અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો05 જૂન |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
જ્યારે દરેક વસ્તુ તમારા કાબૂની બહાર જતી રહે અને તમે ફસામણ તથા અસહાયતા અનુભવો ત્યારે તમારા જીવનને નિયંત્રણમાં લેવાનો નિર્ણય કરતા પહેલા નીચેના પ્રશ્નો વિષે વિચારી જુઓ:
વાસ્તવિકતામાં, કોઈનો પોતાના જીવન પર નિયંત્રણ હોતો નથી. જ્યારે દરેક વસ્તુને કાબૂમાં લેવા જઈએ છીએ, તેના કારણે ચિંતા થવાનું શરૂ થાય છે. તો પછી, આપણા જીવનમાં જે કાંઈ બને છે તેના પર કોનો કાબૂ હોય છે? શું તે પ્રારબ્ધ છે? શું પુરુષાર્થ કરવાથી કંઈ બદલી શકાય છે? કે હકીકતમાં કંઈ બીજું છે?
લોકો નસીબ અને પ્રારબ્ધની સામે સ્વતંત્ર સ્વ-પુરુષાર્થની વાતો કરતા હોય છે. ઘણા માત્ર પ્રારબ્ધ પર આધાર રાખે છે, જ્યારે બીજા માત્ર સ્વ-પુરુષાર્થ પર આધાર રાખે છે.
જ્યારે લોકો ખૂબ પૈસા કમાય છે, તે તેના માટે માન ખાય છે અને દાવા માંડે છે કે આ તો તેની મહેનત અને સખત પરિશ્રમનું ફળ છે. જો તેને ખોટ જાય તો તેઓ તેની કુંડળી, પ્રારબ્ધ, બદ્નસીબને દોષ આપે છે અને ત્યાં સુધી કે ભગવાનને પણ દોષિત ગણે છે. જ્યારે દરેક વસ્તુ પદ્ધતિસર જઈ રહી હોય ત્યારે સફળતા એ આપણા પુરુષાર્થનું ફળ છે, પરંતુ જ્યારે તે પદ્ધતિસર નથી થતું, ત્યારે લોકો ભગવાનને દોષ આપે છે. શું આ બરાબર છે? જે પદ્ધતિસર નથી જઈ રહ્યું તેને સરખું કરવામાં જે પ્રયત્નો કરવામાં આવે છે, તેને જગતના લોકો સ્વ પુરુષાર્થ તરીકે ઓળખે છે. જો વ્યક્તિ ખરેખર પુરુષાર્થ કરવા માટે સક્ષમ હોય, તો તે ક્યારેય ખોટ જવા દે નહીં. પુરુષાર્થમાં અસફળતા હોતી નથી. માટે, આ વિરોધાભાસ છે. એટલે, શું તમે હજી પણ માનો છો કે તમે તમારા જીવન પર કાબૂ મેળવી શકશો?
લોકો માને છે કે તેઓ કરે છે; જ્યારે હકીકતમાં, તેઓ જે કરી રહ્યા છે અને જેના પર કાબૂ મેળવવા માટે મથી રહ્યા છે, તે તો પાછલા જીવનના કર્મોનો હિસાબ છે. લીમડો ડાળીએ-ડાળીએ અને પાંદડે-પાંદડે કડવો હોય છે. આના માટે ઝાડને શું પુરુષાર્થ કરવો પડે છે? ઝાડમાં જે કાંઈ પણ ઊગ્યું છે તે તેના બીજમાંથી આવ્યું છે. તેવી રીતે, મનુષ્ય તેની પ્રકૃતિ પ્રમાણે કરે છે, પણ એવું કહે છે કે ‘હું કરું છું’ અને આ રીતે અહંકાર કરે છે. જે કંઈ દેખાય છે અને બને છે તે તમારા પાછલા કર્મોના પરિણામે બને છે અને તેને ‘મે કર્યું’ કહેવું એ સૂક્ષ્મ માન અને અભિમાન છે.
ના. તમે માત્ર બેઠા બેઠા એવું પણ ન કહી શકો કે બધું નસીબમાં લખાયેલું છે. જો તમે કહો, તો તમે સાવ અપ્રવૃત્ત થઈ જશો. આવા આધારથી મન બેચેન થઈ જશે. જો પ્રારબ્ધનો આ ટેકો લેવો યોગ્ય હોય, તો તમને ચિંતાઓ ના થવી જોઈએ, પરંતુ શું તમને ચિંતા નથી થતી? તેથી, પ્રારબ્ધ પર આધારિત રહેવું તર્કસંગત નથી.
તો પછી, કર્તા કોણ છે?
સંયોગો ‘કર્તા’ છે. દરેક વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાઓ (વ્યવસ્થિત) ભેગા થાય છે, ત્યારે એક ઘટના બને છે. તેથી, તમારા જીવન પર કંટ્રોલ કરવો એ તમારા હાથમાં નથી. તમારે માત્ર સંયોગોને નિરીક્ષણ કરીને શું બને છે તે જોવાનું છે. જ્યારે સંયોગો મળી આવે છે, ત્યારે કાર્ય પુર્ણ થાય છે. માર્ચના મહિનામાં વરસાદ પડે એવી આશા રાખવી તે અયોગ્ય છે. જૂન 15ના (જ્યારે ભારતમાં વરસાદ શરુ થાય છે) સંયોગો મળી આવશે. જો કાળનો સંયોગ યોગ્ય હોય, પરંતુ વાદળાઓ ના હોય તો વરસાદ કેવી રીતે આવશે? જ્યારે વાદળાઓ છે, યોગ્ય સમય છે, વીજળી થાય છે અને બીજા બધા સંયોગો ભેગા થશે, ત્યારે વરસાદ પડશે. દરેક સંજોગોને પાકવા દેવા પડશે. મનુષ્ય સંજોગોને આધીન છે, પરંતુ તે માને છે કે તે કંઈક કરે છે. તે જે કાંઈ પણ કરે છે તે પણ સંજોગોને આધીન છે. જો એક પણ સંજોગ ખૂટી પડે, તો તે કાર્ય પૂરું કરી શકશે નહીં.
વ્યવસ્થિત એટલે વૈજ્ઞાનિક સાંયોગિક પૂરાવાઓ. વ્યવસ્થિતના જ્ઞાનથી દરેક પરિસ્થિતિમાં સમાધાન રહી શકે.
પરમ પૂજ્ય દાદા ભગવાન સાદા દાખલા સાથે સમજાવે છે:
“આ કાચનો પ્યાલો છે. તે તમારા હાથમાંથી છૂટવા માંડ્યો. તે તમે આમથી તેમ ને તેમથી આમ હાથ હલાવીને તેને છેક નીચે સુધી બચાવવા પ્રયત્ન કર્યો. તે છતાંય તે પડ્યો ને ફૂટી ગયો. તો તે કોણે ફોડ્યો ? તમારી ઈચ્છા જરાય નહોતી કે આ પ્યાલો ફૂટે. ઊલટાનો તમે તો છેક સુધી બચાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે શું પ્યાલાને ફૂટવાની ઇચ્છા હતી ? ના. તેને તો તેવું હોય જ નહીં. બીજું કોઈ ફોડનાર તો હાજર નથી તો પછી કોણે ફોડ્યો ? 'વ્યવસ્થિતે.' વ્યવસ્થિત એ એક્ઝેક્ટ નિયમથી ચાલે છે. ત્યાં પોપાબાઈનું રાજ નથી. જો 'વ્યવસ્થિત'ના નિયમમાં આ પ્યાલો ફૂટવાનો જ ના હોય તો આ કાચના પ્યાલાનાં કારખાનાં શી રીતે ચાલે ? આ તો વ્યવસ્થિતને તમારુંય ચલાવવું છે, કારખાનાંય ચલાવવાં છે અને હજારો મજૂરોનુંય ગાડું ચલાવવાનું છે. તે નિયમથી પ્યાલો ફૂટે જ, ફૂટ્યા વગર રહે જ નહીં. ત્યારે અક્કરમી ફૂટે ત્યારે કઢાપો ને અજંપો કર્યા કરે. અરે, નોકરથી ફૂટ્યો હોય ને બે-પાંચ મહેમાન બેઠા હોય તો મનમાં અજંપો કર્યા કરે કે ક્યારે આ મહેમાન જાય ને હું નોકરને ચાર તમાચા ચોડી દઉં ! ને મૂઓ તેવું કરેય ખરો. અને જો તેણે જાણ્યું કે આ નોકરે નથી ફોડ્યો પણ 'વ્યવસ્થિતે' ફોડ્યો છે તો થાય કશું ? સંપૂર્ણ સમાધાન રહે કે ન રહે ? ખરી રીતે નોકર બિચારો નિમિત્ત છે. તેને આ શેઠિયાઓ બચકાં ભરે છે. નિમિત્તને ક્યારેય બચકાં ના ભરાય. મૂઆ, નિમિત્તને બચકાં ભરીને તું તારું ભયંકર અહિત કરી રહ્યો છું. મૂઆ, મૂળ રૂટ કૉઝ ખોળી કાઢને ! તો તારો ઉકેલ આવશે.”
માટે, તમારા જીવન પર કાબૂ મેળવવાને બદલે, સકારાત્મક પ્રયત્નો કરવાનું વિચારો. કાર્ય પૂરું કરવા માટે દરેક બાજુથી સકારાત્મક (પોઝિટીવ) વલણ રાખી સકારાત્મક પ્રયત્નો કરવાથી આપણા તરફથી સકારાત્મક પૂરાવાઓ ઉમેરાય છે. પ્રાર્થના એ પણ એક સકારાત્મક નિમિત્ત છે. જ્યારે આપણે ચિંતા ના કરતા હોઈએ, ત્યારે આપણા તરફથી નકારાત્મક પૂરાવાઓ જતા નથી. આ નિમિત્તો સાથે જ્યારે બીજા નિમિત્તો જેવા કે કાળ, ક્ષેત્ર, સારા અને ખરાબ કર્મો બધા ભેગા મળીને છેલ્લું પરિણામ આવે છે. તે વ્યવસ્થિત છે. એક વાર જ્યારે આપણે પરિણામને સ્વીકારતા શીખી જઈએ છીએ, ભલે તે સારું હોય કે ખરાબ હોય, એક વાર આપણને જ્યારે સમજાય છે કે કોઈ કર્તા નથી, આપણું જીવન ખૂબ શાંતિમય અને સુખમય બની જશે.
Q. ચિંતા શું છે ? ચિંતા કરવાનો અર્થ શું છે ?
A. ખરેખર, ચિંતાનો અર્થ શું છે? ચિંતા શું છે? ચાલો આપણે થોડી વાતો ધ્યાનમાં લઈને આ વિશે જાણીએ. આપણે આપણા રોજિંદા જીવનમાં વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થતા હોઈએ છીએ...Read More
Q. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
A. આપણે બધાએ આપણા જીવનની ચિંતાઓ સાથે સંઘર્ષ કર્યો છે. એવો પણ સમય હોય છે કે જ્યારે આપણે બધા કરતા વધારે ચિંતા કરતા હોઈએ છીએ અને એવો સમય પણ હોય કે જ્યારે ચિંતા...Read More
A. પ્રશ્નકર્તા : ટેન્શન એટલે શું ? ચિંતાનું તો સમજાયું, હવે ટેન્શન એની વ્યાખ્યા કહોને કે ટેન્શન કોને કહેવું ? દાદાશ્રી : ટેન્શન એના જેવો જ ભાગ છે. પણ એમાં...Read More
Q. શું હું ચિંતા મુક્ત વ્યવસાય કરી શકું છું ?
A. પ્રશ્નકર્તા : ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય વધારે બગડવાનું. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું...Read More
Q. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
A. કોઈ પરિસ્થિતિના પોઝિટિવ પરિણામને આપણે સ્વીકારી શકીએ છીએ અને તેના અવળા પરિણામને સંભાળી શકતા નથી એટલે આપણે ચિંતા કરીએ છીએ. પણ જો આપણને જાણ હોય કે ચિંતાથી...Read More
Q. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
A. શું તમે તમારી નોકરી, પૈસા, આરોગ્ય, બાળકો, વૃદ્ધ-માતાપિતા જેવી વિવિધ બાબતોથી ચિંતિત છો અને તેનાથી નકારાત્મક અસર અનુભવો છો? અહીં, આપ નીચે આપેલી રીતે આ...Read More
Q. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
A. શું તમે ભવિષ્યની ચિંતા કરો છો? આપણે ના ગમતી પરિસ્થિતિઓની કલ્પના કરીને ભવિષ્યની ચિંતા કરીએ છીએ. તેવી સ્થિતિ બની પણ શકે કે ન પણ બને. નકારાત્મક રીતે વસ્તુઓની...Read More
Q. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
A. કેટલાંક અમદાવાદના શેઠ મળ્યા'તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠાં હતા. તે શેઠાણી સામા આવીને બેઠાં. તો પૂછયું શેઠાણી, 'તમે કેમ સામે આવીને...Read More
Q. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
A. જ્યારે તમે જે તમારું નથી તેના માલિક બનવા જાઓ છો, ત્યારે ચિંતા થાય છે. અને તમે તેનાથી સુખી-દુ:ખી થાઓ છો. અગર તમે કોઈના ઘરમાં તેની પરવાનગી સિવાય અંદર જાઓ, તો...Read More
A. “લોકોને હું પસંદ નથી”, “લોકો મારા માટે શું વિચારે છે”, “બીજાઓ મારા માટે શું વિચારે છે?” મનમાં ઉદ્ભવતા આવા અમુક વિચારો ચિંતા કરાવે છે અને શાંતિ ભંગ કરે છે....Read More
Q. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
A. “મને નોકરી નથી મળી રહી”, “મને મારી કારકિર્દી, જીવન અને ભવિષ્યની ચિંતા થાય છે,” “શું મને નોકરી મળશે,” “હવે હું શું કરીશ?” – શું અત્યારે આ તમારા માટે મોટી...Read More
Q. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
A. જ્યારે તમે તમારા કોઈ પ્રિય વ્યક્તિની માંદગી વિશે જાણો છો, ત્યારે તમને આઘાત લાગે તેમાં કોઈ શંકા નથી. લાંબા દિવસો અને અશાંત રાતની તમારા મન અને શરીર પર અસર...Read More
Q. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
A. એ સામાન્ય છે કે જ્યારે તમારા જીવનસાથી તમને છેતરતા હોય ત્યારે શંકા અને ચિંતા થાય. “મારા જીવનસાથી મને છેતરી રહ્યા છે” એ તમારા મનમાં પહેલા શંકા જન્માવે છે. જો...Read More
Q. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
A. જીવનમાં દરેક વસ્તુ ગુમાવવાનો ભય અત્યંત નબળા બનાવી શકે છે. એમાં કોઈ વ્યક્તિને ગુમાવવાનો ભય, નિયંત્રણ ગુમાવવાનો ભય, નોકરી ગુમાવવાનો ભય અને પૈસા ગુમાવવાના...Read More
subscribe your email for our latest news and events