Related Questions

સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?

ઉત્તમ પેરેન્ટિંગ કળા એટલે માતા-પિતાએ એક થઈને રેહવું

બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે – એક ખૂબ કડક અને એક નરમ. જે વ્યક્તિ કડક છે તે એવું અનુભવે છે કે બીજી વ્યક્તિ સાથ આપતી નથી અને જે વ્યક્તિ નરમ છે તેને એવું લાગે છે સામી વ્યક્તિ ખૂબ જ કડક અને નિર્દય છે. આના કારણે જ માતાપિતા વચ્ચે મતભેદ અને ઝઘડાઓ થાય છે. બાળકોની સામે ઝઘડતા અથવા દલીલો કરતા માતા પિતાએ સમજી લેવું જોઇએ કે આની તેઓના બાળક ઉપર ખરાબ અસર પડવાની છે.

અહીં માતા પિતાએ ‘એક’ થઈને કઈ રીતે રહેવું તેની કેટલીક સમજ આપેલ છે, જે માતા પિતા તરીકેની સારી કળાઓ વિક્સાવવામાં ખૂબ મદદરૂપ થશે:

  • બાળકના સંતુલિત વિકાસ માટે કડકાઇ અને હૂંફ બન્નેની જરૂર છે. કડક દ્રષ્ટિકોણ ધરાવતા વાલી બાળકને સ્વ્યં શિસ્ત શીખવે છે, અને બીજી તરફ નરમ દ્રષ્ટિકોણ ધરાવતા વાલી સ્વતંત્રતાનું મૂલ્ય સમજાવે છે. જેવી રીતે ભોજનમાં તીખું અને મીઠું બન્નેની આવશ્યક્તા હોય છે, તેવી રીતે સંતુલિત વિકાસ માટે કડકાઇ અને હૂંફ બન્નેની જરૂર છે. જ્યારે બાળક પડકાર જનક પરિસ્થિતિનો સામનો કરશે ત્યારે બાળકમાં કોઇ પણ પરિસ્થિમાં એડજસ્ટ થઈ શકવાની ક્ષમતામાં વધારો થશે.
  • તમારા બાળકની સામે તમારા જીવનસાથી વિશેનું કશું ખરાબ ન બોલો. સારા વાલી માટેનો આ એક મહત્વનો ગુણ છે કે બાળકોની સામે ‘એક’ થઈને રહેવાથી બાળકનો સારો ઉછેર થઈ શકે છે. જ્યારે ભૂલથી તમારાથી કશું બોલાઇ ગયું હોય ત્યારે જો તમારું બાળક તેની નકલ કરે તો તેના પર કશું ધ્યાન ન આપો. કશી પ્રતિક્રિયા ન આપો, જેથી તે આવું બીજી વખત કરવા ન પ્રેરાય.
  • તમે અને તમારા જીવન સાથી એક બીજાના મિત્ર છો, પ્રતિસ્પર્ધી નહિ. અંદરોઅંદરની સમજણ ગોઠવી એક બીજાને મદદ કરો; જ્યારે એક વ્યક્તિ નર્વસ હોય ત્યારે બાળકને સંભાળવામાં બીજી વ્યક્તિએ મદદ કરવી જોઇએ.
  • માતા પિતામાંથી એક જ વ્યક્તિને એક સમયે પરિસ્થિતિ સંભાળવા દો. જ્યારે કોઇ એક પહેલા કશો નિર્ણય આપી દે છે, ત્યારે બીજી વ્યક્તિએ તેમાંથી કશું પોઝિટિવ શોધી તેને જ વળગી રહેવું જોઇએ. દાખલા તરીકે, જો માતા પિતામાંથી કોઇ એક કડક છે, તો બીજાએ વિચારવું જોઇએ કે કડકાઇથી બાળક બહાદૂર બનશે. તમારે અંદરોઅંદર પહેલા અથવા પછી ચર્ચા કરી લેવી જોઇએ.
  • કામગીરીની વહેંચણી કરી લેવી જેમ કે, મમ્મીએ ખાવાપીવાની બાબતોમાં બોલવાનું અને પપ્પાએ ભણવાની બાબતોમાં. માતા પિતા બન્નેમાં એકતા લાગવી જોઇએ. તમારા બાળકની સામે એક થઈને રહેવું એ કદાચ બાળકોને ઉછેરવા માટેની એક સરળ કળા છે. નહિ તો, બાળક આ મતભેદનો ફાયદો ઉઠાવશે, અને તમે જોશો કે માતાપિતા તે બાબત પર દલીલો કર્યા કરશે. બાળકને જે ગમે તે કરવા માટેની સ્વતંત્રતા મળી જશે. તેથી, આનાથી દરેકને નુકસાન થવાનું છે. બાળકો તેઓના માતા પિતાને ઝઘડતા જોશે, તો તેઓમાં માતા પિતામાંથી કોઇ એક માટે ખરાબ અભિપ્રાય બંધાય જશે.
  • જ્યારે માતા પિતામાંથી કોઇ એક ઠપકો આપતું હોય અને બીજી વ્યક્તિ બાળકને સાથ આપતો હોય, તો પછી બાળકની સુધરવાની કોઇ આશા નથી. માતા પિતામાંથી જે બાળકના પક્ષમાં હશે તેના માટે બાળકને આદર રહેશે અને માતા પિતામાંથી જે શિસ્તના આગ્રહી હશે તેના તરફ બાળકને વેરભાવ રહેશે. અને આવું બાળક મોટું થશે એટલે માતા પિતાનું સામું થશે.

માતા પિતા અને બાળક વચ્ચે પ્રત્યેક તબક્કે એડજસ્ટમેન્‍ટ હોય છે. જો આપણે સમજણ પૂર્વક એડજસ્ટ થઈશું, તો શાંતિ અને સંવાદિતા રહેશે. ચાલો,પરમ પૂજ્ય દાદાશ્રી દ્વારા સમજાવેલ એડજ્સ્ટ થવાની કળા વિશે જાણીએ:

માતા પિતા બન્નેના અભિપ્રાયો બાળકની સામે સરખા જ રહેવા જોઇએ. બાળકોની સામે ઝઘડવું નહિ.

પ્રશ્નકર્તા : પતિ અને પત્ની વચ્ચેના ઝઘડાઓ તેઓના બાળકોને કઈ રીતે અસર કરે છે?

દાદાશ્રી : અરે ! ખૂબ જ ખરાબ અસર! તેઓ મનમાં નોંધ કરી લે છે. જ્યારે તેઓ આવો ઝઘડો ઘરમાં જૂએ છે, ત્યારે તેઓ મનમાં નોંધ કરે છે. પછી જ્યારે તેઓ મોટા થાય છે, ત્યારે તેઓ બદલો લે છે! આપણો ઉકેલ છે સારા, સંસ્કારી બાળકનો ઉછેર કરવો. એવી વસ્તુઓ ન કરો જે બાળકોને પસંદ નથી. તમારા બાળકોને પૂછો, ”જ્યારે અમે બન્ને ઝઘડતા હોઇએ તે તને ગમે છે?” તેઓ કહેશે, ” અમને તે નથી ગમતું” પછી તમારે આનો અંત લાવવો જોઇએ. જો બાળકો સારા માતા પિતાને જોશે તો તેઓ પણ ખૂબ સારા બનશે. તેઓને તે બાબતો શીખવવાની જરૂર નહિ રહે. તેઓ સારા સંસ્કારોને જોઇને સારા સંસ્કાર શીખશે. તમારું વર્તન એવું હોવું જોઇએ કે જેથી તમારા બાળકોને તમારા વિશે કશું ખરાબ ન દેખાય. તમારા બાળકોમાં સારા સંસ્કારો હોવા જોઇએ. તેથી તમારા જીવનમાં થોડો પણ સુધારો લાવો; એવું કંઇક કરો કે જેથી તમારા બાળકો સુધરે. જો તમે દ્રઢ નિશ્ચય કરશો, તો પછી શક્ય બનશે. જો તમે દ્રઢ નિશ્ચય કરો છો તો પછી કંઈ પણ શક્ય છે.

નિયમ એવો બનાવો: ઘરમાં ઝઘડાઓ ન થાય એ સારા પેરેન્ટીંગ માટેની ચાવી

જો તમે ઝઘડો કરવા ઇચ્છો છો તો બહાર જાઓ અને કરી આવો. આવો તમે નિયમ બનાવો. જે દિવસે તમને બન્નેને ઝઘડવાનું મન થાય ત્યારે બગીચામાં જાઓ અને જેટલું મન થાય તેટલું ઝઘડી લો, પછી ઘરે આવો.

પ્રશ્નકર્તા: પરંતુ ઝઘડાઓ થવાનું કારણ શું હોય છે? એવું એટલા માટે કે અભિપ્રાયોમાં ભિન્નતા હોય છે?

દાદાશ્રી : તે અજ્ઞાનતાના કારણે છે. સાંસારિક જીવનનો પાયો જ એ છે કે બે વ્યક્તિત્વ ક્યારેય એક જેવા ન હોય શકે. તેનો એકમાત્ર ઉકેલ છે ‘એડજસ્ટ એવરીવ્હેર’ નું જ્ઞાન પ્રાપ્ત કરવું. કોઇ તમને મારે તો પણ તમારે એડજસ્ટ થઈ જવું જોઇએ.

સૌથી મોટી પીડા શું છે? એડજસ્ટ થવાની અસક્ષમતા એ છે. આવી દરેક પરિસ્થિતિમાં એડજસ્ટ થવામાં શું વાંધો છે?

પ્રશ્નકર્તા : તેના માટે પુરૂષાર્થ જરૂરી છે.

દાદાશ્રી : કોઇ પુરૂષાર્થની જરૂર નથી. તેના માટે તમારે મારી આજ્ઞા ‘દાદાએ મને બધે એડજસ્ટ થવાનું કહ્યું છે.’ તે પાળવી જોઇએ. તેથી એડજસ્ટ થઈ શકાશે. જો તમારા પત્ની કહે, “તમે ચોર છો.” તો પછી તેને કહેવું, “ તમે સાચા છો.” પછી, થોડીવાર રહીને કહેશે, “ ના તમે કંઇ ચોરી નથી કરી,” ત્યારે ફરી તેને કહેવું, “ તમે સાચા છો.”

જો તમારે ટૂંક સમયમાં આ કાર્ય પૂર્ણ કરવું હોય તો, તમારે શું કરવું જોઇએ? ઝડપથી એડજસ્ટ થવાની પ્રતિજ્ઞા કરો. નહિ તો, આમા તમે તણાયા નહિ કરો? જો તમારો તમારી પત્ની સાથે ઝઘડો થાય છે, તો તમે રાતે સૂઇ શકો છો? અને પછીની સવારે, તમને સારો નાસ્તો પણ નહી મળે.

જો ખૂબ લપસણો કાદવ હશે અને તમે પડો છો, તો પછી વાંક તમારો છે; લપસણો કાદવ તો માત્ર નિમિત્ત છે. તમારે લપસી જવાશે તે નિમિત્તને ઓળખવું જોઇએ અને વધુ સાવચેતી પૂર્ણ વર્તવું જોઇએ. કાદવ લપસણો જ રહેશે અને ખરેખર તેનો સ્વભાવ્જ લપસણો છે.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on