Related Questions

શા માટે કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે?

ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોરલોકો શું કરવા આવ્યા હશે ? આ બધા ગજવા કાપનારાની શી જરૂર છે ? ભગવાને શું કામ આમને જન્મ આપ્યો હશે ? અલ્યા, એ ના હોય તો તમારા ગજવા કોણ ખાલી કરી આપે ? ભગવાન કંઈ જાતે આવે ? તમારું ચોરીનું ધન કોણ પકડી જાય ? તમારું ખોટું ધન હોય તો કોણ લઈ જાય ? એ બિચારા નિમિત્ત છે. એટલે આ બધાની જરૂર છે.

પ્રશ્નકર્તા : કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે.

દાદાશ્રી : એ તો આ ભવની પરસેવાની કમાણી પણ પહેલાંનો બધો હિસાબ છે ને ! ચોપડા બાકી છે તેથી, નહીં તો કોઈ દહાડો આપણું કશું લે નહીં. કોઈથી લઈ શકે એવી શક્તિ જ નથી. અને લઈ લેવું એ તો આપણો કંઈક આગળ-પાછળનો હિસાબ છે. આ દુનિયામાં કોઈ જન્મ્યો નથી કે જે કોઈનું કશું કરી શકે. એટલું બધું નિયમવાળું જગત છે. બહુ નિયમવાળું જગત છે. આટલું આ ચોગાન સાપથી ભરાયું હોય, પણ સાપ અડે નહીં. એટલું નિયમવાળું જગત છે. બહુ હિસાબવાળું જગત છે. આ જગત બહુ સુંદર છે, ન્યાય સ્વરૂપ છે પણ લોકોને ન સમજાય.

×
Share on