અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
કોઈ પરિસ્થિતિના પોઝિટિવ પરિણામને આપણે સ્વીકારી શકીએ છીએ અને તેના અવળા પરિણામને સંભાળી શકતા નથી એટલે આપણે ચિંતા કરીએ છીએ. પણ જો આપણને જાણ હોય કે ચિંતાથી અંતરાય (વિઘ્ન) પડે છે અને કામમાં વિલંબ થાય છે, તો શું આપણને ચિંતા કરવી પોષાય? ચિંતા કરવી એ કોઈ વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ તેની આધ્યાત્મિક પ્રગતિ માટે પણ નુકસાનકારક છે. તેનાથી જીવનની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર પડે છે અને તે પરિસ્થિતિને વધુ બગાડે છે. આમ, આપણે ચિંતા અને તણાવ કરવાનું બંધ કરવું જોઈએ. ચાલો તણાવ અને ચિંતા કરવાથી થતી અસરો પર એક નજર કરીએ:
ચિંતા કરતી વખતે જે કામ કરતા હોઈએ છીએ તેમાં મન હાજર નથી રહેતું. સર્જરી કરતી વખતે જો ડોકટરનું ધ્યાન બીજે જતું રહે તો દર્દીનું શું થાય? એ જ રીતે, જમતી વખતે અંદર બહુ બધી ક્રિયાઓ ચાલતી હોય છે. જમતી વખતે જમવામાં ધ્યાન ન રાખીએ તો રક્ત વાહિનીઓ સખત થઈ જાય છે, જેના પરિણામે હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક આવે છે.
જ્યારે તમે ચિંતા કરો છો, ત્યારે મગજ રક્તવાહિનીઓમાં સ્ટ્રેસ હોર્મોન્સ છોડે છે; જેથી સ્નાયુઓ તણાવયુક્ત થાય છે અને આના પરિણામે પીઠનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, કંપન વગેરે થાય છે. તણાવ પાચનતંત્રની રક્ષણાત્મક દિવાલને પાતળી કરે છે જેનાથી જઠરને લગતા રોગો થાય છે.
અન્ય શારીરિક અસરો, જે ચિંતા ન કરવાનો નિશ્ચય દ્રઢ બનાવે છે:
શું આ તમને ચિંતા કરવાનું બંધ કરવા પ્રેરે છે?
શું ચિંતા બંધ કરવાના દ્રઢ નિશ્ચય માટે આ પૂરતું નથી?
જે ક્ષણે આપણો જન્મ થાય છે ત્યારથી મૃત્યુ સુધીના સમયમાં, દરેક વસ્તુ ડિસ્ચાર્જ થઈ રહી છે. મનુષ્ય તરીકેનું તમારું અત્યારનું અસ્તિત્વ ડિસ્ચાર્જ છે. તમે પાછલા અવતારમાં મનુષ્ય જન્મ ચાર્જ કરેલો હતો, તે અત્યારે ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. ભગવાનને ડિસ્ચાર્જીંગમાં કોઈ વાંધો નથી, પણ ડિસ્ચાર્જીંગ વખતે તમારું ધ્યાન જ્યાં વર્તતું હોય તે મહત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે, તમે તમારો ધંધો ચલાવો છો ત્યારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. તમે આ ધંધો શરુ કર્યો, એ આ રીતે ધંધો કરવાના ચાર્જ કરેલા કર્મોનું પરિણામ છે. જે દિવસે તમે ધંધો શરુ કર્યો ત્યારથી જ તેનું ડિસ્ચાર્જ શરુ થઈ ગયું છે, પરંતુ તમે તેમાં તન્મયાકાર થઈ જાઓ છો, જેનાથી નવી ચાર્જિંગ પ્રક્રિયા ફરીથી શરુ થઈ જાય છે.
Q. ચિંતા શું છે ? ચિંતા કરવાનો અર્થ શું છે ?
A. ખરેખર, ચિંતાનો અર્થ શું છે? ચિંતા શું છે? ચાલો આપણે થોડી વાતો ધ્યાનમાં લઈને આ વિશે જાણીએ. આપણે આપણા રોજિંદા જીવનમાં વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થતા હોઈએ છીએ...Read More
Q. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
A. આપણે બધાએ આપણા જીવનની ચિંતાઓ સાથે સંઘર્ષ કર્યો છે. એવો પણ સમય હોય છે કે જ્યારે આપણે બધા કરતા વધારે ચિંતા કરતા હોઈએ છીએ અને એવો સમય પણ હોય કે જ્યારે ચિંતા...Read More
A. પ્રશ્નકર્તા : ટેન્શન એટલે શું ? ચિંતાનું તો સમજાયું, હવે ટેન્શન એની વ્યાખ્યા કહોને કે ટેન્શન કોને કહેવું ? દાદાશ્રી : ટેન્શન એના જેવો જ ભાગ છે. પણ એમાં...Read More
Q. શું હું ચિંતા મુક્ત વ્યવસાય કરી શકું છું ?
A. પ્રશ્નકર્તા : ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય વધારે બગડવાનું. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું...Read More
Q. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
A. શું તમે તમારી નોકરી, પૈસા, આરોગ્ય, બાળકો, વૃદ્ધ-માતાપિતા જેવી વિવિધ બાબતોથી ચિંતિત છો અને તેનાથી નકારાત્મક અસર અનુભવો છો? અહીં, આપ નીચે આપેલી રીતે આ...Read More
Q. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
A. શું તમે ભવિષ્યની ચિંતા કરો છો? આપણે ના ગમતી પરિસ્થિતિઓની કલ્પના કરીને ભવિષ્યની ચિંતા કરીએ છીએ. તેવી સ્થિતિ બની પણ શકે કે ન પણ બને. નકારાત્મક રીતે વસ્તુઓની...Read More
Q. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
A. કેટલાંક અમદાવાદના શેઠ મળ્યા'તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠાં હતા. તે શેઠાણી સામા આવીને બેઠાં. તો પૂછયું શેઠાણી, 'તમે કેમ સામે આવીને...Read More
Q. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
A. જ્યારે દરેક વસ્તુ તમારા કાબૂની બહાર જતી રહે અને તમે ફસામણ તથા અસહાયતા અનુભવો ત્યારે તમારા જીવનને નિયંત્રણમાં લેવાનો નિર્ણય કરતા પહેલા નીચેના પ્રશ્નો વિષે...Read More
Q. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
A. જ્યારે તમે જે તમારું નથી તેના માલિક બનવા જાઓ છો, ત્યારે ચિંતા થાય છે. અને તમે તેનાથી સુખી-દુ:ખી થાઓ છો. અગર તમે કોઈના ઘરમાં તેની પરવાનગી સિવાય અંદર જાઓ, તો...Read More
A. “લોકોને હું પસંદ નથી”, “લોકો મારા માટે શું વિચારે છે”, “બીજાઓ મારા માટે શું વિચારે છે?” મનમાં ઉદ્ભવતા આવા અમુક વિચારો ચિંતા કરાવે છે અને શાંતિ ભંગ કરે છે....Read More
Q. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
A. “મને નોકરી નથી મળી રહી”, “મને મારી કારકિર્દી, જીવન અને ભવિષ્યની ચિંતા થાય છે,” “શું મને નોકરી મળશે,” “હવે હું શું કરીશ?” – શું અત્યારે આ તમારા માટે મોટી...Read More
Q. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
A. જ્યારે તમે તમારા કોઈ પ્રિય વ્યક્તિની માંદગી વિશે જાણો છો, ત્યારે તમને આઘાત લાગે તેમાં કોઈ શંકા નથી. લાંબા દિવસો અને અશાંત રાતની તમારા મન અને શરીર પર અસર...Read More
Q. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
A. એ સામાન્ય છે કે જ્યારે તમારા જીવનસાથી તમને છેતરતા હોય ત્યારે શંકા અને ચિંતા થાય. “મારા જીવનસાથી મને છેતરી રહ્યા છે” એ તમારા મનમાં પહેલા શંકા જન્માવે છે. જો...Read More
Q. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
A. જીવનમાં દરેક વસ્તુ ગુમાવવાનો ભય અત્યંત નબળા બનાવી શકે છે. એમાં કોઈ વ્યક્તિને ગુમાવવાનો ભય, નિયંત્રણ ગુમાવવાનો ભય, નોકરી ગુમાવવાનો ભય અને પૈસા ગુમાવવાના...Read More
subscribe your email for our latest news and events