બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે – એક ખૂબ કડક અને એક નરમ. જે વ્યક્તિ કડક છે તે એવું અનુભવે છે કે બીજી વ્યક્તિ સાથ આપતી નથી અને જે વ્યક્તિ નરમ છે તેને એવું લાગે છે સામી વ્યક્તિ ખૂબ જ કડક અને નિર્દય છે. આના કારણે જ માતાપિતા વચ્ચે મતભેદ અને ઝઘડાઓ થાય છે. બાળકોની સામે ઝઘડતા અથવા દલીલો કરતા માતા પિતાએ સમજી લેવું જોઇએ કે આની તેઓના બાળક ઉપર ખરાબ અસર પડવાની છે.
અહીં માતા પિતાએ ‘એક’ થઈને કઈ રીતે રહેવું તેની કેટલીક સમજ આપેલ છે, જે માતા પિતા તરીકેની સારી કળાઓ વિક્સાવવામાં ખૂબ મદદરૂપ થશે:
માતા પિતા અને બાળક વચ્ચે પ્રત્યેક તબક્કે એડજસ્ટમેન્ટ હોય છે. જો આપણે સમજણ પૂર્વક એડજસ્ટ થઈશું, તો શાંતિ અને સંવાદિતા રહેશે. ચાલો,પરમ પૂજ્ય દાદાશ્રી દ્વારા સમજાવેલ એડજ્સ્ટ થવાની કળા વિશે જાણીએ:
પ્રશ્નકર્તા: પતિ-પત્નીના ઝઘડાથી છોકરાં પર શું અસર થાય?
દાદાશ્રી: ઓહોહો ! બહુ ખરાબ અસર થાય. મનમાં નોંધ કરે આ, નોટેડ ઈટસ્ કન્ટેન્ટસ્ (તે બાબતની નોંધ લીધી). ઘરમાં આવું તોફાન જુએ પછી મનમાં રાખી મેલે. પછી એ મોટો થાય એટલે આપે! છોકરાં સારા થઈ જાય, સંસ્કાર પડે, એ આપણો રસ્તો. છોકરાંને જે ના ગમતું હોય એ કાર્ય નહીં કરવાનું. છોકરાંને પૂછવું કે ‘અમે બે ઝઘડીએ છીએ તો તમને ગમે?’ ત્યારે કહે, ‘ના ગમે.’ તો આપણે બંધ કરી દેવું. છોકરાં મા-બાપને સારા દેખે ને, તો બહુ સારા થઈ જાય. એને શીખવાડવું ના પડે. સંસ્કાર જોઈને સંસ્કાર શીખી જાય છે. છોકરાં કંઈ પણ આપણે ત્યાં ખરાબ દેખે નહીં એવું વર્તન હોવું જોઈએ. સંસ્કારી છોકરા હોવા જોઈએ. એટલે જીવન કંઈક તો સુધારો, આપણા છોકરા સુધરે એવું તો કંઈક કરો. નિશ્ચય કરો તો થઈ જશે. તમે નિશ્ચય કરો કે મારે આમ કરવું છે, તો બધું થાય એવું છે.
ક્લેશ તમારે કરવો હોય તો બહાર જઈને કરી આવવો. ઘરમાં જો કકળાટ કરવો હોય તો તે દહાડે બગીચામાં જઈને ખૂબ લડીને ઘેર આવવું. પણ ઘરમાં ‘આપણી રૂમમાં લડવું નહીં.’ એવો કાયદો કરવો.
પ્રશ્નકર્તા: પણ કંકાસ ઊભા થવાનું કારણ શું? સ્વભાવ ના મળે તેથી?
દાદાશ્રી: અજ્ઞાનતા છે તેથી. સંસાર તેનું નામ કે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં. આ ‘જ્ઞાન’ મળે તેનો એક જ રસ્તો છે, ‘એડજસ્ટ એવરીવ્હેર’! કોઈ તને મારે તોય તારે તેને ‘એડજસ્ટ’ થઈ જવાનું.
મોટામાં મોટું દુઃખ શેનું છે? ‘ડિસ્એડજસ્ટમેન્ટ’નું, ત્યાં ‘એડજસ્ટ એવરીવ્હેર’નું કરે તો શું વાંધો છે.
પ્રશ્નકર્તા: એમાં તો પુરુષાર્થ જોઈએ.
દાદાશ્રી: કશો પુરુષાર્થ નહીં. મારી આજ્ઞા પાળવાની કે ‘દાદા’ એ કહ્યું છે કે ‘એડજસ્ટ એવરીવ્હેર.’ તે એડજસ્ટ થયા કરે. બીબી કહે કે, ‘તમે ચોર છો.’ તો કહેવું કે, ‘યુ આર કરેક્ટ.’ અને થોડીવાર પછી એ કહે કે, ‘ના, તમે ચોરી નથી કરી.’ તોય ‘યુ આર કરેક્ટ.’ કહીએ.
એવું છે બ્રહ્યાનો એક દિવસ, એટલી આપણી આખી જિંદગી! બ્રહ્માનો એક દહાડો જીવવું ને આ શી ધાંધલ? વખતે આપણને બ્રહ્માના સો વર્ષ જીવવાનું હોય તો તો આપણે જાણીએ કે ઠીક છે, એડજસ્ટ શા માટે થઇએ ? ‘દાવો માંડ’ કહીએ. પણ આ તો જલદી પતાવવું હોય તેને શું કરવું પડે? ‘એડજસ્ટ’ થઈએ કે દાવો માંડો કહીએ? પણ આ તો એક દહાડો જ છે, આ તો જલદી પતાવવાનું છે. જે કામ જલદી પતાવવું હોય તેને શું કરવું પડે? ‘એડજસ્ટ’ થઈને ટૂંકાવી દેવું, નહીં તો લંબાયા કરે કે ના લંબાયા કરે?
બીબી જોડે લઢે તો રાત્રે ઊંઘ આવે ખરી? અને સવારે નાસ્તોય સારો ના મળે.
ચીકણી માટી આવે ને તમે લપસ્યા એમાં ભૂલ તમારી છે. ચીકણી માટી તો નિમિત્ત છે. તમારે નિમિત્તને સમજીને મહીં આંગળા ખોસી દેવા પડે. ચીકણી માટી તો હોય જ, ને લપસાવવું એ તો એનો સ્વભાવ જ છે.
Q. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
A. તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી વાલી તરીકેની ફરજ શરૂ થાય છે. તમારા માતાપિતા તરીકેની ભૂમિકામાં... Read More
Q. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
A. બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે: એના માટે તો દવા બીજી... Read More
Q. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
A. ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના બાળકો તેઓને સાંભળતા નથી. જ્યારે ફોન ઉપર સામી વ્યક્તિ... Read More
Q. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
A. હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઇ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના... Read More
Q. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
A. જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કશું ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો તેને મિત્રતા પૂર્વક પૂછવું કે,... Read More
A. બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું અથવા બાળકને કઈ રીતે ઉછેરવું એ એક પેરેન્ટિંગ કળા છે. બાળકને... Read More
Q. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. શું તમે તમારા બાળકના ક્રોધી સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જીદી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળકને કઈ... Read More
Q. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. જ્યારે તમારી અને તમારા બાળકની વચ્ચે જાહેરમાં ઝઘડા થાય ત્યારે શું કરવું જોઇએ? તમારું બાળક રડે ત્યારે... Read More
Q. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
A. દિવસના અંતે તમે થાક અનુભવશો કારણ કે ગમે તેટલી કચકચ કરવાથી કે ચીડાવાથી કશું સુધરવાનું નથી. તેથી,... Read More
Q. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
A. તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો, તે જાણીએ. નીચેની પરિસ્થિતિ... Read More
Q. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
A. આજના જગતમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય અંગ છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?... Read More
Q. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
A. બે પેઢી વચ્ચેના ગાળાને ઓછો કરવા માટે માતા પિતાએ પહેલ અવશ્ય કરવી જોઇએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય,... Read More
Q. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
A. સારા માતા પિતાની શું ભૂમિકા હોય? તેઓએ બાળકો પંદર વર્ષના થાય ત્યારે એ રીતે વાળવા જોઇએ કે જેથી બધા... Read More
Q. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
A. માતા પિતા અને બાળકોના સંબંધો બન્ને તરફથી યોગ્ય હોવા જોઇએ. માતા પિતા અને બાળક બન્નેએ સંબંધો મજબૂત... Read More
Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે... Read More
subscribe your email for our latest news and events