• question-circle
  • quote-line-wt

બ્રહ્મચર્ય શું છે? બ્રહ્મચર્ય પાલન અંગેની માર્ગદર્શિકા

બ્રહ્મચર્ય એ શું છે? શું વિકારી વૃત્તિઓને કાબૂમાં કર્યા વિના બ્રહ્મચર્ય પાલન કરવું શક્ય છે?

હા!

બ્રહ્મચર્ય એટલે તમે વિષયમાં મન, વાણી કે શરીર દ્વારા કોઈ પણ રીતે ભાગ નથી લેતા કે તેને પ્રોત્સાહિત નથી કરતા. તમે પરણેલા છો કે નહીં તે મહત્ત્વનું નથી. જે લોકોને એ સમજવું અને શીખવું છે કે બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું, તેમના માટે જ્ઞાની પુરુષની આ અદ્વિતીય નવી દૃષ્ટિ, અનન્ય અને ગેરંટીવાળી (ખાતરીબંધ) ચાવી છે.

  • બ્રહ્મચર્ય પાળવા માટે અત્યંત આંતરિક ભાવના હોવી જોઈએ અને ભગવાન પાસે મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળવાની શક્તિ માંગવી જોઈએ.
  • મનને કાબૂ કરવાને બદલે, તમારા મનને વિષયી ઈચ્છાઓમાં ફસાવતા કારણો શોધી કાઢો અને તરત જ તેની લિંક તોડી નાખો.
  • બ્રહ્મચર્યના ફાયદાઓ અને વિષયના ગેરફાયદાનું એનાલિસીસ (વિશ્લેષણ) કરો.
  • પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “વિષયનો સામાવળિયો થયો, ત્યાંથી જ નિર્વિષયી થવા માંડ્યો.” મન-વચન-કાયાથી વિકારી વિચારો, ઈચ્છાઓ અને ચેષ્ટાઓ, એ બધા દોષો જે થયા હોય, એનું પ્રતિક્રમણ કરવું પડે. આ બ્રહ્મચર્ય પાળવા તરફનું પગથિયું છે.
  • પરણેલા લોકો માટે, આપસી સમજણથી બ્રહ્મચર્યવ્રત લેવું અથવા આ યુગમાં વિષયમાં વફાદાર રહેવું તે જ બ્રહ્મચર્ય છે.

ફક્ત દમન કરવાને બદલે, સમજણથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પરમ પૂજ્ય દાદાશ્રીએ, “સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય” પુસ્તકમાં વ્યવહારમાં (પ્રેક્ટિકલ) ઉપયોગમાં આવે તેવી ચાવીઓ આપી છે. તેમણે અણહક્કના વિષયોના પરિણામો, બ્રહ્મચર્ય પાળવાના ફાયદાઓ અને સાથે સાથે રોજબરોજના જીવનમાં બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું તે પણ સમજાવ્યું છે.

નીચેના પ્રશ્નો અને તેના જવાબોના આધારે તમારી સમજણને શુદ્ધ કરો:

બ્રહ્મચર્ય સમજણથી

માત્ર વિષયથી દુર રહેવું તે ખરું બ્રહ્મચર્ય નથી પણ તેની માટે તેને લગતી આખી સમજણ કેળવવી પડે. દાદાના અક્રમ જ્ઞાનથી માત્ર અપરણિત લોકો જ નહી પણ પરણિત લોકો પણ બ્રહ્મચર્ય પાળી શકશે સાચી સમજણથી. સાચી સમજણ માટે વીડિયો નિહાળો.

play
previous
next

Top Questions & Answers

  1. Q. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?

    A. ખરું બ્રહ્મચર્ય એને કહેવાય કે જે તમને મોક્ષ પ્રાપ્તિમાં મદદરૂપ થાય. બ્રહ્મચર્ય કેવી રીતે... Read More

  2. Q. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?

    A. એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય. એનું લશ્કર બધું જ મળી જાય. લશ્કર... Read More

  3. Q. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી?

    A. જેવી આપણી અંદર વિષયની ઈચ્છાઓ અને વૃત્તિઓ ઊભી થાય છે, ત્યારે બહુ ઝડપથી આપણે તેમાંથી બહાર નીકળવાના... Read More

  4. Q. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?

    A. જો તમારે કંઈ પણ વસ્તુ થતી અટકાવવી હોય, જેમ કે, કોઈ વસ્તુની ઈફેક્ટ, તો તેના કારણો શોધવા પડશે. એકવાર... Read More

  5. Q. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.

    A. વિષય-વિકાર ખરેખર શું છે તેનો અભ્યાસ અને પૃથ્થકરણ દ્વારા. વિષય-વિકારમાં આકર્ષણ કરનારા માધ્યમો... Read More

  6. Q. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રહેવું?

    A. કળિયુગમાં એક ફક્ત ગૃહસ્થીને વિકાર કેટલો ઘટે કે એની સ્ત્રી પૂરતો જ. ગૃહસ્થધર્મ છે એટલે એની સ્ત્રી... Read More

  7. Q. સંબંધોમાં થતા ક્લેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઈ શકે?

    A. ઋષિમુનિઓને પછી લઢવાડ-બઢવાડ કશું નહીં, મિત્રાચારી. બાબો-બેબી ઉછેરે, મિત્રાચારીને પેઠ! અને આમને આ... Read More

  8. Q. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?

    A. બ્રહ્મચર્ય પાળવું એ આ કળિયુગમાં દુષ્કર ગણાય છે. છતાં આ સમયમાં, પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે... Read More

  9. Q. લગ્નજીવનમાં થતા અણહક્કના વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?

    A. પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું... Read More

  10. Q. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી

    A. જે ક્ષણે તમારી દૃષ્ટિ કોઈના ઉપર પડે છે, તે જ ક્ષણે આકર્ષણની ચિનગારી પ્રગટે છે, આ ચિનગારી આગળ વધે તે... Read More

  11. Q. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?

    A. બ્રહ્મચર્યની ભાવના જાગૃત થવી, તેમજ તેના માટેનો નિશ્ચય દૃઢ થવો, તે માટેનું પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું... Read More

  12. Q. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?

    A. હસ્તમૈથુન... એ એક એવી ખરાબ આદત કે જેમાંથી કઈ રીતે છૂટી શકાય, એ માટે તમે વિચારણા કરી જ હશે. કદાચ... Read More

Spiritual Quotes

  1. એવું છે, જેને સંસારિક સુખોની જરૂર છે, ભૌતિક સુખોની જેને ઈચ્છા છે, તેણે પૈણવું જોઈએ. બધું જ કરવું જોઈએ અને જેને ભૌતિક સુખો ના જ ગમતાં હોય અને સનાતન સુખ જોઈતું હોય, તેણે નહીં.
  2. વિષયો એ વિષ નથી, વિષયમાં નીડરતા એ વિષ છે.
  3. અનંત અવતારની કમાણી કરે ત્યારે ઊંચું ગોત્ર, ઊંચા કુળમાં જન્મ થાય. પણ પછી લક્ષ્મી ને વિષયની પાછળ અનંત અવતારની કમાણી ખોઈ નાખે!!!
  4. પૈણવું નહીં ને ખોટા ચેનચાળા કરવા, એ તો ભયંકર પાશવતા કહેવાય, નર્કગતિના અધિકારી!
  5. કોઈ ધર્મે વિકારનો સ્વીકાર કર્યો નથી. વિકારનો સ્વીકાર કરે એ વામમાર્ગી કહેવાય. પહેલાના કાળમાં વામમાર્ગી હતા, વિકાર સાથે બ્રહ્મ ખોળવા નીકળેલા.
  6. જો એને એમ સમજાય કે આ ગર્ભમાં હતી તો આવી દેખાતી હતી, જન્મી ત્યારે આવી દેખાતી હતી, નાની બેબી થઈ ત્યારે આવી દેખાતી હતી, પછી આવી દેખાતી હતી, અત્યારે આવી દેખાય છે, પછી આવી દેખાશે, ઘૈડી થશે ત્યારે આવી દેખાશે, પક્ષાઘાત થશે ત્યારે આવી દેખાશે, નનામી કાઢશે ત્યારે આવી દેખાશે, આવી બધી અવસ્થાઓ જેને લક્ષમાં છે, એને વૈરાગ શીખવવાનો ના હોય !
  7. જો તું સંસારી હોઉં તો તારા હક્કનો વિષય ભોગવજે, પણ અણહક્કનો વિષય તો ના જ ભોગવીશ. કારણ કે આનું ફળ ભયંકર છે.
  8. જે સંગમાં આપણે ફસાઈએ એવું હોય એ સંગથી બહુ જ છેટા રહેવું, નહીં તો એક ફેરો ફસાયા કે ફરી ફસાય ફસાય જ થયા કરે.
  9. વિષય એ તો ઉઘાડી પરવશતા છે !
  10. અણહક્કના વિષય ભોગવે, તેને વિષય સંસારમાં રખડાવે છે. અણહક્કના વિષયવાળાને મોક્ષ નથી. હક્કના વિષયવાળાને મોક્ષ છે !
  11. આ કાળના મનુષ્યોનું બ્રહ્મચર્ય પાળવાનું ગજું નથી. આ પૈણેલો શું કરે ? તેથી અમે કહીએ છીએ કે આ કાળમાં જે એક પત્નીવ્રત ધરાવશે તેનો મોક્ષ થશે એવી ‘ગેરેન્ટી’ આપીએ છીએ ! પણ અમારી પાસે આવીને વાતને સમજો.
  12. વિષય માત્ર કાદવ સ્વરૂપ છે. આત્મા એકલો જ જો યાદ રહે તો એ વિષય નથી. બાકી બીજું બધું જે યાદ રહે એ બધા વિષયો છે.
  13. બ્રહ્મચર્ય એટલે શું ? આ પૂરણ થયું એ ગલન ના થાય તે બ્રહ્મચર્ય. આ તો પૂરણ જેને નિયમમાં હોય, તે બ્રહ્મચર્ય પાળી શકે !
  14. એક પત્નીવ્રતનો કાયદો હોય એ ‘લિમિટ’વાળું કહેવાય. એ ઊર્ધ્વગતિમાં લઈ જાય. મોક્ષે જવાની ‘લિમિટ’ કઈ ? ‘એક પત્નીવ્રત.’
  15. વિષયને જે જીતે, તેના પર ત્રણ લોકના નાથ રાજી થાય !
  16. જેની વાણીથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના મનમાં ખરાબ ભાવ ના થાય, તે શીલવાન !
  17. શીલમાં બ્રહ્મચર્ય આવી જાય એટલું જ નહીં, પણ તેની સાથે કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જોતાં જ આનંદ થાય !
  18. શીલવાન વગર વચનબળ ઉત્પન્ન ના થાય.

Related Books

×
Share on