘડો ના કરવો હોય તો કુદરતની રીતે ચાલવું, નહીં તો આ જગત તો ઝઘડો છે જ. અહીં ન્યાય હોઈ શકે નહીં. ન્યાય તો જોવા માટે છે કે મારામાં કંઈ પરિવર્તન, ફેરફાર થયો છે ? જો મને ન્યાયી મળતું હોય તો હું ન્યાયી છું એ વાત નક્કી થઈ ગઈ. ન્યાય તો એક આપણું થર્મોમીટર છે. બાકી, વ્યવહારમાં ન્યાય હોઈ શકે નહીં ને ! ન્યાયમાં આવે એટલે માણસ પૂર્ણ થઈ ગયો. ત્યાં સુધી આમનો પડેલો હોય, કાં તો એબોવ નોર્માલિટી હોય કે બીલો નોર્માલિટી હોય !
એટલે પેલો મોટો ભાઈ પેલાંને નથી આપતો, પાંચ જ વીઘા આપે છે, એને આપણાં લોકો ન્યાય કરવા જાય અને પેલા મોટા ભાઈને ખરાબ ઠરાવે. હવે એ બધોય ગુનો છે. તું ભ્રાંતિવાળો, તે મૂઆ ભ્રાંતિને પાછી સાચી માની. પણ છૂટકો જ નહીં અને સાચી માની છે એટલે પછી આ વ્યવહારને જ સાચો માન્યો છે. તે માર ખાય જ ને ! બાકી, કુદરતના ન્યાયમાં તો કોઈ ભૂલચૂક જ નથી.
હવે ત્યાં અમે કહીએ નહીં કે, 'તમારે આવું નહીં કરવાનું. આમને આટલું કરવાનું છે.' નહીં તો અમે વીતરાગ ના કહેવાઈએ. આ તો અમે જોયા કરીએ, પાછલો શું હિસાબ છે !
અમને કહે કે તમે ન્યાય કરો. ન્યાય કરવાનું કહે, તો અમે કહીએ કે ભાઈ, અમારો ન્યાય જુદી જાતનો હોય અને આ જગતનો ન્યાય જુદી જાતનો. અમારે કુદરતનો ન્યાય છે. વર્લ્ડનું રેગ્યુલેટર છે ને, તે એને રેગ્યુલેશનમાં જ રાખે છે. એક ક્ષણવાર અન્યાય થતો નથી. પણ લોકોને અન્યાય શી રીતે લાગે છે ? પછી પેલો ન્યાય ખોળે. કેમ તને બે ના આપ્યા ને પાંચ કહ્યા ? અલ્યા મૂઆ, જે આપે છે એ જ ન્યાય. કારણ કે પહેલાંના હિસાબ છે બધાં સામસામી. ગૂંચવાડો જ છે, હિસાબ છે. એટલે ન્યાય તો થર્મોમીટર છે. થર્મોમીટરથી જોઈ લેવાનું કે મેં પહેલાં ન્યાય કર્યો નથી, માટે મને અન્યાય થયો છે આ. માટે થર્મોમીટરનો દોષ નથી. તમને કેમ લાગે છે ? આ મારી વાત કંઈ હેલ્પ કરે ?
A. બસમાં ચઢવા માટે રાઈટ સાઈડમાં ઊભેલો માણસ, તે રોડની નીચે ઊભેલો છે. આ રોંગ સાઈડમાં એક બસ આવી. તે છેક... Read More
Q. શા માટે કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે?
A. ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોરલોકો શું કરવા આવ્યા હશે ? આ બધા ગજવા કાપનારાની શી જરૂર છે ? ભગવાને... Read More
Q. શા માટે લોકો આપણને દુઃખ આપે છે?
A. ન્યાય ખોળી ખોળીને તો દમ નીકળી ગયો છે. માણસના મનમાં એમ થાય કે આ મેં શું બગાડ્યું છે, તે મારું આ... Read More
A. ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપેય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે.... Read More
Q. મારા પોતાના પૈસાની ઊઘરાણી કેવી રીતે કરવી?
A. બુદ્ધિ તો મારતોફાન કરી નાખે. બુદ્ધિ જ બધું બગાડે છે ને ! એ બુદ્ધિ એટલે શું ? ન્યાય ખોળે, એનું નામ... Read More
A. આ જગતમાં તું ન્યાય જોવા જાય છે ? બન્યું એ જ ન્યાય. આણે તમાચા માર્યા તો મારી ઉપર અન્યાય કર્યો એવું... Read More
Q. બુદ્ધિથી કેવી રીતે છૂટી શકાય?
A. પ્રશ્નકર્તા : બુદ્ધિ કાઢવી જ છે. કારણ કે બહુ માર ખવડાવે છે. દાદાશ્રી : તે બુદ્ધિ કાઢવી હોય તો... Read More
Q. મારા જીવનમાં બનતી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે?
A. આ બધું પ્રોજેક્શન તમારું જ છે. લોકોને શા માટે દોષ દેવો ? પ્રશ્નકર્તા : ક્રિયાની પ્રતિક્રિયા છે... Read More
Q. કુદરતનાં ન્યાયનું સ્વરૂપ શું છે?
A. જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી. એક ક્ષણ પણ આ કુદરત જે છે તે અન્યાયને પામી નથી,... Read More
subscribe your email for our latest news and events