સારા માતા પિતાની શું ભૂમિકા હોય? તેઓએ બાળકો પંદર વર્ષના થાય ત્યારે એ રીતે વાળવા જોઇએ કે જેથી બધા નૈતિક ગુણોની તેમનામાં સ્થાપના થઈ શકે.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, ‘દરેક યુવાન વ્યક્તિ પાસે એવી ગૂઢ શક્તિઓ રહેલી છે જે સમગ્ર વિશ્વને સહાય કરી શકે. તેને માત્ર સાચા માર્ગદર્શન અને સહકારની જ જરૂર હોય છે.’
ચાલો સૌ પ્રથમ તો આજની પેઢીના સ્વભાવને સમજવા માટે પરમ પૂજ્ય દાદા ભગવાનના શબ્દોમાં જોઇએ તો તેમના સારા ગુણો અને નબળાઇઓને ઓળખીયે અને પછી તેઓના નૈતિક વિકાસ માટે તેમનામાં સારા ગુણોની સ્થાપના કરીએ.
અ) આજના યુવાનો હ્દયના ચોખ્ખા છે.
પ્રશ્નકર્તા: આજનો યુવાનવર્ગ કયા રાહ પર જઈ રહ્યો છે? એનું ભવિષ્ય આપશ્રીની દ્રષ્ટિએ શું છે? સાચો રાહ શું છે?
દાદાશ્રી: આજનો યુવાનવર્ગ અત્યારે કંઈ પણ દોરવણી નહીં હોવાથી સફોકેશન (મૂંઝવણ)માં છે. પણ આવો યુવાવર્ગ કોઈ કાળે હતો નહીં એવો છે, કે જે યુવાવર્ગ ચોખ્ખો છે, પ્યૉર છે. એને માર્ગદર્શન આપનારની જરૂર છે. જો માર્ગદર્શન આપે તો આ હિન્દુસ્તાન ઓલરાઈટ (બરાબર) થઈ જાય અને માર્ગદર્શન આપનારો મળી આવશે હવે થોડા વખતમાં.
બ) આજની પેઢી ખૂબ હેલ્ધી માઇન્ડ ધરાવે છે
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે:
પ્રશ્નકર્તા: હેલ્ધી માઈન્ડ એટલે શું?
દાદાશ્રી: હેલ્ધી માઈન્ડ એટલે મારા-તારાની બહુ ના પડેલી હોય અને અમે તો નાના હતા ને, ત્યારે બહાર કોઈકનું કશું પડેલું હોય, તે લઈ લેવાની ઈચ્છા. કોઈકને ત્યાં જમવા ગયા તો થોડું વધારે ખઈએ, ઘેર ખાતા હોય તેના કરતા.
આ તો મારી શોધખોળ છે! હેલ્ધી માઈન્ડની કોઈ વખત જનરેશન પાકી હોય, તો તે આ કાળમાં પાકી છે. હેલ્ધી થતી થતી આવી. અમારા વખતથી હેલ્ધી થતી થતી આવી લાગે છે, મમતા જ નહીં. આ મારું કેવું ખરાબ દેખાય એવું કશું નહીં. પાછું લુંગી પહેરીનેય ફર્યા કરે. એટલે છત નથી એટલું સારું છે. આ લોકોની મહીં છત આવતા વાર નહીં લાગે, સંસ્કાર આવતા વાર નહીં લાગે.
આ કુદરતનો ઉપકાર છે કે આ જનરેશન બિલકુલ હેલ્ધી માઈન્ડની પાકી છે! કોઈ વખત પાકે નહીં અને પાકે ત્યારે વર્લ્ડનું કલ્યાણ કરે! આને માર્ગદર્શન આપનાર જોઈએ.
શા માટે હું એવું કહું છું કે તેઓ હેલ્ધી માઇન્ડ ધરાવે છે, તે એટલા માટે કે તેઓને જે શીખવવામાં આવે છે તે તેઓ તરત જ ગ્રહણ કરી લે છે!
ક) જે નૈતિક ગુણો ધરાવતા હોય તેને ખરેખર સુધારવામાં વ્યક્તિ અસમર્થ છે.
પ્રશ્નકર્તા: આપ કહો છો કે અત્યારની જનરેશન હેલ્ધી માઈન્ડની છે અને બીજી બાજુ જુઓ તો બધા વ્યસની છે ને કેટલું બધું છે?
દાદાશ્રી: ભલે એ વ્યસની દેખાય, પણ એમને બિચારાને રસ્તો ના મળે ને તો શું થાય? એમનું માઈન્ડ હેલ્ધી (મન તંદુરસ્ત) છે.
પ્રશ્નકર્તા: મા-બાપનો છોકરાંઓ તિરસ્કાર કરે, મા-બાપને ગાંઠે નહીં એવા બધા થયા છે ને!
દાદાશ્રી: એ તિરસ્કાર-બિરસ્કાર કરે છે, તે બધું એને માર્ગ મળ્યો નથી એટલે. માર્ગ મળે તો આ બહુ સારા છોકરાંઓ છે!
પ્રશ્નકર્તા: આ છોકરાંઓ જ બહુ મોટી સમસ્યા છે!
દાદાશ્રી: સમસ્યા જબરજસ્ત મોટી છે પણ તે સમસ્યા સુધરે એવી છે. આ કાળમાં જ આવા છોકરાં છે કે જેનામાં બિલકુલ બરકત જ નથી અને બરકત ના હોય તો જ સુધરે. બરકતવાળા સુધરે નહીં. બરકતવાળા તો પોતાના સ્વાર્થમાં એક્કા હોય, જોડે તિરસ્કાર હોય, બીજું હોય. બધું સ્વાર્થમાં એક્કા હોય. તેથી આખું હિન્દુસ્તાન બગડી ગયું ને! એના કરતા બરકત વગરનો માલ સારો. માનની પડી નથી, કશી કોઈ જાતની પડેલી નથી.
અ) આધ્યાત્મિકતા તરફ વાળો
જે બાળકો નાની ઉંમરથી જ આધ્યાત્મિકતા તરફ વળેલા હોય તે ખરેખર આગળ જતાં રત્ન જ સાબિત થાય છે. એવું ત્યારે જ બને જ્યારે માતા પિતા આધ્યાત્મિક્તા તરફ વળેલા હોય, પછી બાળકો પણ તેનું જ અનુસરણ કરે. માતા પિતા પૈસા કમાવા પાછળ, સામાજિક બંધનોમાં, પાર્ટીઓમાં પડેલા ન હોવા જોઇએ, તેઓએ બાળકો સાથે સમય પસાર કરવો જોઇએ.
તેઓને સમર કેમ્પ, બાળકોની શિબિરો વગેરે જેવા આધ્યાત્મિક સત્સંગોમાં મોકલો.
બ) તેઓને સારી સંગતિ આપો
બાળકોના સારી વ્યક્તિઓનો સંગ અથવા સારું મિત્ર વર્તુળ આપવાનો પ્રયત્ન કરો જેથી તેઓ ઉપર તેનો અત્યંત સારો પ્રભાવ પડે.
ક) ઘરમાં દરરોજ પ્રાર્થના કરવાથી તેઓમાં નૈતિકતાનું સિંચન થાય છે
શુધ્ધતા, અંદરની અને બહારની, આસપાસના વાતાવરણના પ્રભાવથી આવે છે. દરરોજ સવારે સ્નાન કર્યા પછી, તમારા નાના બાળકોને આવી પ્રાર્થના કરવાનું શીખવો, ‘મને અને આખા જગતને સદબુધ્ધિ આપો અને મુક્તિ અપાવો.’ જો તેઓ આવું કરે છે, તો પછી તેનો અર્થ એવો છે કે તમે તેઓમાં સારા સંસ્કારોનું સિંચન કરવામાં સફળ થયા છો અને તમે માતા પિતા તરીકે તમારા કર્મોની ફરજમાંથી મુક્ત થાવ છો.
ડ) આરતી વાતાવરણને શુધ્ધ કરે છે
આરતી (ભગવાન પાસે દીવો કરી સાથોસાથ પ્રાર્થના ગાવી) ભગવાનની ભક્તિ માટેનું તે ખૂબ જ અગત્યનું માધ્યમ છે. તે ભગવાન તરફ આદર અને પ્રેમ દર્શાવવાનો રસ્તો છે અને તેઓ પ્રસન્ન પણ થાય છે. વ્યક્તિ જેની ભક્તિ કરે છે તેના જેવી તે વ્યક્તિ બની જાય છે. દરરોજ આરતી કરવાથી આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે. આ રોકડું સાધન છે અને આપણે તરત જ તેના પરિણામ જોઇ શકીએ છીએ.
આરતી કરવાથી, ઘણા બાળકો એટલા બધા સુધરી ગયા કે તેઓએ મૂવી જોવાનું પણ બંધ કરી દીધું. મૂવી જોવા જવું એ તેઓ માટે આનંદનો પ્રાથમિક સ્ત્રોત ન રહ્યો. પહેલા તો, તેઓને સમસ્યાઓ ઊભી થતી હતી, પરંતુ પછીથી, તેઓને સમજમાં આવ્યું કે પ્રાર્થના કરવાથી કેટલું સરસ અનુભવાય છે અને તેઓ હકારાત્મક પ્રતિભાવ આપવા લાગ્યા.
ઇ) તમારે દરરોજ તમારા માતાપિતાને પ્રણામ કરવા જોઇએ.
જે વ્યક્તિ તેમના માતા પિતાની સેવા નથી કરતા તે જીવનમાં ક્યારેય સુખી થતા નથી. માતા પિતાની સેવા કરવાથી શું સીધો ફાયદો થાય છે? એવું કહેવાય છે કે વ્યક્તિને સમગ્ર જીવનમાં કોઇ દુ:ખ-પીડા ન આવે, માતા પિતાની સેવા કરવાથી, કોઇ જ સમસ્યાઓ ઊભી થતી નથી!
માતા પિતાની સેવા કરવી એ ચોક્કસપણે ખૂબ જ મૂલ્યવાન વાત છે. કારણ કે જો તમે તેઓની સેવા કરતા નથી, તો તમે કોની સેવા મેળવશો? તમે મૂલ્યવાન સેવા કરી રહ્યા છો તે વાત તમારી પછીની પેઢી કઈ રીતે શીખશે? બાળકો દરેક વસ્તુનું નિરીક્ષણ કરતા હોય છે. તેઓ જોતા હોય છે કે મારા પિતાએ ક્યારેય તેમના પિતાની સેવા કરી નથી! પછી ખરેખર તો તેનામાં આવા સંસ્કાર આવશે જ નહિ, ખરું ને! જ્યારે તમે આ ઉંમરે પણ તમારા માતા પિતાને પ્રણામ કરો છો, તો શું તે તમારા બાળકોને પણ આવું જ કરવા પ્રોત્સાહન નહિ મળે? તમારા બાળકોમાં સંસ્કારો કેળવવા માટેનો આ સૌથી સરળ રસ્તો છે.
૧) ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે.
૨) આપણો છોકરો મોટો થયો હોય ને સામો થઈ જતો હોય તો જાણવું કે આ આપણું 'થર્મોમિટર' છે. આ તમારે ધર્મ કેટલો પરિણામ પામ્યો છે, એના માટે 'થર્મોમિટર' ક્યાંથી લાવવું ? ઘરમાં ને ઘરમાં 'થર્મોમિટર' મળી આવે તો પછી બહાર વેચાતું લેવા ના જવું પડે !!!
૩) આ છોકરાંઓ અરીસો છે. છોકરાંઓ ઉપરથી ખબર પડે કે આપણામાં કેટલી ભૂલ છે !
૪) વ્યક્તિએ એવી રીતે જીવન જીવવું જોઈએ કે સવારમાં બધાએ નક્કી કરવું જોઈએ કે 'ભઈ, આજે કોઈની સામસામે અથડામણ ન આવે.
૫) જે સંસ્કારો સારા છે, એ વખતે ઉંઘીશું તો ચાલશે, પણ જ્યાં ખરાબ હોય ત્યાં જાગૃત રહેવું જોઈએ.
બાળકો અને યુવાનો માટે કિડ્સ વેબસાઇટ, મેગેઝીન અને કેમ્પનું આયોજન થતું હોય છે જે તેઓમાં સારા સંસ્કારો અને આધ્યાત્મિક સમજણનું સિંચન કરે છે. કિડ્સ વેબસાઇટમાં ઘણી બધી રસપ્રદ વાર્તાઓ છે.
Q. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
A. તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી વાલી તરીકેની ફરજ શરૂ થાય છે. તમારા માતાપિતા તરીકેની ભૂમિકામાં... Read More
Q. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
A. બાળકો સાથે વાત કરવા માટેના દાદાશ્રીએ નીચેના કેટલાક મહત્વના મુદાઓ આપેલ છે: એના માટે તો દવા બીજી... Read More
Q. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
A. ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના બાળકો તેઓને સાંભળતા નથી. જ્યારે ફોન ઉપર સામી વ્યક્તિ... Read More
Q. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
A. હાલના સમયમાં બાળકો વિકસિત જગતથી અને આધુનિક ખોરાકથી અંજાઇ રહ્યા છે. તેઓ કઢી અને ખીચડીને બદલે વેફરના... Read More
Q. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
A. જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કશું ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો તેને મિત્રતા પૂર્વક પૂછવું કે,... Read More
A. બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું અથવા બાળકને કઈ રીતે ઉછેરવું એ એક પેરેન્ટિંગ કળા છે. બાળકને... Read More
Q. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. શું તમે તમારા બાળકના ક્રોધી સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જીદી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળકને કઈ... Read More
Q. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
A. જ્યારે તમારી અને તમારા બાળકની વચ્ચે જાહેરમાં ઝઘડા થાય ત્યારે શું કરવું જોઇએ? તમારું બાળક રડે ત્યારે... Read More
Q. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
A. બે મન ક્યારેય પણ એકમત ન થઈ શકે. તેથી, માતા પિતા વચ્ચે એવો તફાવત રહે છે કે – એક ખૂબ કડક અને એક નરમ.... Read More
Q. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
A. દિવસના અંતે તમે થાક અનુભવશો કારણ કે ગમે તેટલી કચકચ કરવાથી કે ચીડાવાથી કશું સુધરવાનું નથી. તેથી,... Read More
Q. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
A. તમારા બાળકોને ખરાબ આદતોમાંથી કઈ રીતે કાઢવા તે શોધી રહ્યા છો? ચાલો, તે જાણીએ. નીચેની પરિસ્થિતિ... Read More
Q. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
A. આજના જગતમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય અંગ છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?... Read More
Q. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
A. બે પેઢી વચ્ચેના ગાળાને ઓછો કરવા માટે માતા પિતાએ પહેલ અવશ્ય કરવી જોઇએ. જ્યારે બાળક સોળ વર્ષનું થાય,... Read More
Q. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
A. માતા પિતા અને બાળકોના સંબંધો બન્ને તરફથી યોગ્ય હોવા જોઇએ. માતા પિતા અને બાળક બન્નેએ સંબંધો મજબૂત... Read More
Q. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
A. એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે... Read More
subscribe your email for our latest news and events