અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
ખરેખર, ચિંતાનો અર્થ શું છે? ચિંતા શું છે? ચાલો આપણે થોડી વાતો ધ્યાનમાં લઈને આ વિશે જાણીએ. આપણે આપણા રોજિંદા જીવનમાં વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થતા હોઈએ છીએ અને વિચારતા હોઈએ છીએ,
આવી પરિસ્થિતિઓ આવી પડે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે ગભરાઈ જઈએ છીએ અને પરિસ્થિતિ પર કાબૂ ગુમાવી દઈએ છીએ. જ્યારે આવું થાય, કોઈ વિચાર અમુક હદ બહાર જતો રહે, તે ચિંતા છે. ચિંતાનો ખરો અર્થ આ છે. અમુક લેવલ સુધી વિચારો કરવા જોઈએ અને તે લિમિટ બહાર ન જવા જોઈએ. તણાવ ન અનુભવાય ત્યાં સુધી વિચારવું એ સામાન્ય છે. એનાથી વધારે થાય અને જો તમે કોયડામાં મૂકાય જાઓ કે મુશ્કેલી ઊભી થાય, તે ચિંતા છે. ચિંતાની સાદી વ્યાખ્યા આ છે.
આ રીતે તમારું મન એક સામાન્ય વિચારમાંથી ચિંતા, વધુ પડતા વિચારો અને અસ્વસ્થતા તરફ જતું રહે છે.
ચિંતા સાચી સમજણ અને જ્ઞાન પર પડદો પાડી નાખે છે અને એને ફ્રેક્ચર કરી નાખે છે. સાવચેત રહેવું જોઈએ, ચિંતિત નહીં. સાવચેતી રાખવી અને ચિંતા કરવી તેમાં બહુ મોટો તફાવત છે. સાવચેતી એ જાગૃતિ છે અને ચિંતા કરવી એ અસ્વસ્થતા ઊભી કરવા જેવું છે, જે તમને અંદરથી કોરી ખાય છે.
તેથી, સરળ ભાષામાં, ચિંતા એટલે શું? ચિંતા એટલે ‘હવે હું શું કરીશ?’, ‘હવે શું થશે?’ અને આ પ્રકારની વિચારણા. ચિંતાથી કાર્યમાં વિઘ્નો આવે છે અને દરેક કાર્ય લંબાયા કરે છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય વધારે બગડવાનું. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યની અવરોધક છે. ”
વાસ્તવિકતામાં, આ જગત એવું છે કે કોઈ પણ વસ્તુ વિશે કોઈ શંકા કે ચિંતા કરવાની જરૂર નથી. કુદરત દરેકની જરૂરિયાતોને એના સમયે પૂર્ણ કરે છે. નાહવા માટે પાણી, સુવા માટે ગાદલું અને એવી ઘણી બધી જરૂરિયાતોની ચિંતા કર્યા વગર કે વિચાર્યા વગર પણ મળી રહેતી હોય છે. તેથી, એવી જ રીતે, જો આપણે સહજ અને સરળ રહીએ, તો બીજી બધી જરૂરિયાતો પણ સચવાઈ જશે.
તણાવ અને ચિંતાઓ વચ્ચે શું તફાવત છે ?
બીજી રીતે, ચિંતાનો અર્થ સમજીએ તો આપણે કોઈપણ પરિસ્થિતિ કે સમસ્યાને વધુ પડતું મહત્વ આપી દઈએ છીએ. જો પત્ની તેના જીવનનું સર્વસ્વ હોય, એની બધી સંપત્તિ કરતા પણ વધારે મહત્વ હોય, અને પત્ની બીમાર હોય, ત્યારે ચિંતાની પકડમાં આવી જાય છે. બીજી બધી બાબતો કરતાં તેના માટે પત્નીનું મહત્વ વધારે છે. તેથી ચિંતા રહ્યા કરે છે. બીજી બાજુ, જો પૈસા તેના માટે સર્વસ્વ હોત અને તેની પત્ની બીમાર પડી હોત, તો તેને તણાવ અનુભવાય પણ ચિંતા ના થાય.
તણાવ એ ચિંતા જેવું છે પણ ચિંતા નથી. તણાવમાં ખેંચાણ ઘણી બાજુથી થાય જ્યારે ચિંતામાં તમે એક જ બાબતને સર્વસ્વ ગણીને સંપૂર્ણપણે તેના મય થઈ જાવ છો. ઉદાહરણ તરીકે, ‘જો આ નોકરીમાં બરાબર ફાવશે નહીં તો શું થશે? મારી પત્ની બીમાર છે, તેનું શું થશે? બાળકો શાળાએ નિયમિત જતાં નથી, તેમનું શું થશે? ’તણાવ એટલે એક જ સમયે આવી અનેક પ્રકારની સમસ્યાઓ.
Q. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
A. આપણે બધાએ આપણા જીવનની ચિંતાઓ સાથે સંઘર્ષ કર્યો છે. એવો પણ સમય હોય છે કે જ્યારે આપણે બધા કરતા વધારે ચિંતા કરતા હોઈએ છીએ અને એવો સમય પણ હોય કે જ્યારે ચિંતા...Read More
A. પ્રશ્નકર્તા : ટેન્શન એટલે શું ? ચિંતાનું તો સમજાયું, હવે ટેન્શન એની વ્યાખ્યા કહોને કે ટેન્શન કોને કહેવું ? દાદાશ્રી : ટેન્શન એના જેવો જ ભાગ છે. પણ એમાં...Read More
Q. શું હું ચિંતા મુક્ત વ્યવસાય કરી શકું છું ?
A. પ્રશ્નકર્તા : ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય વધારે બગડવાનું. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું...Read More
Q. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
A. કોઈ પરિસ્થિતિના પોઝિટિવ પરિણામને આપણે સ્વીકારી શકીએ છીએ અને તેના અવળા પરિણામને સંભાળી શકતા નથી એટલે આપણે ચિંતા કરીએ છીએ. પણ જો આપણને જાણ હોય કે ચિંતાથી...Read More
Q. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
A. શું તમે તમારી નોકરી, પૈસા, આરોગ્ય, બાળકો, વૃદ્ધ-માતાપિતા જેવી વિવિધ બાબતોથી ચિંતિત છો અને તેનાથી નકારાત્મક અસર અનુભવો છો? અહીં, આપ નીચે આપેલી રીતે આ...Read More
Q. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
A. શું તમે ભવિષ્યની ચિંતા કરો છો? આપણે ના ગમતી પરિસ્થિતિઓની કલ્પના કરીને ભવિષ્યની ચિંતા કરીએ છીએ. તેવી સ્થિતિ બની પણ શકે કે ન પણ બને. નકારાત્મક રીતે વસ્તુઓની...Read More
Q. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
A. કેટલાંક અમદાવાદના શેઠ મળ્યા'તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠાં હતા. તે શેઠાણી સામા આવીને બેઠાં. તો પૂછયું શેઠાણી, 'તમે કેમ સામે આવીને...Read More
Q. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
A. જ્યારે દરેક વસ્તુ તમારા કાબૂની બહાર જતી રહે અને તમે ફસામણ તથા અસહાયતા અનુભવો ત્યારે તમારા જીવનને નિયંત્રણમાં લેવાનો નિર્ણય કરતા પહેલા નીચેના પ્રશ્નો વિષે...Read More
Q. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
A. જ્યારે તમે જે તમારું નથી તેના માલિક બનવા જાઓ છો, ત્યારે ચિંતા થાય છે. અને તમે તેનાથી સુખી-દુ:ખી થાઓ છો. અગર તમે કોઈના ઘરમાં તેની પરવાનગી સિવાય અંદર જાઓ, તો...Read More
A. “લોકોને હું પસંદ નથી”, “લોકો મારા માટે શું વિચારે છે”, “બીજાઓ મારા માટે શું વિચારે છે?” મનમાં ઉદ્ભવતા આવા અમુક વિચારો ચિંતા કરાવે છે અને શાંતિ ભંગ કરે છે....Read More
Q. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
A. “મને નોકરી નથી મળી રહી”, “મને મારી કારકિર્દી, જીવન અને ભવિષ્યની ચિંતા થાય છે,” “શું મને નોકરી મળશે,” “હવે હું શું કરીશ?” – શું અત્યારે આ તમારા માટે મોટી...Read More
Q. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
A. જ્યારે તમે તમારા કોઈ પ્રિય વ્યક્તિની માંદગી વિશે જાણો છો, ત્યારે તમને આઘાત લાગે તેમાં કોઈ શંકા નથી. લાંબા દિવસો અને અશાંત રાતની તમારા મન અને શરીર પર અસર...Read More
Q. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
A. એ સામાન્ય છે કે જ્યારે તમારા જીવનસાથી તમને છેતરતા હોય ત્યારે શંકા અને ચિંતા થાય. “મારા જીવનસાથી મને છેતરી રહ્યા છે” એ તમારા મનમાં પહેલા શંકા જન્માવે છે. જો...Read More
Q. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
A. જીવનમાં દરેક વસ્તુ ગુમાવવાનો ભય અત્યંત નબળા બનાવી શકે છે. એમાં કોઈ વ્યક્તિને ગુમાવવાનો ભય, નિયંત્રણ ગુમાવવાનો ભય, નોકરી ગુમાવવાનો ભય અને પૈસા ગુમાવવાના...Read More
subscribe your email for our latest news and events