અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
પ્રશ્નકર્તા: છોકરાઓની સામાવડિયા વર્તણૂંક સાથે કેવો વ્યવહાર કરવો? મા-બાપ માટે કંઈક સલાહ આપો.
દાદાશ્રી: એક બાપ કહે છે, 'આ છોકરા બધા મારી સામા થઈ જાય છે.' મેં કહ્યું, 'તમારામાં બરકત નથી, એ ખુલ્લું થાય છે.' તમારામાં બરકત હોય તો છોકરા સામા શી રીતે થાય તે ? માટે એવી આબરૂ જ ના ઊઘાડશો.
અને છોકરાંને વઢવઢ કરીએ તો બગડી જાય. એને સુધારવા હોય તો અમારી પાસે બોલાવડાવી અડધો કલાક વાતચીત કરાવડાવીએ એટલે સુધરી જાય !
એટલે મેં પુસ્તકમાં લખ્યું છે કે 'અન્ક્વૉલિફાઈડ ફાધર્સ એન્ડ અન્ક્વૉલિફાઈડ મધર્સ.' પછી છોકરાંઓ આવાં જ થઈ જાય ને ! એટલે મારે કહેવું પડ્યું, ફાધર થવાની લાયકાતનું સર્ટિફિકેટ લેવું ને પછી પૈણવું જોઈએ.
આ તો જીવન જીવતાં ય નહીં આવડતું, કશું એને આવડતું જ નથી. આ દુનિયા કેવી રીતે ચલાવવી તે જ નથી આવડતું. એટલે પછી છોકરાંને માર માર કરે. અલ્યા મૂઆ, ધીબું છું તે આ લૂગડાં છે તે માર માર કરે છે ?! છોકરાને સુધારીએ, માર માર કરીએ, તે આ કંઈ રીત છે ? એટલે જાણે પાપડનો લોટ ના બાંધતા હોય, પેલા ઘણથી પાપડનો લોટ બાંધતા હોય એવી રીતે માર માર કરતાં એક જણને દેખ્યો.
મા-બાપ તો તેનું નામ કહેવાય કે છોકરો ખરાબ લાઈને ચઢ્યો હોય છતાં ય એક દહાડો મા-બાપ કહેશે, 'ભઈ, આ આપણને શોભે નહીં, આ તેં શું કર્યું ?' તે બીજે દહાડેથી એનું બંધ થઈ જાય ! એવો પ્રેમ જ ક્યાં છે ? આ તો પ્રેમ વગરનાં મા-બાપ. આ જગત પ્રેમથી જ વશ થાય.
Q. બાળકોને સંસ્કાર કેવી રીતે આપવા?
A. પ્રશ્નકર્તા : અહીંયાં આજુબાજુ અમેરિકામાં પૈસો છે, પણ સંસ્કાર નથી અને અહીંનું આજુબાજુનું વાતાવરણ એવું છે, તો તે માટે શું કરવું ? દાદાશ્રી : પહેલાં મા-બાપે...Read More
Q. બાળકોને ભણતરમાં કેવી રીતે માર્ગદર્શન આપવું?
A. એક ભઈ કહે છે, અમારો ભત્રીજો રોજ નવ વાગે ઊઠે છે. ઘરમાં કશું કામ થતું નથી. પછી ઘરનાં બધાં માણસોને પૂછયું કે આ વહેલો નથી ઊઠતો એ તમને બધાને નથી ગમતું ? ત્યારે...Read More
Q. બાળકો જ્યારે ભૂલ કરે ત્યારે તેમની સાથે કેવી રીતે વાત કરવી?
A. પ્રશ્નકર્તા : ટકોર કરવી પડેને, જો એની ભૂલ થતી હોય તો ? દાદાશ્રી : તે આપણે એમને એમ પૂછવું કે તમે આ બધું કરો છો એ તમને ઠીક લાગે છે, તમે વિચારીને કર્યું આ...Read More
Q. બાળકને કેવી રીતે શિસ્ત અને સારી વર્તણૂક સાથે ઉછેરવા?
A. આપણે માંસાહાર ના કરીએ, દારૂ ના પીએ અને ઘરમાં સ્ત્રી જોડે અથડામણ ના કરીએ. એટલે છોકરાઓ જુએ કે પપ્પા બહુ સારા છે. પેલાના પપ્પા-મમ્મી લડતાં હતાં. મારાં...Read More
Q. બાળકોને ચોરી કરતાં કેવી રીતે અટકાવવા?
A. પ્રશ્નકર્તા : બરાબર છે, પણ ભલે આપણે કંઈ કહેવું ન હોય, પણ આપણે એમ માનીએ કે આપણો દીકરો હોય, ચોરી કરતો હોય, તો ચોરી કરવા દેવી ? દાદાશ્રી : દેખાવમાં વિરોધ,...Read More
A. આ કચકચ કર્યા કરતાં મૌન કેળવવું સારું, ના બોલવું સારું. સુધારવા કરતાં બગડે, માટે અક્ષરે ય ન કહેવાય. બગડે એની જવાબદારી આપણી. સમજાય એવી વાત છે આ ? આપણે કહીએ...Read More
Q. તમારી ટીનેજ છોકરી સાથે કેવી રીતે વર્તવું?
A. એક માણસ મારી પાસે આવતો. તે એને એક છોડી હતી. તેને મેં પહેલેથી જ સમજાવ્યું હતું કે આ તો કળિયુગ છે, એમાં કળિયુગની અસર છોડીને ય થાય. માટે ચેતતો રહેજે. તે એ...Read More
Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે બતાવી દેવું કે 'ભઈ, અમે ના હોઈએ કે તે દહાડે તારું, ત્યાં...Read More
Q. મા-બાપ છોકરાંના સંબંધને કેવી રીતે મજબૂત કરવા?
A. પ્રશ્નકર્તા: હું મા-બાપ ની સેવા કરવા ઈચ્છું છું અને મા-બાપ સાથે સંબંધ મજબૂત કરવા માંગું છું પરંતુ, જ્યારે હું તેમની ભૂલો જોઉં છું ત્યારે હું માંડી વાળું...Read More
subscribe your email for our latest news and events