
ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોર લોકો શું કરવા આવ્યા હશે? આ બધા ગજવા કાપનારાની શી જરૂર છે? ભગવાને શું કામ આમને જન્મ આપ્યો હશે? અલ્યા, એ ના હોય તો તમારા ગજવા કોણ ખાલી કરી આપે? ભગવાન કંઈ જાતે આવે? તમારું ચોરીનું ધન કોણ પકડી જાય? તમારું ખોટું ધન હોય તો કોણ લઈ જાય? એ બિચારા નિમિત્ત છે. એટલે આ બધાની જરૂર છે.
પ્રશ્નકર્તા: કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે.
દાદાશ્રી: એ તો આ ભવની પરસેવાની કમાણી, પણ પહેલાનો બધો હિસાબ છે ને! ચોપડા બાકી છે તેથી, નહીં તો કોઈ દહાડો આપણું કશું લે નહીં. કોઈથી લઈ શકે એવી શક્તિ જ નથી. અને લઈ લેવું એ તો આપણો કંઈક આગળ-પાછળનો હિસાબ છે. આ દુનિયામાં કોઈ જન્મ્યો નથી કે જે કોઈનું કશું કરી શકે. એટલું બધું નિયમવાળું જગત છે. બહુ નિયમવાળું જગત છે. આટલું આ ચોગાન સાપથી ભરાયું હોય, પણ સાપ અડે નહીં. એટલું નિયમવાળું જગત છે. બહુ હિસાબવાળું જગત છે. આ જગત બહુ સુંદર છે, ન્યાય સ્વરૂપ છે, પણ લોકોને ન સમજાય.
Book Name: બન્યું તે જ ન્યાય (Page #5 and Page #6)
Q. કુદરતી આફતો કે અકસ્માતમાં ભગવાન નિર્દોષ લોકોને કેમ દુઃખ આપે છે?
A. આજકાલ ટીવી કે ન્યૂઝ ચેનલોમાં જ્યારે અણબનાવો જોવા અને સાંભળવા મળે, ત્યારે આપણું હૃદય કંપી ઊઠે. પૂર,... Read More
Q. કોઈ આપણી સાથે ખોટું કામ કરે ત્યારે ન્યાય શું છે?
A. પોતાની આસપાસ કોઈ ખોટાં કામ, જેમ કે ચોરી, લૂંટફાટ, મારફાડ, દુરાચાર કે ભ્રષ્ટાચાર થતાં સાંભળીને... Read More
Q. દુનિયામાં સાચા લોકો દુઃખી અને ખોટું કામ કરનારા મોજમાં કેમ?
A. આપણે પોતાના જીવનમાં કે આસપાસ બનાવો બનતા જોઈએ છીએ કે બે ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણીમાં એક ભાઈ બધું... Read More
A. જીવનમાં ડગલે ને પગલે એવા પ્રસંગો બને છે, જ્યાં આપણને એમ લાગે કે મારી સાથે જ આવો અન્યાય કેમ? મારી... Read More
A. ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપેય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે.... Read More
A. આ જગતમાં તું ન્યાય જોવા જાય છે? બન્યું એ જ ન્યાય. આણે તમાચા માર્યા તો મારી ઉપર અન્યાય કર્યો એવું... Read More
Q. મારા જીવનમાં બનતી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે?
A. આ બધું પ્રોજેક્શન તમારું જ છે. લોકોને શા માટે દોષ દેવો? પ્રશ્નકર્તા: ક્રિયાની પ્રતિક્રિયા છે... Read More
Q. વારસાઈ મિલકત અને વસિયતના પ્રશ્નો કેવી રીતે ઉકેલવા?
A. એક ભાઈ હોય, એનો બાપ મરી જાય તો બધા ભાઈઓની જમીન છે, તે પેલા મોટા ભાઈની પાસે હાથમાં આવે. હવે મોટો... Read More
Q. બુદ્ધિથી કેવી રીતે છૂટી શકાય?
A. પ્રશ્નકર્તા: બુદ્ધિ કાઢવી જ છે. કારણ કે, બહુ માર ખવડાવે છે. દાદાશ્રી: તે બુદ્ધિ કાઢવી હોય તો... Read More
subscribe your email for our latest news and events
