Related Questions

ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?

જ્યારે તમે તમારા કોઈ પ્રિય વ્યક્તિની માંદગી વિશે જાણો છો, ત્યારે તમને આઘાત લાગે તેમાં કોઈ શંકા નથી. લાંબા દિવસો અને અશાંત રાતની તમારા મન અને શરીર પર અસર પડે છે. તેમ છતાં, સૌથી વધુ અવળી અસર ચિંતા કરવાથી થાય છે. શું થઈ જશે, શું ખરાબ થઈ જશે, વગેરે.. વિશેની ચિંતા કરવાથી. 

તો, ઘરની બિમાર વ્યક્તિ માટે ચિંતાતુર કેવી રીતે ન રહેવું? તમારે કોઈપણ પરિસ્થિતિના સારા અને ખરાબ પાસા બાબતે વિચારવું જોઈએ એ બરાબર છે, પરંતુ તે સામાન્ય મર્યાદામાં હોવું જોઈએ. જે ક્ષણે વિચારોને લીધે તકલીફ, કોયડાઓ કે મુશ્કેલી શરૂ થાય છે, તો જાણવું કે મર્યાદા ચૂકાઈ રહી છે; અને તેથી, તેના વિશે વિચારવાનું બંધ કરો. અમુક મર્યાદા પૂરી થાય પછી વિચારો ચિંતામાં પરિણમે છે. 

કાળજી 

કાળજી લેવી અને ચિંતા કરવી તેમાં ઘણો ફેર છે. કાળજી એટલે જે જરૂરી છે તેના માટે સાવચેત રહેવું, દર્દી માટે શું હિતકારી છે અને શું અહિતકારી છે; જ્યારે ચિંતા એટલે ‘શું થશે?’ ‘હું શું કરીશ?’ એવી બેચેની. આવા વિચારો તમને અંદરથી પરેશાન કરે છે. 

જે ચિંતા તમને પરેશાન કરી મૂકે તે અર્થહીન છે. તે માત્ર તમારી તંદુરસ્તી નુકસાન કરે છે એટલું જ નહીં પણ સાથે સાથે ધારેલા પરિણામ લાવવામાં પણ અંતરાયો ઊભા કરે છે. તેથી, ચિંતા ઘણી રીતે નુકસાનકારક છે. 

નકારાત્મક વિચારો નકારાત્મક પરિણામ લાવે છે 

ચિંતા એ નકારાત્મક (નેગેટીવ) વિચારોનો પ્રકાર છે. નકારાત્મક વિચારોની અસરો હંમેશાં ના ગમતા પરિણામો લાવે છે. જ્યારે તમને નકારાત્મક વિચારો આવે છે, તમે કુદરતમાં નકારાત્મક સ્પંદનો ફેંકો છો. નકારાત્મક સ્પંદનો ડખોડખલ ઊભી થાય એવા નકારાત્મક નિમિત્તોને ખેંચે છે. જેના કારણે નકારાત્મક પરિણામો આવે છે. તમારા ઘરની વ્યક્તિ બિમાર હોય ત્યારે ચિંતાતુર ન થવા માટેનું પહેલું સોપાન ચિંતા અને બેચેનીથી થતા નુકસાન જાણવાનું છે.  

જ્યારે તમને ફ્રેક્ચર થાય છે, ત્યારે ડોક્ટર તમને શા માટે પાટો બાંધે છે? એ એટલા માટે કે રૂઝાવવાની ક્રિયામાં આપણાથી કોઈ ખલેલ ના પહોંચે. વિચારો, તમારો હાથ ભાંગ્યો હોય અને તમે પાટો ના બાંધો, તો તમે તમારો હાથ હલાવ્યા કરશો. તમારું ધ્યાન તેના પર રહેશે અને તમે એવું તપાસ્યા કરશો કે સુધારો થાય કે નહીં. તો શું તમારા હાથને સાજો થવાની તક મળશે? ના! હકીકતમાં, તમારી ડખલથી વધારે બગડશે. તેથી ડોક્ટરો તમારા ભાંગેલા હાડકાને પાટાથી બાંધે છે કે તમે ડખલ ના કરો, અને કુદરતને સમય આપો કે જેથી તેના જાદુ દ્વારા ફ્રેક્ચરને સાજું કરી શકે. 

બીજું બાજુ, સકારાત્મક (પોઝિટીવ) વિચારો કુદરતમાં સકારાત્મક સ્પંદનો પહોંચાડે છે, જેનાથી સકારાત્મક પૂરાવાઓ ભેગા થાય છે, આ રીતે સકારાત્મક પરિણામો આવે છે.

વ્યવહારુ ઉપાયો 

ભગવાને કહ્યું છે, “ઉપાયો શોધો, પરંતુ ચિંતા ના કરશો.” તેથી ચાલો આપણે જોઈએ કે આવા કપરા સમયમાં આપણે શું કરી શકીએ. ઘરની બિમાર વ્યક્તિ બાબતે થતી બેચેની અને ચિંતા અટકાવવાના આ વ્યવહારિક ઉપાયો છે:

  • ચિંતા કરવા કરતાં, તમારી પાસે જે વિકલ્પો છે તેના પર કામ કરો. તમારા પરિવારના સભ્યને યોગ્ય પ્રકારની સારવાર મળે તે માટે ઉત્તમ પ્રયત્નો કરો.
  • મેડીકલ સારવાર સાથે, દર્દીને તમારી સતત હાજરીની પણ જરુર હોય છે. ઘણી વખત, દવાથી જે કામ નથી થતું તે માત્ર તમારી હાજરીથી થઈ જતું હોય છે.
  • દર્દીની સારી રીતે સારવાર કરો અને તેને ખુશ રાખો. તેમની જરૂરિયાતોને સંતોષો.
  • દર્દીની જરુરિયાતોને પ્રાધાન્ય આપો. તમારા સ્કેડ્યુલને (દિનચર્યાને) દર્દીના સ્કેડ્યુલ (દિનચર્યા) સાથે એવી રીતે ગોઠવે કે એમને જે અને જ્યારે જરુર હોય તે મળી રહે. એનો અર્થ છે કે તમારે દર્દીને તેની દવા અને ખોરાક સમયસર આપવા.
  • દર્દીનું કાળજીથી ધ્યાન રાખો. તેમની પરિસ્થિતિમાં થતા ફેરફારને નોંધો, પરંતુ લાગણીશીલ થશો નહીં. તમારી કાળજી ડોક્ટરને મદદરૂપ થશે.
  • જ્યારે ડોક્ટર સલાહ આપે ત્યારે ધ્યાન આપો. મોટાભાગે આપણે ડોક્ટરે જે કહ્યું હોય તેને સરખું સમજતા નથી અને કારણ વગરની ચિંતા કરવામાં પડી જઈએ છીએ.
  • જ્યારે સારવાર થતી હોય ત્યારે, જાગૃત અને ઓબ્ઝરવન્ટ રહો; પરંતુ તમારી ચિંતાઓને કારણે જરુર વગર સંશય રાખશો નહીં, દરેક પગલે શંકાશીલ ન થઈ જતા.
  • માહિતગાર રહો. જ્ઞાન એ શક્તિ છે. ખાસ કરીને જે મુદ્દે તમને ચિંતા થતી હોય તે બાબતે થોડી મૂળભૂત તપાસ કરીને સારવાર વિશે જાણો, તમને સાચી માહિતી મળશે જે તમને ચિંતામાંથી બહાર કાઢશે.
  • નિયમિત રીતે તમારા પરિવાર અને મિત્રો સાથે અપડેટ શેર કરો. જ્યારે જરૂર હોય ત્યારે મદદ માંગો. આનાથી તમારી ચિંતા તરત દૂર થઈ જશે.
  • દર્દીની સાનુકૂળતા થાય એના માટે બધું કરો. જ્યારે તમે દર્દીને સ્વસ્થ જોશો, ત્યારે તમારી ઘણી ચિંતા જતી રહેશે.
  • તમારી ચિંતાને લીધે થતી મૂંઝવણને તમારા પરિવારના સભ્યો પર કાઢશો નહીં. તેમની સાથે બહુ નરમાશથી, દયાથી અને શાંતિથી વ્યવહાર કરો.
  • તેમની બધી જ સાર સંભાળ રાખતી વખતે, તમે પણ તમારી પણ સંભાળ રાખવાનું ભૂલશો નહિ. સરખું જમવું કેમ કે પછી તમે કેવી રીતે મદદ કરી શકશો? પૂરતી ઊંઘ કરો. ચિંતા કરશો નહીં. તમારા માટે જે યોગ્ય હોય એવું સંતુલન જાળવો.

ભગવાને કહ્યું છે, “જે વર્તમાન નથી તેની ચિંતા કરશો નહીં.” તેથી, જે ભવિષ્યમાં થવાનું છે તેની ચિંતા કરશો નહીં, વર્તમાન પર ધ્યાન આપો. તમારે ચિંતા કર્યા વગર તમારી જવાબદારીથી બનતા બધા પ્રયત્નો કરીને પૂરી કરવી. આવું પ્રેમ તથા કાળજીપૂર્વક સકારાત્મક માનસિકતા રાખીને કરવું અને બાકીનું બધું કુદરત પર છોડવું.

Related Questions
  1. ચિંતા શું છે ? ચિંતા કરવાનો અર્થ શું છે ?
  2. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
  3. ટેન્શન એટલે શું?
  4. શું હું ચિંતા મુક્ત વ્યવસાય કરી શકું છું ?
  5. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
  6. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
  7. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
  8. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
  9. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
  10. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
  11. મને એવી ચિંતા રહ્યા કરે કે લોકોને હું પસંદ નથી અને લોકો મારા માટે શું વિચારશે. કોઈ મારું અપમાન કરશે તો હું શું કરીશ?
  12. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
  13. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
  14. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
  15. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
×
Share on