અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
એક માણસ મારી પાસે આવતો. તે એને એક છોડી હતી. તેને મેં પહેલેથી જ સમજાવ્યું હતું કે આ તો કળિયુગ છે, એમાં કળિયુગની અસર છોડીને ય થાય. માટે ચેતતો રહેજે. તે એ માણસ સમજી ગયો અને જ્યારે એની છોડી બીજા જોડે નાસી ગઈ. ત્યારે એ માણસે મને યાદ કર્યો. ને મારી પાસે આવ્યો ને કહેવા લાગ્યો. 'તમે કહી હતી તે વાત સાચી. જો તમે મને આવી વાત ના જણાવી હોત તો મારે ઝેર પીવું પડત.' આવું છે આ જગત પોલંપોલ. જે થાય તે સ્વીકાર્ય કરી લેવું પડે. એમાં તે કંઈ ઝેર પીવાય ? ના મૂઆ ! એ તો તું ગાંડો ગણાઈશ. આ તો કપડાં ઢાંકીને આબરૂ રાખે છે અને કહે છે કે અમે ખાનદાન !
એક અમારો ખાસ સગો હતો, તેને ચાર છોડીઓ હતી. તે જાગૃત બહુ. તે મને કહે, 'આ છોડીઓ મોટી થઈ, કોલેજમાં ગઈ, તે મને વિશ્વાસ નથી રહેતો.' ત્યારે મેં કહ્યું, 'જોડે જજો. કોલેજમાં જોડે જઈએ અને એ કોલેજમાંથી નીકળે ત્યારે પાછળ આવજે.' એ તો એક દહાડો જઈશ. પણ બીજી વખત શું કરીશ ? વહુને મોકલજે (!) અલ્યા, વિશ્વાસ ક્યાં રાખવો ને ક્યાં રાખવો નહીં એટલું ય નથી સમજતો ? અહીંથી આપણે કહી દેવાનું, 'બેન જો, આપણે સારા માણસ, આપણે ખાનદાન, કુળવાન છીએ.' આમ એને આપણે ચેતવી દેવાનું. પછી જે બન્યું એ 'કરેક્ટ'. શંકા નહીં કરવાની. કેટલાક શંકા કરતા હશે ? જે જાગ્રત હોય તે શંકા કર્યા કરે. એવો સંશય રાખે ક્યારે પાર આવે ?
માટે ગમે તેવી શંકા તો ઉત્પન્ન થતાં પહેલાં જ તેને ઉખાડીને ફેંકી દેવી. આ તો આ છોડીઓ બહાર ફરવા જાય, રમવા જાય, એની શંકા કરે. અને શંકા ઉત્પન્ન થઈ કે ત્યાં સુખ આપણને બહુ વર્તે ખરું ?
એટલે કોઈ ફેરો છોડી રાતે મોડી આવે તો પણ શંકા ના કરીએ, શંકા કાઢી નાખીએ, તો કેટલો ફાયદો કરે ? વગર કામની ભડક રાખ્યાનો શો અર્થ છે ? એક અવતારમાં કશો ફેરફાર થવાનો નથી. પેલી છોકરીઓને વગર કામનું દુઃખ દેશો નહીં, છોકરાંઓને દુઃખ દેશો નહીં. ફક્ત મોઢે એમ કહેવું ખરું કે, 'બેન તું બહાર જાય છે તે મોડું ના થવું જોઈએ. આપણે ખાનદાન ગામનાં, આપણને આ શોભે નહીં. માટે આટલું મોડું ના કરશો.' આમતેમ બધી વાતચીત કરવી, સમજાવીએ કરીએ. પણ શંકા કર્યે પાલવે નહીં કે 'કોની જોડે ફરતી હશે, શું કરતી હશે.' અને પછી રાતે બાર વાગે આવે તો ય પાછું બીજે દહાડે કહેવાનું કે, 'બેન, આવું ના થવું જોઈએ !' તેને જો કાઢી મૂકીએ તો એ કોને ત્યાં જશે એનું ઠેકાણું નહીં. ફાયદો શેમાં ? ઓછામાં ઓછું નુકસાન થાય એમાં ફાયદો ને ? એટલે મેં બધાને કહ્યું છે કે મોડી આવે તો ય છોડીઓને ઘરમાં પેસવા દેજો, એમને કાઢી ના મૂકશો. નહીં તો બહારથી કાઢી મેલે, આ કડક મિજાજના લોકો એવા ખરા કે ? કાળ કેવો વિચિત્ર છે ! કેટલી બળતરાવાળો કાળ છે !! ને પાછો આ કળિયુગ છે, એટલે ઘરમાં બેસાડીને પછી સમજાવવું.
Book Name: મા-બાપ છોકરાંનો વ્યવહાર (Page #42 last 2 paragraphs and Page #43 Paragraph #1,#2,#3)
Q. બાળકોને સંસ્કાર કેવી રીતે આપવા?
A. પ્રશ્નકર્તા : અહીંયાં આજુબાજુ અમેરિકામાં પૈસો છે, પણ સંસ્કાર નથી અને અહીંનું આજુબાજુનું વાતાવરણ એવું છે, તો તે માટે શું કરવું ? દાદાશ્રી : પહેલાં મા-બાપે...Read More
Q. બાળકોને ભણતરમાં કેવી રીતે માર્ગદર્શન આપવું?
A. એક ભઈ કહે છે, અમારો ભત્રીજો રોજ નવ વાગે ઊઠે છે. ઘરમાં કશું કામ થતું નથી. પછી ઘરનાં બધાં માણસોને પૂછયું કે આ વહેલો નથી ઊઠતો એ તમને બધાને નથી ગમતું ? ત્યારે...Read More
Q. બાળકો જ્યારે ભૂલ કરે ત્યારે તેમની સાથે કેવી રીતે વાત કરવી?
A. પ્રશ્નકર્તા : ટકોર કરવી પડેને, જો એની ભૂલ થતી હોય તો ? દાદાશ્રી : તે આપણે એમને એમ પૂછવું કે તમે આ બધું કરો છો એ તમને ઠીક લાગે છે, તમે વિચારીને કર્યું આ...Read More
Q. સામા થનાર બાળકો સાથે કેવી રીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા: છોકરાઓની સામાવડિયા વર્તણૂંક સાથે કેવો વ્યવહાર કરવો? મા-બાપ માટે કંઈક સલાહ આપો. દાદાશ્રી: એક બાપ કહે છે, 'આ છોકરા બધા મારી સામા થઈ જાય છે.'...Read More
Q. બાળકને કેવી રીતે શિસ્ત અને સારી વર્તણૂક સાથે ઉછેરવા?
A. આપણે માંસાહાર ના કરીએ, દારૂ ના પીએ અને ઘરમાં સ્ત્રી જોડે અથડામણ ના કરીએ. એટલે છોકરાઓ જુએ કે પપ્પા બહુ સારા છે. પેલાના પપ્પા-મમ્મી લડતાં હતાં. મારાં...Read More
Q. બાળકોને ચોરી કરતાં કેવી રીતે અટકાવવા?
A. પ્રશ્નકર્તા : બરાબર છે, પણ ભલે આપણે કંઈ કહેવું ન હોય, પણ આપણે એમ માનીએ કે આપણો દીકરો હોય, ચોરી કરતો હોય, તો ચોરી કરવા દેવી ? દાદાશ્રી : દેખાવમાં વિરોધ,...Read More
A. આ કચકચ કર્યા કરતાં મૌન કેળવવું સારું, ના બોલવું સારું. સુધારવા કરતાં બગડે, માટે અક્ષરે ય ન કહેવાય. બગડે એની જવાબદારી આપણી. સમજાય એવી વાત છે આ ? આપણે કહીએ...Read More
Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે બતાવી દેવું કે 'ભઈ, અમે ના હોઈએ કે તે દહાડે તારું, ત્યાં...Read More
Q. મા-બાપ છોકરાંના સંબંધને કેવી રીતે મજબૂત કરવા?
A. પ્રશ્નકર્તા: હું મા-બાપ ની સેવા કરવા ઈચ્છું છું અને મા-બાપ સાથે સંબંધ મજબૂત કરવા માંગું છું પરંતુ, જ્યારે હું તેમની ભૂલો જોઉં છું ત્યારે હું માંડી વાળું...Read More
subscribe your email for our latest news and events